YuvrajSinh Jadeja આવ્યા TET-TAT ઉમેદવારોના સર્મથનમાં, દાદાના શરણે ગયા ઉમેદવારો, કાયમી ભરતી થાય તે માટે Hanumanjiને કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-09-06 15:36:19

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવી નહીં. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે શિક્ષક દિવસની ઉજવણી દેશભરમાં થઈ. આંદોલન કરવા માટે ઉમેદવારોએ શિક્ષક દિવસની પસંદગી કરી હતી. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા અને મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને પત્ર આપવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

 

પોલીસ દ્વારા જે પ્રમાણે વ્યવહાર કરવામાં આવ્યો તે અશોભનિય હતો!

ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે ગઈકાલે પહોંચ્યા હતા. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તેમને રોકી દેવામાં આવતા. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા. શિક્ષક દિવસે ભાવિ શિક્ષકો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું તેને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. એ દ્રશ્યો સામે આવતા રાજનીતિ પણ ગરમાઈ ગઈ હતી. અનેક પક્ષના નેતાઓએ એ વીડિયોઝને ટ્વિટ પણ કરી હતી.  

હનુમાનજીના શરણે પહોંચ્યા ટેટ-ટાટના ઉમેદવારો 

ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા હતા. વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા યુવરાજસિંહે પણ આ આંદોલનમાં ઝંપલાવ્યું છે. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ આવ્યા છે. ઉમેદવારોએ અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા.  મુખ્યમંત્રી તેમની વાત સાંભળતા ન હતા જેને કારણે તેમણે પીએમને પત્ર લખ્યો. તેમની વાત સરકાર સુધી પહોંચે તે માટે ઉમેદવારોએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 



ગુજરાતના દાદા તો નથી સાંભળતા, પરંતુ... 

ત્યારે ઉમેદવારો સાથે યુવરાજસિંહ હનુમાનજીના શરણે ગયા હતા. ઉમેદવારો સાથે યુવરાજસિંહે ધૂન બોલાવી હતી.  હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે જ્ઞાન સહાયક આ રદ કરાવી આપો, કાયમી ભરતી તમે હવે લાવી આપો. ત્યારે હવે હનુમાનજી કાયમી ભરતી કરાવી આપે છે કેમ તે તો સમય બતાવશે? ટેટ ટાટના ઉમેદવારોનો આંદોલન રંગ લાવે છે કે નહીં તેની પર સૌ કોઈની નજર છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.