Dandi Yatra 2.0ના રૂટમાં Gandhinagar કેમ પસંદ કર્યું તેનો જવાબ Yuvrajsinhએ આપ્યો? સાંભળો શું કહ્યું Jamawatની ટીમને?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:21:37

દાંડીથી નીકળેલી દાંડી યાત્રા 2.0 થોડા સમય બાદ ગાંધીનગર પહોંચવાની છે. ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં નિકળેલી આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. અમિત શાહના ગઢમાં ઉમેદવારો હુંકાર ભરવાના છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ થવાની છે. યાત્રા અમદાવાદ આવે તે પહેલા ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવાના છે. યુવરાજસિંહની આગેવાનીમાં આ યાત્રા નિકળી રહી છે.  


અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. શિક્ષકોની ભરતી કરાર આધારીત નહીં પરંતુ કાયમી કરવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત તેમની માગની રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવ્યો. રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સમર્થનમાં આવી રેલીનું આયોજન કર્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં આપે દાંડી યાત્રા 2.0 નિકાળી હતી ત્યારે આજે એ યાત્રાનો અંતિમ દિવસ છે. અમદાવાદ ખાતે આજે યાત્રા પહોંચવાની છે. ત્યારે ગાંધીનગર દાંડીયાત્રાના રૂટમાં ન હતું છતાં પણ પસંદ કરવામાં આવ્યું કારણ કે આ જગ્યાઓ પર અનેક આંદોલનો થયા છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.