YuvrajSinh Jadeja આવ્યા TET-TAT ઉમેદવારોના સર્મથનમાં, દાદાના શરણે ગયા ઉમેદવારો, કાયમી ભરતી થાય તે માટે Hanumanjiને કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-09-06 15:36:19

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવી નહીં. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે શિક્ષક દિવસની ઉજવણી દેશભરમાં થઈ. આંદોલન કરવા માટે ઉમેદવારોએ શિક્ષક દિવસની પસંદગી કરી હતી. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા અને મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને પત્ર આપવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

 

પોલીસ દ્વારા જે પ્રમાણે વ્યવહાર કરવામાં આવ્યો તે અશોભનિય હતો!

ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે ગઈકાલે પહોંચ્યા હતા. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તેમને રોકી દેવામાં આવતા. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા. શિક્ષક દિવસે ભાવિ શિક્ષકો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું તેને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. એ દ્રશ્યો સામે આવતા રાજનીતિ પણ ગરમાઈ ગઈ હતી. અનેક પક્ષના નેતાઓએ એ વીડિયોઝને ટ્વિટ પણ કરી હતી.  

હનુમાનજીના શરણે પહોંચ્યા ટેટ-ટાટના ઉમેદવારો 

ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા હતા. વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા યુવરાજસિંહે પણ આ આંદોલનમાં ઝંપલાવ્યું છે. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ આવ્યા છે. ઉમેદવારોએ અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા.  મુખ્યમંત્રી તેમની વાત સાંભળતા ન હતા જેને કારણે તેમણે પીએમને પત્ર લખ્યો. તેમની વાત સરકાર સુધી પહોંચે તે માટે ઉમેદવારોએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 



ગુજરાતના દાદા તો નથી સાંભળતા, પરંતુ... 

ત્યારે ઉમેદવારો સાથે યુવરાજસિંહ હનુમાનજીના શરણે ગયા હતા. ઉમેદવારો સાથે યુવરાજસિંહે ધૂન બોલાવી હતી.  હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે જ્ઞાન સહાયક આ રદ કરાવી આપો, કાયમી ભરતી તમે હવે લાવી આપો. ત્યારે હવે હનુમાનજી કાયમી ભરતી કરાવી આપે છે કેમ તે તો સમય બતાવશે? ટેટ ટાટના ઉમેદવારોનો આંદોલન રંગ લાવે છે કે નહીં તેની પર સૌ કોઈની નજર છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.