Rajkot PGVCL બહાર યુવાનોના ધરણા! જગ્યા ખાલી હોવા છતાંય ભરતી ન કરાતા યુવાનોમાં આક્રોશ, યુવરાજસિંહ પહોંચ્યા સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2024-02-03 16:58:48

ફરી એકવાર વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર હતા. ત્રીજા દિવસે પણ આવી કડકડતી ઠંડીમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આંદોલન કરી રેહલા પરીક્ષાર્થીના સમર્થન માટે પહોંચ્યા છે.  પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.  

ત્રણ દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે ઓફિસ બહાર ધરણા!  

સૌરાષ્ટ્રમાં pgvcl કંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. ત્રીજા દિવસે પણ પરીક્ષાર્થીઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઓફિસ બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે. 


આંદોલન કરી રહેલા યુવાનોને યુવરાજસિંહે આપ્યું સમર્થન 

પીજીવીસીએલ કંપનીની બહાર 300 જેટલા યુવાનો ધરણા કરી રહ્યા છે. ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ બેઠા છે અને આ આંદોલન ચલાવી રહ્યા છે. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી રહી તે વાતનો યુવાનોને રોષ જોવા મળી રહ્યો છે. ભરતી કરવામાં આવે તેવી માગ સાથે યુવાનો ધરણા કરી રહ્યા છે. આજે તેમના ધરણાનો ત્રીજો દિવસ છે. અનેક નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ રાજકોટ પહોંચી ગયા છે અને યુવાનોના ધરણામાં સાથ આપી રહ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.