ભાવનગર તોડકાંડ: યુવરાજ સિંહના સાળા શિવુભાના મિત્ર પાસેથી મળ્યા રૂ. 25.50 લાખ રોકડા


  • Published By :
  • Published Date : 2023-04-25 21:44:04

તોડકાંડ મામલે દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ હાલ યુવરાજસિંહ અને તેમના મળતીયાઓ સામે જ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં અવનવા ઘટસ્ફોટ થતા જોવા મળે છે. જેમ કે આજે યુવરાજ સિંહના સાળા શિવભદ્રસિંહ ગોહિલે (શિવુભા)એ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. હવે તેમના એક મિત્ર પાસેથી પોલીસે રૂ. 25,50,000 કબ્જે કર્યા છે.


મિત્રએ રૂપિયા હોવાની કરી કબુલાત


ભાવનગર પોલીસના જણાવ્યા પ્રમાણે શિવુભાના મિત્ર સંજય ખીમજી જેઠવાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણે પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું હતું કે તેમના મિત્ર શિવુભા ગોહિલ થોડા દિવસો પહેલા તેના ઘરે આવ્યા હતા અને એક થેલો તેમને રાખવા માટે આપ્યો હતો. અને કહ્યું હતું કે તે સાચવીને રાખજે અને હું આવું ત્યારે તે મને પરત આપી દેજે" પોલીસે તે થેલો સરકારી પંચોની હાજરીમાં ખોલ્યો હતો તેમાંથી રોકડ મળી આવી હતી. પોલીસે નાણાની ગણત્રી કરતા 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા.


નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક મળી


નાણા ઉપરાંત આ થેલામાંથી પોલીસને એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે. આ અંગે સંજય જેઠવાએ આ હાર્ડડિસ્ક વિક્ટોરિયા પ્રાઇમ ખાતે આવેલી ઓફીસના સીસીટીવીની છે. જેના પગલે આ હાર્ડ ડ્રાઇવ પણ FSLને મોકલી આપવામાં આવી હતી. આટલી મોટી રકમ મળી આવતા તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.