Gujaratમાં યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, ફરી એક જ દિવસમાં આટલા યુવાનોએ લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-11-01 12:34:05

જો તમને સિવિયર કોરોના થયો અને તેને લાંબો સમય ન થયો હોય તો વધારે કામ કરવાનું ટાળજો, વધારે કસરત કરવાનું ટાળજો.. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આવી વાત પોતાના નિવેદનમાં કહી હતી. કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે વધી રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. દરરોજ સમગ્ર ગુજરાતમાં તો હાર્ટ એટેકને કારણે નાની વયના લોકોનું મોત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આવા સમાચારો સામે આવી રહ્યા છે કે આટલા વર્ષની ઉંમરના વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું, શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે વગેરે વગેરે.. ત્યારે આજે પણ અનેક યુવાનોએ હાર્ટ એટેક આવવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.


દાહોદમાં 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે છે તેવું કહીએ તો આપણે કદાચ ખોટા ન કહેવાઈએ. નાની ઉંમરે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ જેમને હજી દુનિયા જોવાની બાકી હોય છે તે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેઓ મોતને ભેટી રહ્યા છે.દાહોદમાં 19 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 



અનેક લોકોએ ગુમાવ્યો છે પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે 

તે ઉપરાંત હાર્ટ એટેકનો બનાવ સુરેન્દ્રનગરમાં પણ બન્યો છે. મોડી રાત્રે યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેણે દેહને છોડી દીધો હતો.  મળતી માહિતી અનુસાર લખતર શહેરનાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યું. રાજકોટથી પણ હાર્ટ એટેકના બનાવ સામે આવ્યા છે એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે પણ પંચમહાલના ગોધરામાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તે ઉપરાંત થોડા દિવસો પહેલા સુરતથી પણ અનેક કેસ સામે આવ્યા હતા.

ભેળસેળ યુક્ત પદાર્થો પણ શરીર પર કરે છે અસર 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પહેલાના જમાનામાં લોકોને સારું અને ચોખ્ખું ભોજન મળતું હતું જેને કારણે તેઓ લાંબા સમય સુધી નિરોગી રહી શકતા હતા. પરંતુ આજકાલ તો અનેક ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જોવા મળે છે. અનેક સમાચાર આપણી સામે આવી રહ્યા છે જેમાં નકલી માલ પકડાય છે. તે ઉપરાંત લાઈફ સ્ટાઈલ પણ આપણા શરીર પર ઘણી અસર કરતી હોય છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી