પુરાવા સાથે યુવરાજસિંહ નવું કૌભાંડ લઈને આવ્યા સામે, કહ્યું "પરીક્ષા બીજો આપે અને નોકરી બીજો કરે... આ વળી કેવી સિસ્ટમ?"


  • Published By :
  • Published Date : 2023-04-05 14:13:17

છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈ અનેક ઘટસ્ફોટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક પેપર ફૂટ્યા હોવાની માહિતી યુવરાજસિંહ લઈને આવ્યા હતા. જે બાદ કોમ્પ્યુટર પેપર ફૂ્ટ્યાની માહિતી લઈને યુવરાજસિંહ આવ્યા હતા. અનેક વાતોનો ઘટસ્ફોટ યુવરાજસિંહ પુરાવા સાથે કરતા હોય છે. .ત્યારે આજે ફરી એક વખત યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે. 


પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસતા હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ  

પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમના દાવા મુજબ ન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં પણ ડમી વિદ્યાર્થીઓ બેસી પરીક્ષા આપે છે. યુવરાજ સિંહે પૂરાવા સાથે ઉપરાંત નામ સાથે આરોપો લગાવ્યા છે. ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓમાં આવું થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. 


નામ સાથે યુવરાજસિંહે આ વ્યક્તિઓ પર લગાવ્યા આક્ષેપ!   

યુવરાજસિંહના દાવા મૂજબ ક્લાસ-3, 2021-22માં ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. Laboratory Technician 2021-22ની પરીક્ષામાં કવિતકુમાર નીતિનભાઈ રાવની બદલીમાં મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. તે ઉપરાંત ક્લાસ-3, 2021-22માં અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ વિમલે પરીક્ષા આપી હતી અને ક્લાસ -3, 2021-22માં જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી. 


સરકાર પાસે યુવરાજસિંહે કરી આ માગ 

વધતી ગેરરીતીને જોતા સરકાર પાસે યુવરાજસિંહે માગણી કરી છે કે તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને તેમની સાથે સાથે તેમના એજન્ટોને પણ પકડવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી હતી 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.