યુવરાજસિંહનો મોટો દાવો, કહ્યું "હું જેવો બહાર આવીશ એટલે ઘણું બધું બહાર આવશે", સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-15 13:02:33

ગઈકાલે ડમીકાંડના આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ડમીકાંડને લોકો સામે ઉજાગર કરનાર યુવરાજસિંહ હાલ જેલમાં છે. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ડમીકાંડ બાદ તોડકાંડને લઈ ચર્ચાઓ થવા લાગી. તોડકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહ સહિત 6 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં યુવરાજસિંહ સિવાયના લોકોને જામીન મળી ગયા છે પરંતુ તેમને જામીન નથી. જામીન માટે અરજી તેમના દ્વારા કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે તેવી માહિતી સામે આવી છે.   

યુવરાજસિંહને કોર્ટ સમક્ષ કરાયા રજૂ 

રાજ્યમાં ચકચાર મચાવનાર ડમીકાંડમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવે છે. તે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એવા પણ આક્ષેપો યુવરાજસિંહ પર લગાવવામાં આવ્યા હતા કે યુવરાજસિંહ જાડેજાએ જ ડમીકાંડના કેટલાક આરોપીઓના નામ જાહેર ન કરવા માટે પૈસા લીધા હતા. જે બાદ તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે એક કરોડ જેવી રકમ કબજે કરી હતી. તોડકાંડમાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોને જામીન મળી ગયા છે જ્યારે યુવરાજસિંહ હજી પણ જેલના સળિયા પાછળ છે. ગઈકાલે ડમીકાંડના આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. 


યુવરાજસિંહે આપ્યું નિવેદન 

લાંબા સમય બાદ યુવરાજસિંહ દેખાયા છે. યુવરાજસિંહે એક નિવેદન પણ આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે 'જેવો હું બહાર આવીશ એવું નવું જાણવા મળશે. પર્દા પાછળનું પિક્ચર હજી બતાવવાનું બાકી છે'. આજે નહીં તો કાલે ન્યાય મળશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.