યુવરાજસિંહ જાડેજા પર લાગ્યો પૈસા લેવાનો આરોપ! ડમી વિદ્યાર્થી મુદ્દે નામ ન લેવા યુવરાજસિંહે લીધા લાખો રૂપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-15 14:37:21

ડમી વિદ્યાર્થી મામલે યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. અનેક લોકોના નામની જાહેરાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ મામલો યુવરાજસિંહ સુધી પહોંચ્યો છે. યુવરાજસિંહ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મુખ્યસૂત્રધાર યુવરાજસિંહ હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવરાજસિંહે નામ નહીં લેવાની શરતે લાખો રૂપિયા લીધા છે.

     


નામ છુપાવવા યુવરાજસિંહે લીધા લાખો રુપિયા!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ બિપીન ત્રિવેદી નામના એક વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ આરોપ તેમના જૂના સાથી બિપીન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો છે. બિપીન ત્રિવેદીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે કહી રહ્યો છે તેમણે યુવરાજસિંહ પર આરોપો લગાવ્યા છે. તે વીડિયો મુજબ ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા રુપિયા લીધા છે. 


યુવરાજસિંહે આ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા 

આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકીય વ્યક્તિનું કદ, મંત્રી પદ ગયું તે મારા કારણે ગયું છે તેવું તેને લાગે છે. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે મને 2 કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું છોડીશ નહી. લડી લેવા તૈયાર જ છીએ. બિપિન ત્રિવેદી અંગે તેમણે કહ્યું કે હું આ બિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું. પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે