પુરાવા સાથે યુવરાજસિંહ નવું કૌભાંડ લઈને આવ્યા સામે, કહ્યું "પરીક્ષા બીજો આપે અને નોકરી બીજો કરે... આ વળી કેવી સિસ્ટમ?"


  • Published By :
  • Published Date : 2023-04-05 14:13:17

છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈ અનેક ઘટસ્ફોટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક પેપર ફૂટ્યા હોવાની માહિતી યુવરાજસિંહ લઈને આવ્યા હતા. જે બાદ કોમ્પ્યુટર પેપર ફૂ્ટ્યાની માહિતી લઈને યુવરાજસિંહ આવ્યા હતા. અનેક વાતોનો ઘટસ્ફોટ યુવરાજસિંહ પુરાવા સાથે કરતા હોય છે. .ત્યારે આજે ફરી એક વખત યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે. 


પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસતા હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ  

પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમના દાવા મુજબ ન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં પણ ડમી વિદ્યાર્થીઓ બેસી પરીક્ષા આપે છે. યુવરાજ સિંહે પૂરાવા સાથે ઉપરાંત નામ સાથે આરોપો લગાવ્યા છે. ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓમાં આવું થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. 


નામ સાથે યુવરાજસિંહે આ વ્યક્તિઓ પર લગાવ્યા આક્ષેપ!   

યુવરાજસિંહના દાવા મૂજબ ક્લાસ-3, 2021-22માં ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. Laboratory Technician 2021-22ની પરીક્ષામાં કવિતકુમાર નીતિનભાઈ રાવની બદલીમાં મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. તે ઉપરાંત ક્લાસ-3, 2021-22માં અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ વિમલે પરીક્ષા આપી હતી અને ક્લાસ -3, 2021-22માં જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી. 


સરકાર પાસે યુવરાજસિંહે કરી આ માગ 

વધતી ગેરરીતીને જોતા સરકાર પાસે યુવરાજસિંહે માગણી કરી છે કે તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને તેમની સાથે સાથે તેમના એજન્ટોને પણ પકડવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી હતી 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે