PSI ભરતીને લઈ યુવરાજ સિંહનો મોટો ઘડાકો, PSIની ટ્રેનિંગ લઈ રહેલા યુવાનનો ભાંડો ફોડ્યો


  • Published By :
  • Published Date : 2023-02-27 15:24:47

આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સરકારી ભરતીઓમાં ચાલતી ગેરરીતિઓને સતત બહાર લાવતા રહે છે. આજે યુવરાજ સિંહે યોજેલી એક પ્રેસ કોન્ફરર્ન્સમાં PSIની ટ્રેનિંગ લઈ રહેલા એક યુવાનનો ભાંડો ફોડ્યો છે. મયુર તડવી નામનો આ યુવાન કોઈ પણ પરીક્ષા પાસ કર્યા વગર જ કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે.


યુવરાજ સિંહે શું આરોપ લગાવ્યો


યુવરાજ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવતા કહ્યું કે મયૂર તડવી નામના યુવાનનું ફીઝીકલમાં કે ફાઈનલ રીઝલ્ટમાં નામ નથી. તેમ છતાં પણ તે કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજ સિંહે સવાલ ઉઠાવ્યો કે આ ભાઈ પોલીસ ટ્રેઈનિંગ સેન્ટર સુધી કેવી રીતે પહોંચ્યો?, ટ્રેઈનિંગ પહેલા કરાઈ પોલીસ એકેડેમીમાં તેના ડોક્યુમેન્ટ વેરિફાય કેમ ન કરવામાં આવ્યા?, આ ભરતી કૌંભાડ પાછળ  યુવરાજ સિંહએ ઉચ્ચ અધિકારીઓ અને બિરસા મુંડા ભવનની મિલીભગતનો આરોપ લગાવ્યો છે, વળી આ યુવાન એક મહિનાથી પગાર લઈ રહ્યો છે.


પોલીસ એકેડેમીમાં ધુપ્પલ ચાલે છે?


યુવરાજ સિંહ જાડેજાએ કરાઈ પોલીસ એકેડેમીને પણ નિશાન બનાવી છે. તેમણે કરાઈ એકેડેમીમાં ચાલી રહેલી ગેરરીતીઓ પર સીધો સવાલ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે પોલીસ ટ્રેઈનિંગમાં મયૂર તડવીને ચેસ્ટ નંબર આપવામાં આવ્યો છે. કરાઈ એકેડેમી ટ્રેઈનિંગ સેન્ટરમાં મયૂર લાલજીભાઈ તડવીનો ચેસ્ટ નંબર 140 છે. મયૂર લાલજીભાઈ તડવી હાલ કરાઈ ટ્રેઈનિંગ સેન્ટરમાં તાલીમ લઈ રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.