મનીષ સિસોદિયા બાદ યુટ્યુબર મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-10 13:07:09

છેલ્લા ઘણા સમયથી મનીષ નામ ચર્ચામાં આવ્યું છે. એ પછી મનીષ સિસોદિયા હોય કે પછી મનીષ કશ્યપ હોય. મનીષ નામ પર માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મનીષ સિસોદિયા પર કથિત દારૂ કૌભાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે મનીશ કશ્યપ નામના એક યુટ્યુબરે પોતાની ચેનલમાં કેટલાક વિડીયો પોસ્ટ કર્યા હતા જેમાં તેનો દાવો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો થયો છે.  


મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો 

પહેલા વાત કરવી છે મનીષ સિસોદિયાની જેમનું નામ છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઇન પર છવાયેલું છે. હમણાં જ એક નવા સમાચાર આવ્યા કે સીબીઆઈ બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલાં ઈડીએ તિહાડ જેલમાં જઈ મનીષ સિસોદિયાની પૂછપરછ કરી હતી. 


ઈડીએ કરી મનીષ સિસોદિયાની ધરપકડ 

ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કથિત દારૂ કૌભાંડનાં કેસમાં કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ હતો જે બાદ ઈડીએ તપાસ હાથ ધરી હતી. જે બાદ 9 માર્ચનાં રોજ ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. તે પેહલા 7 માર્ચનાં રોજ દારૂ કૌભાંડનાં મામલામાં ઈડીએ તિહાડ જેલમાં મનીષની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. અને ગુરુવારે બીજી વખત ઈડીએ 45 મિનીટ સુધી મનીષ સિસોદિયા સાથે પ્રશ્નોત્તરી કરી હતી જે બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. 


યુટ્યુબર મનીષ કશ્યપ પોતાના વીડિયોને કારણે આવ્યા ચર્ચામાં   

હવે વાત કરીએ બીજા મનીષ નામના વ્યક્તિની જે પણ હાલ ચર્ચાઈ રહ્યા છે. મનીષ કશ્યપ એક યુટ્યુબર છે. પોતાની ચેનલ પર  મનીષ કશ્યપે અનેક વિડીયો મૂક્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો કરવામાં આવ્યો છે. ટ્વિટર પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા.  


વીડિયો શેર કરી બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો!

વીડિયોના આધારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મનીષ કશ્યપે તમિલનાડુમાં બિહારી મજૂરો પર હુમલાના દાવાને સાચો સાબિત કરવા માટે 'સ્ક્રીપ્ટેડ' વીડિયો શેર કર્યા હતા. 8 માર્ચે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી હતી જેમાં  પરપ્રાંતિય મજૂરો માટે અવાજ ઉઠાવવાની વાતનું પુનરાવર્તન કરીને બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


યુટ્યુબ ચેનલ પર હિંસાનો વીડિયો કર્યો હતો શેર!

જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે “તેજશ્વી યાદવ જી, તમારા ચશ્મા ઉતારો અને આ ફોટો જુઓ, કાર્યકરોના ચહેરા પર ઘા છે. જે મીડિયાએ રેકોર્ડિંગ કર્યું છે તેનો મોબાઈલ નંબર પણ છે. એકવાર વાત કર્યા પછી જુઓ કે તમે ખોટું બોલી રહ્યા છો અને તમિલનાડુમાં કામદારો ખરેખર પરેશાન છે." તે બાદ અમુક વીડિયો એવા સામે આવ્યા જેમાં ખ્યાલ આવે કે મનીષે જે વીડિયો બનાવ્યા હતા એ ફેક છે. 


ગમે ત્યારે મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ!

તમિલનાડુ પોલીસે પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં દેખાય છે કે જે પીડિત બતાવ્યા છે એ વીડિયો પહેલા હસી રહ્યા છે. આ કેસની તપાસમાં લાગેલી બિહાર પોલીસની શાખા EOUના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 30 નકલી વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ મળી આવી છે. પોલીસે આ વીડિયો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પણ પાઠવી છે. જેને લઈ ફેસબુકને 9 નોટિસ આપવામાં આવી છે જ્યારે ટ્વિટર અને યુટ્યુબને 15-15 નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત જીમેઈલને પણ ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી. અને હવે મનીષ કશ્યપ પર ધરપકડની તલવાર લટકી રહી છે!




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.