Gyan Sahayak મુદ્દે સમાજને જાગૃત કરવા યુવાનોએ શરૂ કર્યું અભિયાન, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #Boycott_Gyan_Sahayak


  • Published By :
  • Published Date : 2023-10-22 16:56:02

ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો વિરોધ પ્રદર્શનો, ધરણા અને આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. આ ઉમેદવારોએ આપના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજ સિંહ જાડેજાના નેતૃત્વમાં દાંડી 2.0 યાત્રા પણ યોજી હતી. દાંડીથી નિકળેલી આ યાત્રાનું  ગત શુક્રવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સમાપન થયું તે પૂર્વે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે 'AAP' દ્વારા 'યુવા અધિકાર સભા' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ યુવાનો એ એક જ સુરમાં જ્ઞાન સહાયક યોજના બંધ કરવાની માગ કરી હતી. યુવા અધિકાર સભાને આપના નેતાઓ અને ઉમેદવારોએ સંબોધી હતી. આ દરમિયાન અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા હતા, સત્યાગ્રહ છાવણી 'જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો' ના નારાથી ગુંજી ઉઠયું હતું. આજે પણ આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે એક વીડિયોના માધ્યમથી સમાજના અગ્રણીઓને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવાની હાકલ કરી હતી. આ મામલે યુવરાજને ટેટ-ટાટ ઉમેદવારોનું પણ જબરદસ્ત સમર્થન સાંપડ્યું હતું.


યુવરાજ સિંહે શું આહવાન કર્યું?

આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ એક વીડિયો સંદેશના માધ્યમથી વિવિધ સમાજના આગેવાનોને શિક્ષણ વ્યવસ્થાના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક યોજના નામના કાળા કાયદાનો વિરોધ કરવાની અપીલ કરી હતી. તેમણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપારીકરણ, શિક્ષણના કથળતા સ્તર અને શિક્ષણ શ્રેત્રે શિક્ષકોની થઈ રહેલી કરાર અધારીત ભરતીનો વિરોધ કરવા માટે અવાજ ઉઠાવવાની હાકલ કરી હતી. તેમણે તમામ સમાજના મોભીઓને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના થઈ રહેલા ચીરહરણનો વિરોધ કરવા સાથ, સહકાર અને સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું. 


ઉમેદવારોએ શરૂ કર્યું સમાજ જાગૃતિ અભિયાન 


યુવરાજ સિંહ જાડેજાની  જેમ ટેટ-ટાટ ઉમેદવારોએ પણ તેમના સમાજના આગેવાને જ્ઞાન સહાયક યોજના અને શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં જોડાવા માટે અપીલ કરવા વિનંતી કરી હતી.  ટેટ-ટાટ ઉમેદવારોએ તેમના સમાજના સમર્થન અને સાથ સહકાર માટે તથા આ મુદ્દે સમાજને જાગૃત કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન શરૂ કર્યું છે. આ યુવક-યુવતીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વીડિયો મારફતે તેમના સમાજના અગ્રણીઓને આ મુદ્દે આગળ આવવાની ભાવભીની અપીલ કરી પણ કરી  હતી. હાલ સોશિયલ મીડિયા પર #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak ગુજરાતમાં જબરજસ્ત રીતે  ટ્રેન્ડ થઈ રહ્યું છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી