વડોદરાના સાવલીમાં દશામાની મૂર્તિ વિસર્જિત કરવા ગયેલા 6 લોકો મહી નદીમાં ડૂબ્યાં, 3ના મોત


  • Published By :
  • Published Date : 2023-07-27 14:06:50

રાજ્યમાં ભારે વરસાદના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદીઓમાં પૂરના કારણે લોકોના ડુબવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ કે વડોદરાના રણછોડ પુરા ગામમાં રહેતા 3 યુવકો મહી નદીના વહેતા પ્રવાહમાં ગરકાવ થતાં તેમના મોત થયા હતા. આ ઉપરાંત સિંઘરોટની નદીમાં એક હોમગાર્ડ જવાન અને પાદરાના બે યુવાનો પણ નદીમાં ડૂબી ગયા છે. ગત રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દશામાની મૂર્તિના વિસર્જન વખતે મોટી સંખ્યામાં લોકો મહી કાંઠે એકત્રીત થયા હતા. દશામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 6 યુવાનો ડૂબી જતા અને તેમાં પણ 3 લોકોના મોત થતાં સાવલી તાલુકામાં હાહાકાર મચી ગયો છે.


બચાવ કામગીરી ચાલુ


મહી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહેલા યુવકોનાને બચાવવા માટે નદી કાંઠે હાજર રહેલ લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકોને બચાવી શકાયા નહતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી. પાણીમાં ગરકાવ થયેલા એક સગીર યુવક સહિત અન્ય બે યુવકોની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગની કામગીરીને પગલે મહિસાગર નદીના પાણીમાંથી રણછોડપુરા ગામના 32 વર્ષીય સંજય પુનમ ભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય બે ડૂબેલ યુવકોની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સાવલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતક સંજય ગોહિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડયો હતો.


MLA કેતન ઈનામદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા


સાવલી તાલુકામાં એક સાથે ત્રણ યુવકો પાણીમાં ડૂબવાની ઘટનાને પગલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપરાંત સાવલી એસ ડી એમ, મામલદાર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં ડૂબેલ અન્ય બે યુવકો જેઓ રણછોડપુરા ગામના જ વતની 15 વર્ષીય ગોહિલ વિશાલભાઈ રતીલાલ અને 20 વર્ષીય ગોહિલ કૌશિક ભાઈ અરવિંદભાઈની શોધખોળ હાથ ધરી છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે