પુરાવા સાથે યુવરાજસિંહ નવું કૌભાંડ લઈને આવ્યા સામે, કહ્યું "પરીક્ષા બીજો આપે અને નોકરી બીજો કરે... આ વળી કેવી સિસ્ટમ?"


  • Published By :
  • Published Date : 2023-04-05 14:13:17

છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈ અનેક ઘટસ્ફોટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક પેપર ફૂટ્યા હોવાની માહિતી યુવરાજસિંહ લઈને આવ્યા હતા. જે બાદ કોમ્પ્યુટર પેપર ફૂ્ટ્યાની માહિતી લઈને યુવરાજસિંહ આવ્યા હતા. અનેક વાતોનો ઘટસ્ફોટ યુવરાજસિંહ પુરાવા સાથે કરતા હોય છે. .ત્યારે આજે ફરી એક વખત યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે. 


પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસતા હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ  

પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમના દાવા મુજબ ન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં પણ ડમી વિદ્યાર્થીઓ બેસી પરીક્ષા આપે છે. યુવરાજ સિંહે પૂરાવા સાથે ઉપરાંત નામ સાથે આરોપો લગાવ્યા છે. ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓમાં આવું થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. 


નામ સાથે યુવરાજસિંહે આ વ્યક્તિઓ પર લગાવ્યા આક્ષેપ!   

યુવરાજસિંહના દાવા મૂજબ ક્લાસ-3, 2021-22માં ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. Laboratory Technician 2021-22ની પરીક્ષામાં કવિતકુમાર નીતિનભાઈ રાવની બદલીમાં મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. તે ઉપરાંત ક્લાસ-3, 2021-22માં અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ વિમલે પરીક્ષા આપી હતી અને ક્લાસ -3, 2021-22માં જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી. 


સરકાર પાસે યુવરાજસિંહે કરી આ માગ 

વધતી ગેરરીતીને જોતા સરકાર પાસે યુવરાજસિંહે માગણી કરી છે કે તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને તેમની સાથે સાથે તેમના એજન્ટોને પણ પકડવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી હતી 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.