જ્ઞાન સહાયકના વિરોધમાં ગાંધીનગરમાં યોજાઈ યુવા અધિકાર રેલી, આપના નેતાઓએ સરકારને ફેંક્યો આ પડકાર


  • Published By :
  • Published Date : 2023-10-20 20:00:18

જ્ઞાન સહાયકના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત યુવા અધિકાર યાત્રાનો આજે સાતમો દિવસ હતો. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યુવા અધિકાર યાત્રા દાંડીથી નીકળી હતી અને આજે ગાંધીનગર ખાતે પહોંચી હતી.આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોની સાથે સાથે જિલ્લા તથા તાલુકા અને શહેરનાના પ્રમુખ તથા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.  ગાંધીનગરમાં આ વિશાળ રેલીને આપના અગ્રણી નેતાઓએ સંબોધી હતી. આપના આ તમામ નેતાઓએ જ્યાં સુધી ભાજપ સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી ભરતી શરુ નહિ કરે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ લડાઈ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા, ઉમેશ મકવાણા, કરશન બાપુ ભાદરકા, પ્રવિણ રામ, મનોજ સોરઠિયા અને યુવરાજ સિંહ જાડેજા સહિતના નેતાઓએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સભા પૂર્ણ થયા બાદ  યુવા અધિકાર યાત્રા ગાંધી આશ્રમ જવા રવાના થઈ હતી.


આ નેતાઓએ શું કહ્યું?


આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખાનગીકરણની નિતીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જો સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં નહીં આવે તો અમે ભાજપના તમામ નેતાઓને ઘરોનો ઘેરાવ કરવામાં આવશે. ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના ધારાસભ્યો અને સાંસદો મોટા મોટા બંગલામાં રહે છે. તેમના બાળકોની 5-5 લાખ રૂપિયા ફી ભરે છે. એવા ભાજપના નેતાઓ ક્યારેય આ દિવસ-રાત સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનોની વેદના નહીં સમજી શકે. તે જ પ્રકારે યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે જો સરકાર આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો સરકાર તેના પરિણામો ભોગવવા તૈયાર રહે. તેમણે કહ્યું કે કે અમે આ કરાર આધારીત જ્ઞાન સહાયક ભરતી બંધ કરાવીને ઝંપીશું. સરકાર નહીં માને તો પાયા હચમચાવી દેવામાં આવશે. શિક્ષણ મંત્રીને પડકાર ફેંકતા કહ્યું તમને ઘરે બેસાડતા પણ અમને આનડે છે. મનોજ સોરઠીયાએ લોકોને સંબોધતા કહ્યું કે સરકારી શિક્ષણ ખતમ કરવાનું આ સરકારનું કાવતરૂ ગણાવ્યું હતું અને જ્ઞાન સહાયક યોજના ભાજપની યોજનાનો ભાગ છે. પ્રવિણ રામે કહ્યું કે પહેલા ભાજપ સરકારની માનસિકતા યુવાઓ વિરોધી હતી અને હવે ભાજપ સરકારની યોજનાઓ પણ યુવાઓના ભવિષ્યને બરબાદ કરનારી છે.


ટેટ-ટાટ ઉમેદવારો સહિત અગ્રણી નેતા રહ્યા હાજર 


ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દાંડી 2.0 ગાંધીનગર સુધી યુવા અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાની હેઠળ ગાંધીનગરમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહેશે ઉપરાંત રાકેશ હિરપરા, નોર્થ જોન ઉપપ્રમુખ ડો. રમેશ પટેલ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, નોર્થ જોન સેક્રેટરી મંત્રી ચંદુભાઈ પટેલ, જીલ્લા ઈન્ચાર્જ નરેન્દ્રસિંહ પરમાર, લોકસભા ઈન્ચાર્જ બિપીન ચંદ્ર ગામેતી, જીલ્લા પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર અને યુવા પ્રમુખ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ખરાડી અને અન્ય જિલ્લા પ્રમુખો સહિત તમામ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ટેટ પાસ વિદ્યાર્થીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. જેમણે દાંડીથી ગાંધીનગર સુધી પગપાળા પદયાત્રા કરીને રેલીમાં ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને પ્રભાવિત કર્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સાબરકાંઠા જિલ્લાના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી