અમદાવાદના 18 વર્ષના પ્રિન્સ સાથે એ દિવસે શું થયું કે ત્રણ જ મિનિટમાં એ લાશ બની ગયો...


  • Published By : Admin
  • Published Date : 2024-12-10 19:33:27

એક ઈન્જેક્શન, વધુ માત્રા અને જિંદગી બરબાદ

6 ડિસેમ્બર અને શુક્રવારનો દિવસ, એક વિદ્યાર્થીની લાશ ઘોડાસર તળાવ પાસે પડી છે એવા સમાચાર પોલીસને મળે છે. એ નિશ્ચેતન પડેલુ શવ 18 વર્ષના પ્રિન્સ શર્માનું હતુ. જેનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે. અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. પ્રિન્સ દહેગામ પાસે આવેલી મોનાર્ક યુનિવર્સીટીમાં ભણે અને કૉલેજ જવાનું કહીને શુક્રવારે પણ ઘરેથી નીકળ્યો હતો. પણ કૉલેજ જવાની જગ્યાએ પ્રિન્સ ઘોડાસર તળાવ પર પહોંચ્યો, ત્યાં મિત્ર જયદીપ સુથારને મળ્યો. જયદીપ ખાનગી હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે. અને વધારે પૈસા કમાવવાની લાલચ એને એ હદ સુધી લઈ ગઈ કે ઓપરેશન પહેલા પેશન્ટને રિલેક્સ કરવા દવા તરીકે અપાતા ઈન્જેક્શનની એ ચોરી કરીને નશાનાં રવાડે યુવાનોને ચડાવવા લાગ્યો. પ્રિન્સને પણ જયદીપે ડ્રગ્સના રવાડે ચડાવ્યો, ઈન્જેક્શન લેતાની સાથે જ પ્રિન્સના મોંઢામાંથી ફીણ આવવા લાગ્યું, આ જોતા જ જયદીપ ત્યાંથી ભાગી ગયો. પ્રિન્સના મિત્ર તરૂણે એના માતા પિતાને જાણ કરી, ઘોડાસર તળાવ પહોંચેલા માતા પિતાને હાથમાં દિકરાની લાશ મળી... માતા અંજુ શર્માએ જયદીપ સામે પોલીસમાં ફરીયાદ કરી, જયદીપને રાજસ્થાનથી પકડી લેવામાં આવ્યો છે.

અનેક રીતે નશો ઉપલબ્ધ, બાળકોની સાથે ખુલીને આ વિષય પર વાત કરો

ડ્રગ્સ કોઈ એક જ સ્વરૂપમાં નથી આવતું, કોઈ કલ્પના ના કરી શકે એવા સ્વરૂપમાં આ નશો ઉપલબ્ધ છે. આ રાક્ષસથી બચવાનો એક માત્ર ઉપાય જાગૃતિ છે. આવી કોઈ પણ ઘટના સાંભળ્યા પછી યુવાનો સાથે એની વાત કરી એમને જાગૃત કરવા, નશાનાં રવાડે ચઢતા અટકાવવા, જો ભુલથી પણ નશો એક વાર કરી લે છે તો પોલીસથી ડર્યા વગર એની જાણ કરવી અને રિહેબ સેન્ટરમાં મોકલવા એ જ ઉપાય છે. આ ચક્રવ્યુહમાં ફસાતી છોકરીઓ યૌનશોષણનો પણ શિકાર બને છે. જિંદગી મોત કરતા પણ બદતર થઈ જાય છે.. આ એવો નશો છે જે જાતિ, ધર્મ, વર્ગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને બરબાદ કરે છે. કોઈ પણ દેશને ખતમ કરી નાખવાનું આ સૌથી મોટુ હથિયાર છે. ખુબ શક્તિશાળી દેશો અને એમની વ્યવસ્થાઓ પણ ડ્રગ્સ સામે વામણી પુરવાર થઈ રહી છે એટલે આ ભયંકર દાવાનળમાં પોતાને અને પોતાના પરિવારને સેફ રાખવાથી જ આનાંથી બચી શકાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સના મોટા કાર્ટેલને રોકવામાં નિષ્ફળતાઓ આ બધા વિષયો પર પ્રશ્નો ચોક્કસ છે, કેમ કે દરેક વખતે ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી થતી હોવા છતા જો એકનો એક રૂટ ડ્રગ્સ માટે વપરાય છે તો એનો મતલબ હજુ પણ ડ્રગ માફીયાઓ માટે ગુજરાતનો દરિયાકિનારો જ સેફ હેવન બની રહ્યો છે. પણ આ લડાઈ ખુબ મોટા પાયે લડાય એની રાહમાં ઘરના સંતાનોને તો આની સામે ખુલ્લા નહીં જ મુકાય.

આપણે કર્તવ્ય નિભાવીએ, ડ્રગ્સના રાક્ષસથી યુવાનોને બચાવીએ

બની શકે એટલી ચર્ચાઓ, સંવાદો અને એની ઘાતકતાની જાણકારી જ ડ્રગ્સ સામેની લડાઈમાં આપણને મદદ કરશે. બાકી આજના સમયમાં કોઈ પણ દેશને ખતમ કરવા માટે બાયો વેપન અને ડ્રગ્સ બે પુરતા છે... 18 વર્ષનો લાડકવાયો અજાણી લાશ બનીને સમાચારમાં આવે એ પહેલા ડ્રગ્સ સામેની લડાઈ જીતવી જરૂરી છે. જે પ્રિન્સના માતા-પિતા સાથે થયું એ કોઈની સાથે ના થાય એની કાળજી લઈએ.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.