યુવરાજસિંહ જાડેજા પર લાગ્યો પૈસા લેવાનો આરોપ! ડમી વિદ્યાર્થી મુદ્દે નામ ન લેવા યુવરાજસિંહે લીધા લાખો રૂપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-15 14:37:21

ડમી વિદ્યાર્થી મામલે યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. અનેક લોકોના નામની જાહેરાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ મામલો યુવરાજસિંહ સુધી પહોંચ્યો છે. યુવરાજસિંહ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મુખ્યસૂત્રધાર યુવરાજસિંહ હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવરાજસિંહે નામ નહીં લેવાની શરતે લાખો રૂપિયા લીધા છે.

     


નામ છુપાવવા યુવરાજસિંહે લીધા લાખો રુપિયા!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ બિપીન ત્રિવેદી નામના એક વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ આરોપ તેમના જૂના સાથી બિપીન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો છે. બિપીન ત્રિવેદીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે કહી રહ્યો છે તેમણે યુવરાજસિંહ પર આરોપો લગાવ્યા છે. તે વીડિયો મુજબ ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા રુપિયા લીધા છે. 


યુવરાજસિંહે આ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા 

આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકીય વ્યક્તિનું કદ, મંત્રી પદ ગયું તે મારા કારણે ગયું છે તેવું તેને લાગે છે. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે મને 2 કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું છોડીશ નહી. લડી લેવા તૈયાર જ છીએ. બિપિન ત્રિવેદી અંગે તેમણે કહ્યું કે હું આ બિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું. પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.