યુવરાજસિંહનું સ્ફોટક નિવેદન 'ધર્મયુધ્ધ હજુ શરૂ થયું છે, આ તો હજુ અલ્પવિરામ, પૂર્ણવિરામ બાકી છે'


  • Published By :
  • Published Date : 2023-05-01 16:37:49

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ભાવનગર ડમી ઉમેદવાર કાંડ અને તોડકાંડ પ્રકરણમાં એક કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાળા સહિત 6 શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે તેમના તેમના જામીન નામંજુર કરતા કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા છે.


યુવરાજ સિંહ જેલ હવાલે

 

એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો ભાવનગર કોર્ટે હુકમ કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમને લઇ પોલીસ દ્વારા જિલ્લા જેલ ખાતે હાજર કરવામાં આવ્યા છે.


આ તો હજુ શરૂઆત છે: યુવરાજ સિંહ


ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં લઈ જતા પહેલા યુવરાજ સિંહે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આ તો માત્ર હજુ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. વધુમાં તેમણે કહ્યું કે સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને બીજું પણ ઘણું સામે આવશે.


અત્યાર સુધી 84 લાખ રિકવર


ભાવનગર તોડકાંડ મામલે પોલીસે યુવરાજ સિંહના સાળા શિવુભા પાસેથ રૂ. 7.50 લાખ કબજે કર્યા છે. આ તોડકાંડ કેસમાં પોલીસે અત્યાર સુધી 84 લાખ જેટલી રકમ રિકવર કરી છે. આ મામલે પોલીસે યુવરાજ સિંહની સાથે તેમના સાળા કાનભા ગોહિલ તેમજ તોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ ઉર્ફે રાજુને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.