યુવરાજસિંહ જાડેજા પર લાગ્યો પૈસા લેવાનો આરોપ! ડમી વિદ્યાર્થી મુદ્દે નામ ન લેવા યુવરાજસિંહે લીધા લાખો રૂપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-15 14:37:21

ડમી વિદ્યાર્થી મામલે યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. અનેક લોકોના નામની જાહેરાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ મામલો યુવરાજસિંહ સુધી પહોંચ્યો છે. યુવરાજસિંહ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મુખ્યસૂત્રધાર યુવરાજસિંહ હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવરાજસિંહે નામ નહીં લેવાની શરતે લાખો રૂપિયા લીધા છે.

     


નામ છુપાવવા યુવરાજસિંહે લીધા લાખો રુપિયા!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ બિપીન ત્રિવેદી નામના એક વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ આરોપ તેમના જૂના સાથી બિપીન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો છે. બિપીન ત્રિવેદીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે કહી રહ્યો છે તેમણે યુવરાજસિંહ પર આરોપો લગાવ્યા છે. તે વીડિયો મુજબ ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા રુપિયા લીધા છે. 


યુવરાજસિંહે આ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા 

આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકીય વ્યક્તિનું કદ, મંત્રી પદ ગયું તે મારા કારણે ગયું છે તેવું તેને લાગે છે. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે મને 2 કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું છોડીશ નહી. લડી લેવા તૈયાર જ છીએ. બિપિન ત્રિવેદી અંગે તેમણે કહ્યું કે હું આ બિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું. પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.