આપ વાળા આ જબરૂ લાવ્યા છે, કહે છે પટેલ છે એટલે અટકાયત કરી!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:09:00

દિલ્હી પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી છે.   

ગોપાલ ઇટાલિયાની ધરપકડ મામલે ઇસુદાન ગઢવીએ  પ્રતિક્રિયા આપી અને કહ્યું "ભાજપને પટેલો થી નફરત છે અને એટલે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ કારણકે તે પટેલ સમાજ માંથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ કોઈ કરોડોના કોમભાંડ કર્યા નથી . તો ગોપાલ ઇટાલિયાનો વાંક શું ? વધુમાં તેમણે કહ્યું સરદાર પટેલ અગ્રેજોથી ડર્યા નોહતા એટલે  એમના વંશજ ગોપાલ ઇટાલિયાને કોઈ ભાજપની જેલ ડરાવી શકશે નહીં સમગ્ર પટેલ સમાજ અને તેમના યુવાનોમાં આજે રોષ છે. અને આ આખું ષડયંત્ર C R પાટિલ દ્વારા રચવામાં આવ્યું છે. અને આ મામલે અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચડ્ડાએ પણ ટ્વીટ કર્યા છે 



 

જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચુંટણી લડવાની વાત કરી ત્યારે તમામ નેતાઓ કેહતા હતા કે અમે અલગ રાજનીતિ કરીશું અમે મુદ્દાની વાતથી ચુંટણી લડશું ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ જાતિવાદની રાજનીતિ કરી રહ્યા છે હવે શું એવું માનવાનું કે ગુજરાત જીતવા માટે જાતિ અને ધર્મની રાજનીતિનો સહરો લેવો પડે છે જે લોકો રાજનીતિ બદલવાની વાત કરતાં હતા.એ હવે પોતે જાતિ અને ધર્મના નામે રાજનીતિ કરતાં દેખાય રહ્યા છે  












  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે