અમદાવાદના 18 વર્ષના પ્રિન્સ સાથે એ દિવસે શું થયું કે ત્રણ જ મિનિટમાં એ લાશ બની ગયો...


  • Published By : Admin
  • Published Date : 2024-12-10 19:33:27

એક ઈન્જેક્શન, વધુ માત્રા અને જિંદગી બરબાદ

6 ડિસેમ્બર અને શુક્રવારનો દિવસ, એક વિદ્યાર્થીની લાશ ઘોડાસર તળાવ પાસે પડી છે એવા સમાચાર પોલીસને મળે છે. એ નિશ્ચેતન પડેલુ શવ 18 વર્ષના પ્રિન્સ શર્માનું હતુ. જેનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે. અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. પ્રિન્સ દહેગામ પાસે આવેલી મોનાર્ક યુનિવર્સીટીમાં ભણે અને કૉલેજ જવાનું કહીને શુક્રવારે પણ ઘરેથી નીકળ્યો હતો. પણ કૉલેજ જવાની જગ્યાએ પ્રિન્સ ઘોડાસર તળાવ પર પહોંચ્યો, ત્યાં મિત્ર જયદીપ સુથારને મળ્યો. જયદીપ ખાનગી હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે. અને વધારે પૈસા કમાવવાની લાલચ એને એ હદ સુધી લઈ ગઈ કે ઓપરેશન પહેલા પેશન્ટને રિલેક્સ કરવા દવા તરીકે અપાતા ઈન્જેક્શનની એ ચોરી કરીને નશાનાં રવાડે યુવાનોને ચડાવવા લાગ્યો. પ્રિન્સને પણ જયદીપે ડ્રગ્સના રવાડે ચડાવ્યો, ઈન્જેક્શન લેતાની સાથે જ પ્રિન્સના મોંઢામાંથી ફીણ આવવા લાગ્યું, આ જોતા જ જયદીપ ત્યાંથી ભાગી ગયો. પ્રિન્સના મિત્ર તરૂણે એના માતા પિતાને જાણ કરી, ઘોડાસર તળાવ પહોંચેલા માતા પિતાને હાથમાં દિકરાની લાશ મળી... માતા અંજુ શર્માએ જયદીપ સામે પોલીસમાં ફરીયાદ કરી, જયદીપને રાજસ્થાનથી પકડી લેવામાં આવ્યો છે.

અનેક રીતે નશો ઉપલબ્ધ, બાળકોની સાથે ખુલીને આ વિષય પર વાત કરો

ડ્રગ્સ કોઈ એક જ સ્વરૂપમાં નથી આવતું, કોઈ કલ્પના ના કરી શકે એવા સ્વરૂપમાં આ નશો ઉપલબ્ધ છે. આ રાક્ષસથી બચવાનો એક માત્ર ઉપાય જાગૃતિ છે. આવી કોઈ પણ ઘટના સાંભળ્યા પછી યુવાનો સાથે એની વાત કરી એમને જાગૃત કરવા, નશાનાં રવાડે ચઢતા અટકાવવા, જો ભુલથી પણ નશો એક વાર કરી લે છે તો પોલીસથી ડર્યા વગર એની જાણ કરવી અને રિહેબ સેન્ટરમાં મોકલવા એ જ ઉપાય છે. આ ચક્રવ્યુહમાં ફસાતી છોકરીઓ યૌનશોષણનો પણ શિકાર બને છે. જિંદગી મોત કરતા પણ બદતર થઈ જાય છે.. આ એવો નશો છે જે જાતિ, ધર્મ, વર્ગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને બરબાદ કરે છે. કોઈ પણ દેશને ખતમ કરી નાખવાનું આ સૌથી મોટુ હથિયાર છે. ખુબ શક્તિશાળી દેશો અને એમની વ્યવસ્થાઓ પણ ડ્રગ્સ સામે વામણી પુરવાર થઈ રહી છે એટલે આ ભયંકર દાવાનળમાં પોતાને અને પોતાના પરિવારને સેફ રાખવાથી જ આનાંથી બચી શકાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સના મોટા કાર્ટેલને રોકવામાં નિષ્ફળતાઓ આ બધા વિષયો પર પ્રશ્નો ચોક્કસ છે, કેમ કે દરેક વખતે ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી થતી હોવા છતા જો એકનો એક રૂટ ડ્રગ્સ માટે વપરાય છે તો એનો મતલબ હજુ પણ ડ્રગ માફીયાઓ માટે ગુજરાતનો દરિયાકિનારો જ સેફ હેવન બની રહ્યો છે. પણ આ લડાઈ ખુબ મોટા પાયે લડાય એની રાહમાં ઘરના સંતાનોને તો આની સામે ખુલ્લા નહીં જ મુકાય.

આપણે કર્તવ્ય નિભાવીએ, ડ્રગ્સના રાક્ષસથી યુવાનોને બચાવીએ

બની શકે એટલી ચર્ચાઓ, સંવાદો અને એની ઘાતકતાની જાણકારી જ ડ્રગ્સ સામેની લડાઈમાં આપણને મદદ કરશે. બાકી આજના સમયમાં કોઈ પણ દેશને ખતમ કરવા માટે બાયો વેપન અને ડ્રગ્સ બે પુરતા છે... 18 વર્ષનો લાડકવાયો અજાણી લાશ બનીને સમાચારમાં આવે એ પહેલા ડ્રગ્સ સામેની લડાઈ જીતવી જરૂરી છે. જે પ્રિન્સના માતા-પિતા સાથે થયું એ કોઈની સાથે ના થાય એની કાળજી લઈએ.



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .