આપ વાળા આ જબરૂ લાવ્યા છે, કહે છે પટેલ છે એટલે અટકાયત કરી!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:09:00

દિલ્હી પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી છે.   

ગોપાલ ઇટાલિયાની ધરપકડ મામલે ઇસુદાન ગઢવીએ  પ્રતિક્રિયા આપી અને કહ્યું "ભાજપને પટેલો થી નફરત છે અને એટલે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ કારણકે તે પટેલ સમાજ માંથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ કોઈ કરોડોના કોમભાંડ કર્યા નથી . તો ગોપાલ ઇટાલિયાનો વાંક શું ? વધુમાં તેમણે કહ્યું સરદાર પટેલ અગ્રેજોથી ડર્યા નોહતા એટલે  એમના વંશજ ગોપાલ ઇટાલિયાને કોઈ ભાજપની જેલ ડરાવી શકશે નહીં સમગ્ર પટેલ સમાજ અને તેમના યુવાનોમાં આજે રોષ છે. અને આ આખું ષડયંત્ર C R પાટિલ દ્વારા રચવામાં આવ્યું છે. અને આ મામલે અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચડ્ડાએ પણ ટ્વીટ કર્યા છે 



 

જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચુંટણી લડવાની વાત કરી ત્યારે તમામ નેતાઓ કેહતા હતા કે અમે અલગ રાજનીતિ કરીશું અમે મુદ્દાની વાતથી ચુંટણી લડશું ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ જાતિવાદની રાજનીતિ કરી રહ્યા છે હવે શું એવું માનવાનું કે ગુજરાત જીતવા માટે જાતિ અને ધર્મની રાજનીતિનો સહરો લેવો પડે છે જે લોકો રાજનીતિ બદલવાની વાત કરતાં હતા.એ હવે પોતે જાતિ અને ધર્મના નામે રાજનીતિ કરતાં દેખાય રહ્યા છે  












  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..