યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ, AAP નેતાએ જમાવટને શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-27 16:32:06

આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં. ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. શક્તિ સિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ભરતી અભિયાન તેજ બન્યું છે. આજે આપ નેતા અને જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથેની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકારણ ગરમાયું છે. યુવરાજ સિંહ જાડેજા કાંઈક નવાજુની કરશે તેને લઈને અટકળોનું બજાર ગરમ થયું છે.


યુવરાજસિંહે આ વાતનો કર્યો ઈન્કાર

 

26 ઓગસ્ટે યુવરાજસિંહ જાડેજાનો બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યક્રમ હતો જેમાં તે યુવાનોના પ્રશ્નો મુદ્દે વાત કરી રહ્યા હતા અને યુવાનોના પરીક્ષા લગતા જેટલા મુદ્દા હોય તે કેવી રીતે નિકાલ કરી શકાય તેની વાત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ  બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના બંને નેતાઓ હાજર હોવાના કારણે એવી વાતો થવા લાગી કે યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાશે આ સમગ્ર મામલે સત્યતા શું છે એ જાણવા માટે જમાવટે યુવરાજસિંહ જાડેજા સાથે ફોન પર વાત કરી તો તેમણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી