હિંમતનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, નવા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો પરીક્ષિત રજીસ્ટ્રાર કચેરીમાં ઢળી પડ્યો


  • Published By :
  • Published Date : 2023-08-01 18:56:42

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, દર 2-3 દિવસે હાર્ટ એટેકથી મોતને ભેટતા યુવાનના સમાચાર સામે આવે છે. સાબરકાંઠા જિલ્લામાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી ફેલાઈ છે. પ્રાંતિજ તાલુકાનાના પોગલુ ગામનો યુવાન પરીક્ષિત પટેલ હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવે છે. તેણે હિંમતનગરમાં પોતાનું ઘર ખરીદ્યુ હતું અને જેનો દસ્તાવેજ કરવા માટે બહુમાળી ભવનમાં ગયો હતો, જ્યા ઘરનો દસ્તાવેજ કરી ઉભો થતા જ ઢળી પડ્યો હતો.


હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત


હિંમતનગરના બહુમાળી ભવનમાં યુવક પરીક્ષિત પટેલ ઢળી પડતા સ્ટેમ્પ વેન્ડર કમલેશભાઈએ તેને ઉભો કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ બેહોશ જણાતા અન્ય આસપાસના લોકો અને કચેરીનો સ્ટાફ પણ બેહોશ યુવકને ઉભો કરવા પ્રયાસમાં લાગ્યો હતો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જો કે એમ્બ્યુલન્સને આવતા મોડુ થતાં તાત્કાલિક તેને  રીક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા બાદ તબિબે તેને ચેક કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો. 


પરિવાર શોકાતૂર બન્યો


હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા પરીક્ષિત પટેલને પરિવારમાં પત્ની અને 8 વર્ષનો પુત્ર છે. જો કે અચાનક જ 35 વર્ષના યુવાનનું મોત થતાં પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યુ હતું. પરિવાર સાથે સુખેથી રહેવા માટે પરીક્ષિત પટેલે  હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ નિલંકઠ વિલા સોસાયટીમાં મકાન ખરીદ્યુ હતું. ઘરના માલિક બન્યાની રાહતનો શ્વાસ લઈને ખુશીઓ વ્યક્ત કરે એ પહેલા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.