યુવરાજસિંહએ કર્યા સતાપક્ષ પર પ્રહાર !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 14:56:50

ખેડામાં મહિપતસિંહ ચૌહાણ સહિત 3 લોકો એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

મામલે  મહિપતસિંહ ચૌહાણના સમર્થનમાં  યુવરાજસિંહ જાડેજા આવ્યા છે.  બાબતે તેમણે કહ્યું કે, જે રીતે રાજકીય કિન્નાખોરી રાખી મહિપતસિંહ ચૌહાણને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. 

યુવરાજસિંહએ કહ્યું મહિપતસિંહ ચૌહાણ એકલા નથી. ગુજરાતનો તમામ યુવા વર્ગ એની સાથે ખભો થી ખભો મીલાવી ઉભો છે. અને મહિપતસિંહ છે જેને હંમેશા જ્ઞાતિ જાતિ જોયા વિના દરેક સમાજની મદદ કરી છે. સર્વ સમાજ હિત માટે સેના ચલાવી છે. મજદૂરના હક માટે લડ્યા છે. તો ક્યારેય એને પૂછવા નથી ગયા તમે ક્યાં જ્ઞાતિ ના, જે નિઃસહાય બાળકો છે એને સક્ષમ બનાવવા શિક્ષણ સંકુલ માધ્યમ થી મદદ કરી છે. એમને ફસાવવા કે એનો અવાજ દબાવવા માટે કિન્નાખોરી રાખી ઊભા કરેલ એકપણ બનાવટી કેસથી કોઈ અસર નહીં પડે.

 

વિરોધ પક્ષ પર પ્રહાર

યુવરાજ સિંહ જાડેજા સતાપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું છેલ્લે કેટલાય સમયથી ભ્રષ્ટ સત્તાપક્ષ જે પણ સામજિક આગેવાન છે, ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને હેરાન પરેશાન કરી રહી છે. મહીપતસિંહ ચિંતાના કરતા અમે તમામ આપની સાથે છીએ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.