યુવરાજસિંહનો મોટો દાવો, કહ્યું "હું જેવો બહાર આવીશ એટલે ઘણું બધું બહાર આવશે", સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-15 13:02:33

ગઈકાલે ડમીકાંડના આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ડમીકાંડને લોકો સામે ઉજાગર કરનાર યુવરાજસિંહ હાલ જેલમાં છે. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ડમીકાંડ બાદ તોડકાંડને લઈ ચર્ચાઓ થવા લાગી. તોડકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહ સહિત 6 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં યુવરાજસિંહ સિવાયના લોકોને જામીન મળી ગયા છે પરંતુ તેમને જામીન નથી. જામીન માટે અરજી તેમના દ્વારા કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે તેવી માહિતી સામે આવી છે.   

યુવરાજસિંહને કોર્ટ સમક્ષ કરાયા રજૂ 

રાજ્યમાં ચકચાર મચાવનાર ડમીકાંડમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવે છે. તે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એવા પણ આક્ષેપો યુવરાજસિંહ પર લગાવવામાં આવ્યા હતા કે યુવરાજસિંહ જાડેજાએ જ ડમીકાંડના કેટલાક આરોપીઓના નામ જાહેર ન કરવા માટે પૈસા લીધા હતા. જે બાદ તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે એક કરોડ જેવી રકમ કબજે કરી હતી. તોડકાંડમાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોને જામીન મળી ગયા છે જ્યારે યુવરાજસિંહ હજી પણ જેલના સળિયા પાછળ છે. ગઈકાલે ડમીકાંડના આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. 


યુવરાજસિંહે આપ્યું નિવેદન 

લાંબા સમય બાદ યુવરાજસિંહ દેખાયા છે. યુવરાજસિંહે એક નિવેદન પણ આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે 'જેવો હું બહાર આવીશ એવું નવું જાણવા મળશે. પર્દા પાછળનું પિક્ચર હજી બતાવવાનું બાકી છે'. આજે નહીં તો કાલે ન્યાય મળશે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.