Gyan Sahayak મુદ્દે સમાજને જાગૃત કરવા યુવાનોએ શરૂ કર્યું અભિયાન, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #Boycott_Gyan_Sahayak


  • Published By :
  • Published Date : 2023-10-22 16:56:02

ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો વિરોધ પ્રદર્શનો, ધરણા અને આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. આ ઉમેદવારોએ આપના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજ સિંહ જાડેજાના નેતૃત્વમાં દાંડી 2.0 યાત્રા પણ યોજી હતી. દાંડીથી નિકળેલી આ યાત્રાનું  ગત શુક્રવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સમાપન થયું તે પૂર્વે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે 'AAP' દ્વારા 'યુવા અધિકાર સભા' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ યુવાનો એ એક જ સુરમાં જ્ઞાન સહાયક યોજના બંધ કરવાની માગ કરી હતી. યુવા અધિકાર સભાને આપના નેતાઓ અને ઉમેદવારોએ સંબોધી હતી. આ દરમિયાન અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા હતા, સત્યાગ્રહ છાવણી 'જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો' ના નારાથી ગુંજી ઉઠયું હતું. આજે પણ આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે એક વીડિયોના માધ્યમથી સમાજના અગ્રણીઓને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવાની હાકલ કરી હતી. આ મામલે યુવરાજને ટેટ-ટાટ ઉમેદવારોનું પણ જબરદસ્ત સમર્થન સાંપડ્યું હતું.


યુવરાજ સિંહે શું આહવાન કર્યું?

આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ એક વીડિયો સંદેશના માધ્યમથી વિવિધ સમાજના આગેવાનોને શિક્ષણ વ્યવસ્થાના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક યોજના નામના કાળા કાયદાનો વિરોધ કરવાની અપીલ કરી હતી. તેમણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપારીકરણ, શિક્ષણના કથળતા સ્તર અને શિક્ષણ શ્રેત્રે શિક્ષકોની થઈ રહેલી કરાર અધારીત ભરતીનો વિરોધ કરવા માટે અવાજ ઉઠાવવાની હાકલ કરી હતી. તેમણે તમામ સમાજના મોભીઓને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના થઈ રહેલા ચીરહરણનો વિરોધ કરવા સાથ, સહકાર અને સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું. 


ઉમેદવારોએ શરૂ કર્યું સમાજ જાગૃતિ અભિયાન 


યુવરાજ સિંહ જાડેજાની  જેમ ટેટ-ટાટ ઉમેદવારોએ પણ તેમના સમાજના આગેવાને જ્ઞાન સહાયક યોજના અને શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં જોડાવા માટે અપીલ કરવા વિનંતી કરી હતી.  ટેટ-ટાટ ઉમેદવારોએ તેમના સમાજના સમર્થન અને સાથ સહકાર માટે તથા આ મુદ્દે સમાજને જાગૃત કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન શરૂ કર્યું છે. આ યુવક-યુવતીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વીડિયો મારફતે તેમના સમાજના અગ્રણીઓને આ મુદ્દે આગળ આવવાની ભાવભીની અપીલ કરી પણ કરી  હતી. હાલ સોશિયલ મીડિયા પર #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak ગુજરાતમાં જબરજસ્ત રીતે  ટ્રેન્ડ થઈ રહ્યું છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.