યુવરાજસિંહનું સ્ફોટક નિવેદન 'ધર્મયુધ્ધ હજુ શરૂ થયું છે, આ તો હજુ અલ્પવિરામ, પૂર્ણવિરામ બાકી છે'


  • Published By :
  • Published Date : 2023-05-01 16:37:49

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ભાવનગર ડમી ઉમેદવાર કાંડ અને તોડકાંડ પ્રકરણમાં એક કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાળા સહિત 6 શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે તેમના તેમના જામીન નામંજુર કરતા કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા છે.


યુવરાજ સિંહ જેલ હવાલે

 

એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો ભાવનગર કોર્ટે હુકમ કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમને લઇ પોલીસ દ્વારા જિલ્લા જેલ ખાતે હાજર કરવામાં આવ્યા છે.


આ તો હજુ શરૂઆત છે: યુવરાજ સિંહ


ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં લઈ જતા પહેલા યુવરાજ સિંહે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આ તો માત્ર હજુ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. વધુમાં તેમણે કહ્યું કે સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને બીજું પણ ઘણું સામે આવશે.


અત્યાર સુધી 84 લાખ રિકવર


ભાવનગર તોડકાંડ મામલે પોલીસે યુવરાજ સિંહના સાળા શિવુભા પાસેથ રૂ. 7.50 લાખ કબજે કર્યા છે. આ તોડકાંડ કેસમાં પોલીસે અત્યાર સુધી 84 લાખ જેટલી રકમ રિકવર કરી છે. આ મામલે પોલીસે યુવરાજ સિંહની સાથે તેમના સાળા કાનભા ગોહિલ તેમજ તોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ ઉર્ફે રાજુને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.