વિરોધ કરી રહેલા ST વિભાગના કર્મચારીઓના સમર્થનમાં આવ્યા યુવરાજસિંહ, સાંભળો આ મુદ્દે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-01 12:14:23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ટેટ-ટાટ ઉમેદવારો કાયમ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે અનેક વખત વિરોધ કરી રહ્યા છે.  હવે એસટી વિભાગના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં દેખાય છે. ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસટી બસના કર્મચારીઓને હડહડતો અન્યાય થયો છે તેવી વાત કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા છે. તેમણે વીડિયો શેર કરી આ અંગેની વાત કરી હતી. 

યુવરાજસિંહ આવ્યા એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં 

ભાવિ શિક્ષકો એક તરફ કાયમી ભરતીની માગ કરી રહ્યા છે તો બીજી તરફ એસટી વિભાગના કર્મચારીઓએ પણ આંદોલનના રસ્તા પર અગ્રેસર છે. યુવરાજસિંહ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા ત્યારે હવે તેઓ એસટી કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા તેમણે આ મામલે ટ્વિટ કરી હતી. ત્યારે હવે તેમણે એક વીડિયો શેર કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.

શું છે સમગ્ર મામલો?

રાજ્ય સરકારે ફિક્સ પગાર કર્મચારીઓને પગાર વધારો કરીને 18,500 માંથી  19,950 આપવાની જાહેરાત કરી છે. જ્યારે 18/10/23 ના રોજ રાજ્ય સરકારે રાજ્યના ક્લાસ 3 ના કર્મીઓને 30% વધારીને 26000 આપવા જણાવેલ છે તેમજ અન્ય રાજ્ય હસ્તકના નિગમ/બોર્ડ ને પણ ફિકસ પગાર 26000 વધારો મંજૂર કરેલ છે પણ એસ ટી ના ફિક્સ પગાર કર્મીઓ ને 19,950 આપવાનું જાણવા મળ્યું છે જે અન્ય કર્મીઓ સાથેની તુલનામાં ખૂબ જ અન્યાયકારી નિર્ણય કહીં શકાય તેવો છે. જો બધા નિગમ બોર્ડમાં કર્મીઓનો પગાર વધી શકતો હોય તો એસ.ટીના ફિક્સ કર્મીઓનો કેમ નહિ તે વાત કર્મચારીઓ પૂછી રહ્યા છે? દર વખતે સરકાર એસટી કર્મીઓને અન્ય કર્મીઓની તુલનામાં ઓછો જ પગાર આપે છે. 


શું એસટી વિભાગના કમર્ચારીઓેને પરિવાર નથી હોતો?

રાજ્ય સરકારના એવા તો કયા કાયદા છે જેના અંતર્ગત એસ.ટીના જ કર્મીઓને ઓછો પગાર આપે છે? એસ.ટી.નિગમના કર્મચારીઓ રાત દિવસ , કાતિલ ઠંડીમાં અસહ્ય તડકા માં, મુશળધાર વરસાદ માં ના કોઈ તહેવાર પર  રજા મળે કે ના કોઈ પ્રસંગો માં હાજરી આપી શકાય છતા ડ્યુટી કરે છે અને સેવા આપે છે છતાં પણ પગાર આટલો ઓછો કેમ? શું એસ.ટી કર્મચારીને પરિવાર નથી? સામાજિક જવાબદારી નથી?  બીમાર નથી પડતા? બાળકોનું શિક્ષણ ,સામાજિક જવાબદારી, પ્રસંગો, જીવન જરૂરીયાત માટે વસ્તુઓ ખરીદવી પડતી નહીં હોય? કોઈ વાર વિચાર કરજો મગજ વિચારવાનું બંધ કરી દેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.