આપ વાળા આ જબરૂ લાવ્યા છે, કહે છે પટેલ છે એટલે અટકાયત કરી!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:09:00

દિલ્હી પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી છે.   

ગોપાલ ઇટાલિયાની ધરપકડ મામલે ઇસુદાન ગઢવીએ  પ્રતિક્રિયા આપી અને કહ્યું "ભાજપને પટેલો થી નફરત છે અને એટલે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ કારણકે તે પટેલ સમાજ માંથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ કોઈ કરોડોના કોમભાંડ કર્યા નથી . તો ગોપાલ ઇટાલિયાનો વાંક શું ? વધુમાં તેમણે કહ્યું સરદાર પટેલ અગ્રેજોથી ડર્યા નોહતા એટલે  એમના વંશજ ગોપાલ ઇટાલિયાને કોઈ ભાજપની જેલ ડરાવી શકશે નહીં સમગ્ર પટેલ સમાજ અને તેમના યુવાનોમાં આજે રોષ છે. અને આ આખું ષડયંત્ર C R પાટિલ દ્વારા રચવામાં આવ્યું છે. અને આ મામલે અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચડ્ડાએ પણ ટ્વીટ કર્યા છે 



 

જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચુંટણી લડવાની વાત કરી ત્યારે તમામ નેતાઓ કેહતા હતા કે અમે અલગ રાજનીતિ કરીશું અમે મુદ્દાની વાતથી ચુંટણી લડશું ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ જાતિવાદની રાજનીતિ કરી રહ્યા છે હવે શું એવું માનવાનું કે ગુજરાત જીતવા માટે જાતિ અને ધર્મની રાજનીતિનો સહરો લેવો પડે છે જે લોકો રાજનીતિ બદલવાની વાત કરતાં હતા.એ હવે પોતે જાતિ અને ધર્મના નામે રાજનીતિ કરતાં દેખાય રહ્યા છે  












  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.