Gujaratમાં યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, ફરી એક જ દિવસમાં આટલા યુવાનોએ લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-11-01 12:34:05

જો તમને સિવિયર કોરોના થયો અને તેને લાંબો સમય ન થયો હોય તો વધારે કામ કરવાનું ટાળજો, વધારે કસરત કરવાનું ટાળજો.. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આવી વાત પોતાના નિવેદનમાં કહી હતી. કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે વધી રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. દરરોજ સમગ્ર ગુજરાતમાં તો હાર્ટ એટેકને કારણે નાની વયના લોકોનું મોત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આવા સમાચારો સામે આવી રહ્યા છે કે આટલા વર્ષની ઉંમરના વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું, શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે વગેરે વગેરે.. ત્યારે આજે પણ અનેક યુવાનોએ હાર્ટ એટેક આવવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.


દાહોદમાં 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે છે તેવું કહીએ તો આપણે કદાચ ખોટા ન કહેવાઈએ. નાની ઉંમરે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ જેમને હજી દુનિયા જોવાની બાકી હોય છે તે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેઓ મોતને ભેટી રહ્યા છે.દાહોદમાં 19 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 



અનેક લોકોએ ગુમાવ્યો છે પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે 

તે ઉપરાંત હાર્ટ એટેકનો બનાવ સુરેન્દ્રનગરમાં પણ બન્યો છે. મોડી રાત્રે યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેણે દેહને છોડી દીધો હતો.  મળતી માહિતી અનુસાર લખતર શહેરનાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યું. રાજકોટથી પણ હાર્ટ એટેકના બનાવ સામે આવ્યા છે એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે પણ પંચમહાલના ગોધરામાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તે ઉપરાંત થોડા દિવસો પહેલા સુરતથી પણ અનેક કેસ સામે આવ્યા હતા.

ભેળસેળ યુક્ત પદાર્થો પણ શરીર પર કરે છે અસર 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પહેલાના જમાનામાં લોકોને સારું અને ચોખ્ખું ભોજન મળતું હતું જેને કારણે તેઓ લાંબા સમય સુધી નિરોગી રહી શકતા હતા. પરંતુ આજકાલ તો અનેક ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જોવા મળે છે. અનેક સમાચાર આપણી સામે આવી રહ્યા છે જેમાં નકલી માલ પકડાય છે. તે ઉપરાંત લાઈફ સ્ટાઈલ પણ આપણા શરીર પર ઘણી અસર કરતી હોય છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.