ભાવનગર તોડકાંડ: યુવરાજ સિંહના સાળા શિવુભાના મિત્ર પાસેથી મળ્યા રૂ. 25.50 લાખ રોકડા


  • Published By :
  • Published Date : 2023-04-25 21:44:04

તોડકાંડ મામલે દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ હાલ યુવરાજસિંહ અને તેમના મળતીયાઓ સામે જ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં અવનવા ઘટસ્ફોટ થતા જોવા મળે છે. જેમ કે આજે યુવરાજ સિંહના સાળા શિવભદ્રસિંહ ગોહિલે (શિવુભા)એ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. હવે તેમના એક મિત્ર પાસેથી પોલીસે રૂ. 25,50,000 કબ્જે કર્યા છે.


મિત્રએ રૂપિયા હોવાની કરી કબુલાત


ભાવનગર પોલીસના જણાવ્યા પ્રમાણે શિવુભાના મિત્ર સંજય ખીમજી જેઠવાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણે પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું હતું કે તેમના મિત્ર શિવુભા ગોહિલ થોડા દિવસો પહેલા તેના ઘરે આવ્યા હતા અને એક થેલો તેમને રાખવા માટે આપ્યો હતો. અને કહ્યું હતું કે તે સાચવીને રાખજે અને હું આવું ત્યારે તે મને પરત આપી દેજે" પોલીસે તે થેલો સરકારી પંચોની હાજરીમાં ખોલ્યો હતો તેમાંથી રોકડ મળી આવી હતી. પોલીસે નાણાની ગણત્રી કરતા 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા.


નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક મળી


નાણા ઉપરાંત આ થેલામાંથી પોલીસને એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે. આ અંગે સંજય જેઠવાએ આ હાર્ડડિસ્ક વિક્ટોરિયા પ્રાઇમ ખાતે આવેલી ઓફીસના સીસીટીવીની છે. જેના પગલે આ હાર્ડ ડ્રાઇવ પણ FSLને મોકલી આપવામાં આવી હતી. આટલી મોટી રકમ મળી આવતા તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.