યુવરાજસિંહ હાજીર હો.... ભાવનગર એસઓજીના સમન્સ બાદ પોલીસ સમક્ષ હાજર થશે યુવરાજસિંહ!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:04:46

ડમી કાંડ મામલે રોજે નવા ખુલાસા થઈ રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે થોડા સમય પહેલા પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે આ મામલે ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે અનેક આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. બધા વચ્ચે યુવરાજસિંહને એસઓજીએ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તે હાજર રહ્યા ન હતા. 


આજે યુવરાજસિંહ એસઓજી સમક્ષ થશે હાજર!

19 એપ્રિલે હાજર થવા યુવરાજસિંહને પહેલું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બપોરના બાર વાગ્યા સુધીનો સમય તેમને આપવામાં આવ્યો હતો. પરંતુ એકાએક તેમની તબિયત બગડી જતા તે હાજર થયા ન હતા. જે બાદ યુવરાજસિંહની પત્નીએ ટ્વિટ કરી જેમાં તેમણે પોલીસ પાસે દસ દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ પોલીસે યુવરાજસિંહને બીજું સમન્સ પાઠવ્યું હતું અને 21 એપ્રિલે બાર વાગ્યા પહેલા હાજર થવા કહેવામાં આવ્યું હતું. ત્યારે આજે ભાવનગરમાં આર કે પાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 

બિપીન ત્રિવેદીનો વીડિયો થયો હતો વાયરલ 

છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ ચર્ચામાં રહ્યા છે. ડમી ઉમેદવારોનો જ્યારથી ખુલાસો થયો છે ત્યારથી આ મામલે અનેક ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ડમી કાંડ મામલામાં નામ સાથે યુવરાજસિંહે અનેક લોકોનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા આરોપી વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે એસઆઈટીની રચના પણ કરાઈ હતી અને આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપો બિપીન ત્રિવેદી નામના વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા હતા. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા હતા.


તબિયત બગડતા યુવરાજસિંહ હાજર ન રહ્યા હતા!  

બિપીન ત્રિવેદીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વાત પણ સાચી પડી. ભાવનગર એસઓજી દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. 19 એપ્રિલે તેમને પોલીસ સમક્ષ હાજર રહેવાનું હતું પરંતુ અચાનક તેમની તબિયત બગડી જતા તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારે આ અંગે અનેક તર્ક-વિર્તકો ઉભા થતા હતા કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે. તેમના ફોન પણ બંધ આવતા હતા.

મોટા ઘટસ્ફોટ કરવાની યુવરાજસિંહે કરી વાત! 

જે બાદ યુવરાજસિંહના પત્ની દ્વારા ટ્વિટર કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ માટે હાજર થવા માટેનો સમય માગ્યો હતો. પરંતુ બીજી વખત પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. અને 21 એપ્રિલે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવા હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. 12 વાગ્યા પહેલા તેમને હાજર રહેવા માટે કહ્યું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે ગઈકાલે પત્રકાર પરિષદ કરી હતી અને આવનાર દિવસોમાં અનેક મોટા ખુલાસા થવાના છે તેવી વાત યુવરાજસિંહે કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ આજે પણ પત્રકાર પરિષદ કરવાના છે. યુવરાજસિંહ હાલ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.