Rajkot PGVCL બહાર યુવાનોના ધરણા! જગ્યા ખાલી હોવા છતાંય ભરતી ન કરાતા યુવાનોમાં આક્રોશ, યુવરાજસિંહ પહોંચ્યા સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2024-02-03 16:58:48

ફરી એકવાર વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર હતા. ત્રીજા દિવસે પણ આવી કડકડતી ઠંડીમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આંદોલન કરી રેહલા પરીક્ષાર્થીના સમર્થન માટે પહોંચ્યા છે.  પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.  

ત્રણ દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે ઓફિસ બહાર ધરણા!  

સૌરાષ્ટ્રમાં pgvcl કંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. ત્રીજા દિવસે પણ પરીક્ષાર્થીઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઓફિસ બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે. 


આંદોલન કરી રહેલા યુવાનોને યુવરાજસિંહે આપ્યું સમર્થન 

પીજીવીસીએલ કંપનીની બહાર 300 જેટલા યુવાનો ધરણા કરી રહ્યા છે. ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ બેઠા છે અને આ આંદોલન ચલાવી રહ્યા છે. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી રહી તે વાતનો યુવાનોને રોષ જોવા મળી રહ્યો છે. ભરતી કરવામાં આવે તેવી માગ સાથે યુવાનો ધરણા કરી રહ્યા છે. આજે તેમના ધરણાનો ત્રીજો દિવસ છે. અનેક નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ રાજકોટ પહોંચી ગયા છે અને યુવાનોના ધરણામાં સાથ આપી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.