હિંમતનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, નવા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો પરીક્ષિત રજીસ્ટ્રાર કચેરીમાં ઢળી પડ્યો


  • Published By :
  • Published Date : 2023-08-01 18:56:42

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, દર 2-3 દિવસે હાર્ટ એટેકથી મોતને ભેટતા યુવાનના સમાચાર સામે આવે છે. સાબરકાંઠા જિલ્લામાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી ફેલાઈ છે. પ્રાંતિજ તાલુકાનાના પોગલુ ગામનો યુવાન પરીક્ષિત પટેલ હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવે છે. તેણે હિંમતનગરમાં પોતાનું ઘર ખરીદ્યુ હતું અને જેનો દસ્તાવેજ કરવા માટે બહુમાળી ભવનમાં ગયો હતો, જ્યા ઘરનો દસ્તાવેજ કરી ઉભો થતા જ ઢળી પડ્યો હતો.


હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત


હિંમતનગરના બહુમાળી ભવનમાં યુવક પરીક્ષિત પટેલ ઢળી પડતા સ્ટેમ્પ વેન્ડર કમલેશભાઈએ તેને ઉભો કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ બેહોશ જણાતા અન્ય આસપાસના લોકો અને કચેરીનો સ્ટાફ પણ બેહોશ યુવકને ઉભો કરવા પ્રયાસમાં લાગ્યો હતો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જો કે એમ્બ્યુલન્સને આવતા મોડુ થતાં તાત્કાલિક તેને  રીક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા બાદ તબિબે તેને ચેક કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો. 


પરિવાર શોકાતૂર બન્યો


હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા પરીક્ષિત પટેલને પરિવારમાં પત્ની અને 8 વર્ષનો પુત્ર છે. જો કે અચાનક જ 35 વર્ષના યુવાનનું મોત થતાં પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યુ હતું. પરિવાર સાથે સુખેથી રહેવા માટે પરીક્ષિત પટેલે  હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ નિલંકઠ વિલા સોસાયટીમાં મકાન ખરીદ્યુ હતું. ઘરના માલિક બન્યાની રાહતનો શ્વાસ લઈને ખુશીઓ વ્યક્ત કરે એ પહેલા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.