PSI ભરતીને લઈ યુવરાજ સિંહનો મોટો ઘડાકો, PSIની ટ્રેનિંગ લઈ રહેલા યુવાનનો ભાંડો ફોડ્યો


  • Published By :
  • Published Date : 2023-02-27 15:24:47

આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સરકારી ભરતીઓમાં ચાલતી ગેરરીતિઓને સતત બહાર લાવતા રહે છે. આજે યુવરાજ સિંહે યોજેલી એક પ્રેસ કોન્ફરર્ન્સમાં PSIની ટ્રેનિંગ લઈ રહેલા એક યુવાનનો ભાંડો ફોડ્યો છે. મયુર તડવી નામનો આ યુવાન કોઈ પણ પરીક્ષા પાસ કર્યા વગર જ કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે.


યુવરાજ સિંહે શું આરોપ લગાવ્યો


યુવરાજ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવતા કહ્યું કે મયૂર તડવી નામના યુવાનનું ફીઝીકલમાં કે ફાઈનલ રીઝલ્ટમાં નામ નથી. તેમ છતાં પણ તે કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજ સિંહે સવાલ ઉઠાવ્યો કે આ ભાઈ પોલીસ ટ્રેઈનિંગ સેન્ટર સુધી કેવી રીતે પહોંચ્યો?, ટ્રેઈનિંગ પહેલા કરાઈ પોલીસ એકેડેમીમાં તેના ડોક્યુમેન્ટ વેરિફાય કેમ ન કરવામાં આવ્યા?, આ ભરતી કૌંભાડ પાછળ  યુવરાજ સિંહએ ઉચ્ચ અધિકારીઓ અને બિરસા મુંડા ભવનની મિલીભગતનો આરોપ લગાવ્યો છે, વળી આ યુવાન એક મહિનાથી પગાર લઈ રહ્યો છે.


પોલીસ એકેડેમીમાં ધુપ્પલ ચાલે છે?


યુવરાજ સિંહ જાડેજાએ કરાઈ પોલીસ એકેડેમીને પણ નિશાન બનાવી છે. તેમણે કરાઈ એકેડેમીમાં ચાલી રહેલી ગેરરીતીઓ પર સીધો સવાલ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે પોલીસ ટ્રેઈનિંગમાં મયૂર તડવીને ચેસ્ટ નંબર આપવામાં આવ્યો છે. કરાઈ એકેડેમી ટ્રેઈનિંગ સેન્ટરમાં મયૂર લાલજીભાઈ તડવીનો ચેસ્ટ નંબર 140 છે. મયૂર લાલજીભાઈ તડવી હાલ કરાઈ ટ્રેઈનિંગ સેન્ટરમાં તાલીમ લઈ રહ્યા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.