અમદાવાદના 18 વર્ષના પ્રિન્સ સાથે એ દિવસે શું થયું કે ત્રણ જ મિનિટમાં એ લાશ બની ગયો...


  • Published By : Admin
  • Published Date : 2024-12-10 19:33:27

એક ઈન્જેક્શન, વધુ માત્રા અને જિંદગી બરબાદ

6 ડિસેમ્બર અને શુક્રવારનો દિવસ, એક વિદ્યાર્થીની લાશ ઘોડાસર તળાવ પાસે પડી છે એવા સમાચાર પોલીસને મળે છે. એ નિશ્ચેતન પડેલુ શવ 18 વર્ષના પ્રિન્સ શર્માનું હતુ. જેનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે. અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. પ્રિન્સ દહેગામ પાસે આવેલી મોનાર્ક યુનિવર્સીટીમાં ભણે અને કૉલેજ જવાનું કહીને શુક્રવારે પણ ઘરેથી નીકળ્યો હતો. પણ કૉલેજ જવાની જગ્યાએ પ્રિન્સ ઘોડાસર તળાવ પર પહોંચ્યો, ત્યાં મિત્ર જયદીપ સુથારને મળ્યો. જયદીપ ખાનગી હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે. અને વધારે પૈસા કમાવવાની લાલચ એને એ હદ સુધી લઈ ગઈ કે ઓપરેશન પહેલા પેશન્ટને રિલેક્સ કરવા દવા તરીકે અપાતા ઈન્જેક્શનની એ ચોરી કરીને નશાનાં રવાડે યુવાનોને ચડાવવા લાગ્યો. પ્રિન્સને પણ જયદીપે ડ્રગ્સના રવાડે ચડાવ્યો, ઈન્જેક્શન લેતાની સાથે જ પ્રિન્સના મોંઢામાંથી ફીણ આવવા લાગ્યું, આ જોતા જ જયદીપ ત્યાંથી ભાગી ગયો. પ્રિન્સના મિત્ર તરૂણે એના માતા પિતાને જાણ કરી, ઘોડાસર તળાવ પહોંચેલા માતા પિતાને હાથમાં દિકરાની લાશ મળી... માતા અંજુ શર્માએ જયદીપ સામે પોલીસમાં ફરીયાદ કરી, જયદીપને રાજસ્થાનથી પકડી લેવામાં આવ્યો છે.

અનેક રીતે નશો ઉપલબ્ધ, બાળકોની સાથે ખુલીને આ વિષય પર વાત કરો

ડ્રગ્સ કોઈ એક જ સ્વરૂપમાં નથી આવતું, કોઈ કલ્પના ના કરી શકે એવા સ્વરૂપમાં આ નશો ઉપલબ્ધ છે. આ રાક્ષસથી બચવાનો એક માત્ર ઉપાય જાગૃતિ છે. આવી કોઈ પણ ઘટના સાંભળ્યા પછી યુવાનો સાથે એની વાત કરી એમને જાગૃત કરવા, નશાનાં રવાડે ચઢતા અટકાવવા, જો ભુલથી પણ નશો એક વાર કરી લે છે તો પોલીસથી ડર્યા વગર એની જાણ કરવી અને રિહેબ સેન્ટરમાં મોકલવા એ જ ઉપાય છે. આ ચક્રવ્યુહમાં ફસાતી છોકરીઓ યૌનશોષણનો પણ શિકાર બને છે. જિંદગી મોત કરતા પણ બદતર થઈ જાય છે.. આ એવો નશો છે જે જાતિ, ધર્મ, વર્ગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને બરબાદ કરે છે. કોઈ પણ દેશને ખતમ કરી નાખવાનું આ સૌથી મોટુ હથિયાર છે. ખુબ શક્તિશાળી દેશો અને એમની વ્યવસ્થાઓ પણ ડ્રગ્સ સામે વામણી પુરવાર થઈ રહી છે એટલે આ ભયંકર દાવાનળમાં પોતાને અને પોતાના પરિવારને સેફ રાખવાથી જ આનાંથી બચી શકાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સના મોટા કાર્ટેલને રોકવામાં નિષ્ફળતાઓ આ બધા વિષયો પર પ્રશ્નો ચોક્કસ છે, કેમ કે દરેક વખતે ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી થતી હોવા છતા જો એકનો એક રૂટ ડ્રગ્સ માટે વપરાય છે તો એનો મતલબ હજુ પણ ડ્રગ માફીયાઓ માટે ગુજરાતનો દરિયાકિનારો જ સેફ હેવન બની રહ્યો છે. પણ આ લડાઈ ખુબ મોટા પાયે લડાય એની રાહમાં ઘરના સંતાનોને તો આની સામે ખુલ્લા નહીં જ મુકાય.

આપણે કર્તવ્ય નિભાવીએ, ડ્રગ્સના રાક્ષસથી યુવાનોને બચાવીએ

બની શકે એટલી ચર્ચાઓ, સંવાદો અને એની ઘાતકતાની જાણકારી જ ડ્રગ્સ સામેની લડાઈમાં આપણને મદદ કરશે. બાકી આજના સમયમાં કોઈ પણ દેશને ખતમ કરવા માટે બાયો વેપન અને ડ્રગ્સ બે પુરતા છે... 18 વર્ષનો લાડકવાયો અજાણી લાશ બનીને સમાચારમાં આવે એ પહેલા ડ્રગ્સ સામેની લડાઈ જીતવી જરૂરી છે. જે પ્રિન્સના માતા-પિતા સાથે થયું એ કોઈની સાથે ના થાય એની કાળજી લઈએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.