વડોદરાના સાવલીમાં દશામાની મૂર્તિ વિસર્જિત કરવા ગયેલા 6 લોકો મહી નદીમાં ડૂબ્યાં, 3ના મોત


  • Published By :
  • Published Date : 2023-07-27 14:06:50

રાજ્યમાં ભારે વરસાદના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદીઓમાં પૂરના કારણે લોકોના ડુબવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ કે વડોદરાના રણછોડ પુરા ગામમાં રહેતા 3 યુવકો મહી નદીના વહેતા પ્રવાહમાં ગરકાવ થતાં તેમના મોત થયા હતા. આ ઉપરાંત સિંઘરોટની નદીમાં એક હોમગાર્ડ જવાન અને પાદરાના બે યુવાનો પણ નદીમાં ડૂબી ગયા છે. ગત રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દશામાની મૂર્તિના વિસર્જન વખતે મોટી સંખ્યામાં લોકો મહી કાંઠે એકત્રીત થયા હતા. દશામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 6 યુવાનો ડૂબી જતા અને તેમાં પણ 3 લોકોના મોત થતાં સાવલી તાલુકામાં હાહાકાર મચી ગયો છે.


બચાવ કામગીરી ચાલુ


મહી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહેલા યુવકોનાને બચાવવા માટે નદી કાંઠે હાજર રહેલ લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકોને બચાવી શકાયા નહતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી. પાણીમાં ગરકાવ થયેલા એક સગીર યુવક સહિત અન્ય બે યુવકોની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગની કામગીરીને પગલે મહિસાગર નદીના પાણીમાંથી રણછોડપુરા ગામના 32 વર્ષીય સંજય પુનમ ભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય બે ડૂબેલ યુવકોની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સાવલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતક સંજય ગોહિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડયો હતો.


MLA કેતન ઈનામદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા


સાવલી તાલુકામાં એક સાથે ત્રણ યુવકો પાણીમાં ડૂબવાની ઘટનાને પગલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપરાંત સાવલી એસ ડી એમ, મામલદાર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં ડૂબેલ અન્ય બે યુવકો જેઓ રણછોડપુરા ગામના જ વતની 15 વર્ષીય ગોહિલ વિશાલભાઈ રતીલાલ અને 20 વર્ષીય ગોહિલ કૌશિક ભાઈ અરવિંદભાઈની શોધખોળ હાથ ધરી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.