મનીષ સિસોદિયા બાદ યુટ્યુબર મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-10 13:07:09

છેલ્લા ઘણા સમયથી મનીષ નામ ચર્ચામાં આવ્યું છે. એ પછી મનીષ સિસોદિયા હોય કે પછી મનીષ કશ્યપ હોય. મનીષ નામ પર માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મનીષ સિસોદિયા પર કથિત દારૂ કૌભાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે મનીશ કશ્યપ નામના એક યુટ્યુબરે પોતાની ચેનલમાં કેટલાક વિડીયો પોસ્ટ કર્યા હતા જેમાં તેનો દાવો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો થયો છે.  


મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો 

પહેલા વાત કરવી છે મનીષ સિસોદિયાની જેમનું નામ છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઇન પર છવાયેલું છે. હમણાં જ એક નવા સમાચાર આવ્યા કે સીબીઆઈ બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલાં ઈડીએ તિહાડ જેલમાં જઈ મનીષ સિસોદિયાની પૂછપરછ કરી હતી. 


ઈડીએ કરી મનીષ સિસોદિયાની ધરપકડ 

ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કથિત દારૂ કૌભાંડનાં કેસમાં કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ હતો જે બાદ ઈડીએ તપાસ હાથ ધરી હતી. જે બાદ 9 માર્ચનાં રોજ ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. તે પેહલા 7 માર્ચનાં રોજ દારૂ કૌભાંડનાં મામલામાં ઈડીએ તિહાડ જેલમાં મનીષની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. અને ગુરુવારે બીજી વખત ઈડીએ 45 મિનીટ સુધી મનીષ સિસોદિયા સાથે પ્રશ્નોત્તરી કરી હતી જે બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. 


યુટ્યુબર મનીષ કશ્યપ પોતાના વીડિયોને કારણે આવ્યા ચર્ચામાં   

હવે વાત કરીએ બીજા મનીષ નામના વ્યક્તિની જે પણ હાલ ચર્ચાઈ રહ્યા છે. મનીષ કશ્યપ એક યુટ્યુબર છે. પોતાની ચેનલ પર  મનીષ કશ્યપે અનેક વિડીયો મૂક્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો કરવામાં આવ્યો છે. ટ્વિટર પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા.  


વીડિયો શેર કરી બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો!

વીડિયોના આધારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મનીષ કશ્યપે તમિલનાડુમાં બિહારી મજૂરો પર હુમલાના દાવાને સાચો સાબિત કરવા માટે 'સ્ક્રીપ્ટેડ' વીડિયો શેર કર્યા હતા. 8 માર્ચે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી હતી જેમાં  પરપ્રાંતિય મજૂરો માટે અવાજ ઉઠાવવાની વાતનું પુનરાવર્તન કરીને બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


યુટ્યુબ ચેનલ પર હિંસાનો વીડિયો કર્યો હતો શેર!

જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે “તેજશ્વી યાદવ જી, તમારા ચશ્મા ઉતારો અને આ ફોટો જુઓ, કાર્યકરોના ચહેરા પર ઘા છે. જે મીડિયાએ રેકોર્ડિંગ કર્યું છે તેનો મોબાઈલ નંબર પણ છે. એકવાર વાત કર્યા પછી જુઓ કે તમે ખોટું બોલી રહ્યા છો અને તમિલનાડુમાં કામદારો ખરેખર પરેશાન છે." તે બાદ અમુક વીડિયો એવા સામે આવ્યા જેમાં ખ્યાલ આવે કે મનીષે જે વીડિયો બનાવ્યા હતા એ ફેક છે. 


ગમે ત્યારે મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ!

તમિલનાડુ પોલીસે પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં દેખાય છે કે જે પીડિત બતાવ્યા છે એ વીડિયો પહેલા હસી રહ્યા છે. આ કેસની તપાસમાં લાગેલી બિહાર પોલીસની શાખા EOUના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 30 નકલી વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ મળી આવી છે. પોલીસે આ વીડિયો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પણ પાઠવી છે. જેને લઈ ફેસબુકને 9 નોટિસ આપવામાં આવી છે જ્યારે ટ્વિટર અને યુટ્યુબને 15-15 નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત જીમેઈલને પણ ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી. અને હવે મનીષ કશ્યપ પર ધરપકડની તલવાર લટકી રહી છે!




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.