યુવરાજસિંહનું સ્ફોટક નિવેદન 'ધર્મયુધ્ધ હજુ શરૂ થયું છે, આ તો હજુ અલ્પવિરામ, પૂર્ણવિરામ બાકી છે'


  • Published By :
  • Published Date : 2023-05-01 16:37:49

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ભાવનગર ડમી ઉમેદવાર કાંડ અને તોડકાંડ પ્રકરણમાં એક કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાળા સહિત 6 શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે તેમના તેમના જામીન નામંજુર કરતા કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા છે.


યુવરાજ સિંહ જેલ હવાલે

 

એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો ભાવનગર કોર્ટે હુકમ કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમને લઇ પોલીસ દ્વારા જિલ્લા જેલ ખાતે હાજર કરવામાં આવ્યા છે.


આ તો હજુ શરૂઆત છે: યુવરાજ સિંહ


ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં લઈ જતા પહેલા યુવરાજ સિંહે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આ તો માત્ર હજુ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. વધુમાં તેમણે કહ્યું કે સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને બીજું પણ ઘણું સામે આવશે.


અત્યાર સુધી 84 લાખ રિકવર


ભાવનગર તોડકાંડ મામલે પોલીસે યુવરાજ સિંહના સાળા શિવુભા પાસેથ રૂ. 7.50 લાખ કબજે કર્યા છે. આ તોડકાંડ કેસમાં પોલીસે અત્યાર સુધી 84 લાખ જેટલી રકમ રિકવર કરી છે. આ મામલે પોલીસે યુવરાજ સિંહની સાથે તેમના સાળા કાનભા ગોહિલ તેમજ તોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ ઉર્ફે રાજુને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.