Gyan Sahayak મુદ્દે સમાજને જાગૃત કરવા યુવાનોએ શરૂ કર્યું અભિયાન, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #Boycott_Gyan_Sahayak


  • Published By :
  • Published Date : 2023-10-22 16:56:02

ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો વિરોધ પ્રદર્શનો, ધરણા અને આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. આ ઉમેદવારોએ આપના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજ સિંહ જાડેજાના નેતૃત્વમાં દાંડી 2.0 યાત્રા પણ યોજી હતી. દાંડીથી નિકળેલી આ યાત્રાનું  ગત શુક્રવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સમાપન થયું તે પૂર્વે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે 'AAP' દ્વારા 'યુવા અધિકાર સભા' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ યુવાનો એ એક જ સુરમાં જ્ઞાન સહાયક યોજના બંધ કરવાની માગ કરી હતી. યુવા અધિકાર સભાને આપના નેતાઓ અને ઉમેદવારોએ સંબોધી હતી. આ દરમિયાન અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા હતા, સત્યાગ્રહ છાવણી 'જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો' ના નારાથી ગુંજી ઉઠયું હતું. આજે પણ આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે એક વીડિયોના માધ્યમથી સમાજના અગ્રણીઓને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવાની હાકલ કરી હતી. આ મામલે યુવરાજને ટેટ-ટાટ ઉમેદવારોનું પણ જબરદસ્ત સમર્થન સાંપડ્યું હતું.


યુવરાજ સિંહે શું આહવાન કર્યું?

આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ એક વીડિયો સંદેશના માધ્યમથી વિવિધ સમાજના આગેવાનોને શિક્ષણ વ્યવસ્થાના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક યોજના નામના કાળા કાયદાનો વિરોધ કરવાની અપીલ કરી હતી. તેમણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપારીકરણ, શિક્ષણના કથળતા સ્તર અને શિક્ષણ શ્રેત્રે શિક્ષકોની થઈ રહેલી કરાર અધારીત ભરતીનો વિરોધ કરવા માટે અવાજ ઉઠાવવાની હાકલ કરી હતી. તેમણે તમામ સમાજના મોભીઓને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના થઈ રહેલા ચીરહરણનો વિરોધ કરવા સાથ, સહકાર અને સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું. 


ઉમેદવારોએ શરૂ કર્યું સમાજ જાગૃતિ અભિયાન 


યુવરાજ સિંહ જાડેજાની  જેમ ટેટ-ટાટ ઉમેદવારોએ પણ તેમના સમાજના આગેવાને જ્ઞાન સહાયક યોજના અને શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં જોડાવા માટે અપીલ કરવા વિનંતી કરી હતી.  ટેટ-ટાટ ઉમેદવારોએ તેમના સમાજના સમર્થન અને સાથ સહકાર માટે તથા આ મુદ્દે સમાજને જાગૃત કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન શરૂ કર્યું છે. આ યુવક-યુવતીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વીડિયો મારફતે તેમના સમાજના અગ્રણીઓને આ મુદ્દે આગળ આવવાની ભાવભીની અપીલ કરી પણ કરી  હતી. હાલ સોશિયલ મીડિયા પર #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak ગુજરાતમાં જબરજસ્ત રીતે  ટ્રેન્ડ થઈ રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.