ડમી કાંડ મુદ્દે પૈસા લેવાના આક્ષેપો વચ્ચે યુવરાજસિંહે સરકારને પૂછ્યા સવાલ, જાણો કયા વિભાગમાં કૌભાંડ અંગે કરી યુવરાજસિંહે વાત


  • Published By :
  • Published Date : 2023-04-17 15:15:26

થોડા સમય પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાની વાત પૂરાવા સાથે યુવરાજસિંહે રજૂ કરી હતી. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. 36 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એ મામલે ચાર જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહે સરકારને આકરા સવાલ પૂછ્યા છે. અનેક વખત સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે યુવરાજસિંહે સરકારને પૂછ્યું છે કે 12 વર્ષ સુધી સરકારે કેટલા રુપિયા ખાધા છે? તે ઉપરાંત એવું પણ કહ્યું કે હજુ વનવિભાગ અને યુનિવર્સિટીના કૌભાંડો સામે આવશે.        

સિસ્ટમમાંથી સડો દૂર કરવા યુવરાજસિંહનો પ્રયત્ન!  

યુવરાજસિંહે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર તમારી, કાઈ એકેડેમી તમારી કોઈ વ્યક્તિ ઘૂસી જાય છે. આધાર પૂરાવા આપીએ છીએ. કારણ કે સિસ્ટમનો સડો દૂર કરવો છે. આ કારણે પાર્ટીને પણ દૂર રાખી છે. છેલ્લા 12 વર્ષથી કૌભાંડ ચાલતું હતું. કોઈ ભરતી બાકી નથી રાખી, કેટલાય મંત્રી મુખ્યમંત્રી સત્તાધીશો બદલી નાખ્યા તો માટે એવું સમજવાનું કે આ બધાએ પૈસા ખાધા છે? સરકારને પડકાર ફેંકતા કહ્યું કે એક એકને સામે લાવીશ. મને જેલમાં નાખી દો તો પણ લડીશ. એનઆઈઓસમાં, વનવિભાગની ભરતીમાં દોડનાર અલગ, પ્રિલિમ આપનાર અલગ અને નોકરી કરનાર અલગ છે.  


યુવરાજસિંહ વિરૂદ્ધ નોંધાઈ શકે છે એફઆઈઆર?   

ડમી ઉમેદવાર મામલે ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો બાદ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા લીધા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બિપીન ત્રિવેદીના નિવેદન બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ શકે છે. આ બધા વચ્ચે આ મામલે યુવરાજસિંહે સરકારને પ્રશ્નો પૂછ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.