Dandi Yatra 2.0ના રૂટમાં Gandhinagar કેમ પસંદ કર્યું તેનો જવાબ Yuvrajsinhએ આપ્યો? સાંભળો શું કહ્યું Jamawatની ટીમને?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:21:37

દાંડીથી નીકળેલી દાંડી યાત્રા 2.0 થોડા સમય બાદ ગાંધીનગર પહોંચવાની છે. ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં નિકળેલી આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. અમિત શાહના ગઢમાં ઉમેદવારો હુંકાર ભરવાના છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ થવાની છે. યાત્રા અમદાવાદ આવે તે પહેલા ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવાના છે. યુવરાજસિંહની આગેવાનીમાં આ યાત્રા નિકળી રહી છે.  


અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. શિક્ષકોની ભરતી કરાર આધારીત નહીં પરંતુ કાયમી કરવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત તેમની માગની રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવ્યો. રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સમર્થનમાં આવી રેલીનું આયોજન કર્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં આપે દાંડી યાત્રા 2.0 નિકાળી હતી ત્યારે આજે એ યાત્રાનો અંતિમ દિવસ છે. અમદાવાદ ખાતે આજે યાત્રા પહોંચવાની છે. ત્યારે ગાંધીનગર દાંડીયાત્રાના રૂટમાં ન હતું છતાં પણ પસંદ કરવામાં આવ્યું કારણ કે આ જગ્યાઓ પર અનેક આંદોલનો થયા છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી