પેપર લીક કાંડ મામલે યુવરાજ સિંહ જાડેજાના ચોંકાવનારા ખુલાસા, શું કહયું AAPના નેતાએ?


  • Published By :
  • Published Date : 2023-02-02 15:14:12

સમગ્ર રાજ્યમાં પેપર લીક કાંડને લઈ આક્રોસનો માહોલ છે અને ઉમેદવારો ધરણા- પ્રદર્શનો કરી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ પેપર લીક મુદ્દે કેટલાક સનસનીખેજ ખુલાસા કર્યા છે. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને યુવરાજ સિંહે આ ઘટસ્ફોટ કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું કે, રવિવારના રોજ પરીક્ષામાં પેપર ફૂટવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેના જ ભાગરૂપે જે તપાસ થઇ તેની ATSએ તપાસ કરી. ATSએ કરેલી તપાસમાં જે પણ નામ સામે આવ્યા છે, જે 16 શંકાસ્પદ વ્યક્તિઓ પેપર ફોડવાની  ઘટના સાથે સંકળાયેલા હતા તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે નામ જાહેર થયા છે તેમાં મુખ્ય 3 વ્યક્તિઓ કે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા (પ્રાંતિજ) કે જેઓ માત્ર જુનિયર ક્લાર્કના પેપર લીક સાથે જ સંકળાયેલા નથી. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઓનલાઇન પરીક્ષાના કૌભાંડ સાથે સીધા સંકળાયેલા છે. જેમ કે, ભૂતકાળમાં જે-જે પણ પરીક્ષાઓ લેવાઇ છે તેમાં મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને પણ 70થી 80 લાખ રૂપિયા ઉઘરાવેલા છે.'


PMOને આપ્યા પુરાવા


પેપર લીક કાંડના પુરાવા અંગે યુવરાજ સિંહે કહ્યું કે અમારી પાસે જેટલાં પુરાવા છે તે તમામ PMOના ડેશબોર્ડમાં મોકલી આપ્યા છે, હજુ બીજા પણ આધાર પુરાવા છે. ATS ચીફને અમે તમામ પુરાવા આપવા માંગીએ છીએ.' વધુમાં તેમણે કહ્યું કે, 'ઉર્જા વિભાગનું એક વર્ષ પહેલાં 4 જાન્યુઆરી 2021ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને મે જાણ કરેલી કે ઉર્જા વિભાગમાં સિસ્ટમેટિક ઓનલાઇન સ્કેમ ચાલી રહ્યું છે. એની સાથે પણ આ જ વ્યક્તિઓ સીધી રીતે સંકળાયેલા છે. આ જ ભાસ્કર ચૌધરી અને તેની બીજી ગેંગ કે જે અન્ય રાજ્યોના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. જેનું અમે આજથી 1 વર્ષ પહેલાં સ્ટિંગ પણ કર્યું હતું."


કેતન બારોટ છે માસ્ટરમાઈન્ડ


યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, 'કેતન બારોટ કે જે અરવલ્લી સાથે સંકળાયેલો છે અને અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. કેતન બારોટનું મોસાળ નરસિંહપુર છે. અવિનાશ પટેલ પેપર લીકમાં સીધો જોડાયેલો છે. અવિનાશ પટેલના પત્ની અને અન્ય સંબંધી ઉર્જા વિભાગમાં નોકરી કરે છે. અવિનાશના પત્નીનું સર્ટિફિકેટ ખોટું છે.'


નિશિકાંત સિંહાની ટોચના બ્યુરોક્રેટ સાથે સાંઠગાંઠ


યુવરાજ સિંહએ જણાવ્યું કે, અવિનાશ પટેલ કે જે અરવિંદ પટેલનો ભાણો છે. મનહર પટેલ, અરવિંદ, અવિનાશ પટેલ અને અજય પટેલ સાથે જોડાયેલા છે. LRD પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનામાં પણ આરોપીઓ સંકળાયેલા છે. 2014 પછીની ભરતીની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે. મોબાઈલ ડિટેઈલના માધ્યમથી આ તમામ બાબતો સ્પષ્ટ થશે. નિશિકાંત સિંહાની ભૂમિકા આમાં મુખ્ય રહેલી છે તેની ધરપકડ થવી જોઈએ, તે રાજકીય વગ ધરાવે છે. નિશિકાંત સિંહા બ્યુરોક્રેટ સાથે જોડાયેલ છે. ભાસ્કર ચૌધરીને તિહાડ જેલમાંથી નિશિકાંત સિંહાએ છોડાવ્યો હતો. નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ આ સમગ્ર સ્કેન્ડલ સાથે જોડાયેલા છે. 2016થી આ તમામની ભૂમિકા શંકાસ્પદ રહેલી છે. છેલ્લાં 4 વર્ષમાં તેમની 10 કરોડ કરતા વધુની પ્રોપર્ટીમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારની તમામ ઓનલાઇન ભરતીમાં ફ્રોડ કરવામાં આવ્યું છે. ત્યારે સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવો જરૂરી છે.'



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.