ડમી કાંડ મુદ્દે પૈસા લેવાના આક્ષેપો વચ્ચે યુવરાજસિંહે સરકારને પૂછ્યા સવાલ, જાણો કયા વિભાગમાં કૌભાંડ અંગે કરી યુવરાજસિંહે વાત


  • Published By :
  • Published Date : 2023-04-17 15:15:26

થોડા સમય પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાની વાત પૂરાવા સાથે યુવરાજસિંહે રજૂ કરી હતી. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. 36 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એ મામલે ચાર જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહે સરકારને આકરા સવાલ પૂછ્યા છે. અનેક વખત સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે યુવરાજસિંહે સરકારને પૂછ્યું છે કે 12 વર્ષ સુધી સરકારે કેટલા રુપિયા ખાધા છે? તે ઉપરાંત એવું પણ કહ્યું કે હજુ વનવિભાગ અને યુનિવર્સિટીના કૌભાંડો સામે આવશે.        

સિસ્ટમમાંથી સડો દૂર કરવા યુવરાજસિંહનો પ્રયત્ન!  

યુવરાજસિંહે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર તમારી, કાઈ એકેડેમી તમારી કોઈ વ્યક્તિ ઘૂસી જાય છે. આધાર પૂરાવા આપીએ છીએ. કારણ કે સિસ્ટમનો સડો દૂર કરવો છે. આ કારણે પાર્ટીને પણ દૂર રાખી છે. છેલ્લા 12 વર્ષથી કૌભાંડ ચાલતું હતું. કોઈ ભરતી બાકી નથી રાખી, કેટલાય મંત્રી મુખ્યમંત્રી સત્તાધીશો બદલી નાખ્યા તો માટે એવું સમજવાનું કે આ બધાએ પૈસા ખાધા છે? સરકારને પડકાર ફેંકતા કહ્યું કે એક એકને સામે લાવીશ. મને જેલમાં નાખી દો તો પણ લડીશ. એનઆઈઓસમાં, વનવિભાગની ભરતીમાં દોડનાર અલગ, પ્રિલિમ આપનાર અલગ અને નોકરી કરનાર અલગ છે.  


યુવરાજસિંહ વિરૂદ્ધ નોંધાઈ શકે છે એફઆઈઆર?   

ડમી ઉમેદવાર મામલે ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો બાદ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા લીધા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બિપીન ત્રિવેદીના નિવેદન બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ શકે છે. આ બધા વચ્ચે આ મામલે યુવરાજસિંહે સરકારને પ્રશ્નો પૂછ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.