યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ, AAP નેતાએ જમાવટને શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-27 16:32:06

આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં. ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. શક્તિ સિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ભરતી અભિયાન તેજ બન્યું છે. આજે આપ નેતા અને જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથેની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકારણ ગરમાયું છે. યુવરાજ સિંહ જાડેજા કાંઈક નવાજુની કરશે તેને લઈને અટકળોનું બજાર ગરમ થયું છે.


યુવરાજસિંહે આ વાતનો કર્યો ઈન્કાર

 

26 ઓગસ્ટે યુવરાજસિંહ જાડેજાનો બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યક્રમ હતો જેમાં તે યુવાનોના પ્રશ્નો મુદ્દે વાત કરી રહ્યા હતા અને યુવાનોના પરીક્ષા લગતા જેટલા મુદ્દા હોય તે કેવી રીતે નિકાલ કરી શકાય તેની વાત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ  બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના બંને નેતાઓ હાજર હોવાના કારણે એવી વાતો થવા લાગી કે યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાશે આ સમગ્ર મામલે સત્યતા શું છે એ જાણવા માટે જમાવટે યુવરાજસિંહ જાડેજા સાથે ફોન પર વાત કરી તો તેમણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.