Gujaratમાં યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, ફરી એક જ દિવસમાં આટલા યુવાનોએ લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-11-01 12:34:05

જો તમને સિવિયર કોરોના થયો અને તેને લાંબો સમય ન થયો હોય તો વધારે કામ કરવાનું ટાળજો, વધારે કસરત કરવાનું ટાળજો.. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આવી વાત પોતાના નિવેદનમાં કહી હતી. કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે વધી રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. દરરોજ સમગ્ર ગુજરાતમાં તો હાર્ટ એટેકને કારણે નાની વયના લોકોનું મોત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આવા સમાચારો સામે આવી રહ્યા છે કે આટલા વર્ષની ઉંમરના વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું, શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે વગેરે વગેરે.. ત્યારે આજે પણ અનેક યુવાનોએ હાર્ટ એટેક આવવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.


દાહોદમાં 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે છે તેવું કહીએ તો આપણે કદાચ ખોટા ન કહેવાઈએ. નાની ઉંમરે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ જેમને હજી દુનિયા જોવાની બાકી હોય છે તે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેઓ મોતને ભેટી રહ્યા છે.દાહોદમાં 19 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 



અનેક લોકોએ ગુમાવ્યો છે પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે 

તે ઉપરાંત હાર્ટ એટેકનો બનાવ સુરેન્દ્રનગરમાં પણ બન્યો છે. મોડી રાત્રે યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેણે દેહને છોડી દીધો હતો.  મળતી માહિતી અનુસાર લખતર શહેરનાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યું. રાજકોટથી પણ હાર્ટ એટેકના બનાવ સામે આવ્યા છે એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે પણ પંચમહાલના ગોધરામાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તે ઉપરાંત થોડા દિવસો પહેલા સુરતથી પણ અનેક કેસ સામે આવ્યા હતા.

ભેળસેળ યુક્ત પદાર્થો પણ શરીર પર કરે છે અસર 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પહેલાના જમાનામાં લોકોને સારું અને ચોખ્ખું ભોજન મળતું હતું જેને કારણે તેઓ લાંબા સમય સુધી નિરોગી રહી શકતા હતા. પરંતુ આજકાલ તો અનેક ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જોવા મળે છે. અનેક સમાચાર આપણી સામે આવી રહ્યા છે જેમાં નકલી માલ પકડાય છે. તે ઉપરાંત લાઈફ સ્ટાઈલ પણ આપણા શરીર પર ઘણી અસર કરતી હોય છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.