વિરોધ કરી રહેલા ST વિભાગના કર્મચારીઓના સમર્થનમાં આવ્યા યુવરાજસિંહ, સાંભળો આ મુદ્દે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-01 12:14:23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ટેટ-ટાટ ઉમેદવારો કાયમ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે અનેક વખત વિરોધ કરી રહ્યા છે.  હવે એસટી વિભાગના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં દેખાય છે. ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસટી બસના કર્મચારીઓને હડહડતો અન્યાય થયો છે તેવી વાત કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા છે. તેમણે વીડિયો શેર કરી આ અંગેની વાત કરી હતી. 

યુવરાજસિંહ આવ્યા એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં 

ભાવિ શિક્ષકો એક તરફ કાયમી ભરતીની માગ કરી રહ્યા છે તો બીજી તરફ એસટી વિભાગના કર્મચારીઓએ પણ આંદોલનના રસ્તા પર અગ્રેસર છે. યુવરાજસિંહ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા ત્યારે હવે તેઓ એસટી કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા તેમણે આ મામલે ટ્વિટ કરી હતી. ત્યારે હવે તેમણે એક વીડિયો શેર કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.

શું છે સમગ્ર મામલો?

રાજ્ય સરકારે ફિક્સ પગાર કર્મચારીઓને પગાર વધારો કરીને 18,500 માંથી  19,950 આપવાની જાહેરાત કરી છે. જ્યારે 18/10/23 ના રોજ રાજ્ય સરકારે રાજ્યના ક્લાસ 3 ના કર્મીઓને 30% વધારીને 26000 આપવા જણાવેલ છે તેમજ અન્ય રાજ્ય હસ્તકના નિગમ/બોર્ડ ને પણ ફિકસ પગાર 26000 વધારો મંજૂર કરેલ છે પણ એસ ટી ના ફિક્સ પગાર કર્મીઓ ને 19,950 આપવાનું જાણવા મળ્યું છે જે અન્ય કર્મીઓ સાથેની તુલનામાં ખૂબ જ અન્યાયકારી નિર્ણય કહીં શકાય તેવો છે. જો બધા નિગમ બોર્ડમાં કર્મીઓનો પગાર વધી શકતો હોય તો એસ.ટીના ફિક્સ કર્મીઓનો કેમ નહિ તે વાત કર્મચારીઓ પૂછી રહ્યા છે? દર વખતે સરકાર એસટી કર્મીઓને અન્ય કર્મીઓની તુલનામાં ઓછો જ પગાર આપે છે. 


શું એસટી વિભાગના કમર્ચારીઓેને પરિવાર નથી હોતો?

રાજ્ય સરકારના એવા તો કયા કાયદા છે જેના અંતર્ગત એસ.ટીના જ કર્મીઓને ઓછો પગાર આપે છે? એસ.ટી.નિગમના કર્મચારીઓ રાત દિવસ , કાતિલ ઠંડીમાં અસહ્ય તડકા માં, મુશળધાર વરસાદ માં ના કોઈ તહેવાર પર  રજા મળે કે ના કોઈ પ્રસંગો માં હાજરી આપી શકાય છતા ડ્યુટી કરે છે અને સેવા આપે છે છતાં પણ પગાર આટલો ઓછો કેમ? શું એસ.ટી કર્મચારીને પરિવાર નથી? સામાજિક જવાબદારી નથી?  બીમાર નથી પડતા? બાળકોનું શિક્ષણ ,સામાજિક જવાબદારી, પ્રસંગો, જીવન જરૂરીયાત માટે વસ્તુઓ ખરીદવી પડતી નહીં હોય? કોઈ વાર વિચાર કરજો મગજ વિચારવાનું બંધ કરી દેશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.