ભાવનગર તોડકાંડ: યુવરાજ સિંહના સાળા શિવુભાના મિત્ર પાસેથી મળ્યા રૂ. 25.50 લાખ રોકડા


  • Published By :
  • Published Date : 2023-04-25 21:44:04

તોડકાંડ મામલે દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ હાલ યુવરાજસિંહ અને તેમના મળતીયાઓ સામે જ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં અવનવા ઘટસ્ફોટ થતા જોવા મળે છે. જેમ કે આજે યુવરાજ સિંહના સાળા શિવભદ્રસિંહ ગોહિલે (શિવુભા)એ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. હવે તેમના એક મિત્ર પાસેથી પોલીસે રૂ. 25,50,000 કબ્જે કર્યા છે.


મિત્રએ રૂપિયા હોવાની કરી કબુલાત


ભાવનગર પોલીસના જણાવ્યા પ્રમાણે શિવુભાના મિત્ર સંજય ખીમજી જેઠવાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણે પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું હતું કે તેમના મિત્ર શિવુભા ગોહિલ થોડા દિવસો પહેલા તેના ઘરે આવ્યા હતા અને એક થેલો તેમને રાખવા માટે આપ્યો હતો. અને કહ્યું હતું કે તે સાચવીને રાખજે અને હું આવું ત્યારે તે મને પરત આપી દેજે" પોલીસે તે થેલો સરકારી પંચોની હાજરીમાં ખોલ્યો હતો તેમાંથી રોકડ મળી આવી હતી. પોલીસે નાણાની ગણત્રી કરતા 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા.


નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક મળી


નાણા ઉપરાંત આ થેલામાંથી પોલીસને એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે. આ અંગે સંજય જેઠવાએ આ હાર્ડડિસ્ક વિક્ટોરિયા પ્રાઇમ ખાતે આવેલી ઓફીસના સીસીટીવીની છે. જેના પગલે આ હાર્ડ ડ્રાઇવ પણ FSLને મોકલી આપવામાં આવી હતી. આટલી મોટી રકમ મળી આવતા તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે