Dandi Yatra 2.0ના રૂટમાં Gandhinagar કેમ પસંદ કર્યું તેનો જવાબ Yuvrajsinhએ આપ્યો? સાંભળો શું કહ્યું Jamawatની ટીમને?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:21:37

દાંડીથી નીકળેલી દાંડી યાત્રા 2.0 થોડા સમય બાદ ગાંધીનગર પહોંચવાની છે. ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં નિકળેલી આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. અમિત શાહના ગઢમાં ઉમેદવારો હુંકાર ભરવાના છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ થવાની છે. યાત્રા અમદાવાદ આવે તે પહેલા ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવાના છે. યુવરાજસિંહની આગેવાનીમાં આ યાત્રા નિકળી રહી છે.  


અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. શિક્ષકોની ભરતી કરાર આધારીત નહીં પરંતુ કાયમી કરવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત તેમની માગની રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવ્યો. રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સમર્થનમાં આવી રેલીનું આયોજન કર્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં આપે દાંડી યાત્રા 2.0 નિકાળી હતી ત્યારે આજે એ યાત્રાનો અંતિમ દિવસ છે. અમદાવાદ ખાતે આજે યાત્રા પહોંચવાની છે. ત્યારે ગાંધીનગર દાંડીયાત્રાના રૂટમાં ન હતું છતાં પણ પસંદ કરવામાં આવ્યું કારણ કે આ જગ્યાઓ પર અનેક આંદોલનો થયા છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.