YuvrajSinh Jadeja આવ્યા TET-TAT ઉમેદવારોના સર્મથનમાં, દાદાના શરણે ગયા ઉમેદવારો, કાયમી ભરતી થાય તે માટે Hanumanjiને કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-09-06 15:36:19

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવી નહીં. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે શિક્ષક દિવસની ઉજવણી દેશભરમાં થઈ. આંદોલન કરવા માટે ઉમેદવારોએ શિક્ષક દિવસની પસંદગી કરી હતી. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા અને મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને પત્ર આપવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

 

પોલીસ દ્વારા જે પ્રમાણે વ્યવહાર કરવામાં આવ્યો તે અશોભનિય હતો!

ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે ગઈકાલે પહોંચ્યા હતા. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તેમને રોકી દેવામાં આવતા. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો ભેગા થયા હતા. શિક્ષક દિવસે ભાવિ શિક્ષકો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું તેને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. એ દ્રશ્યો સામે આવતા રાજનીતિ પણ ગરમાઈ ગઈ હતી. અનેક પક્ષના નેતાઓએ એ વીડિયોઝને ટ્વિટ પણ કરી હતી.  

હનુમાનજીના શરણે પહોંચ્યા ટેટ-ટાટના ઉમેદવારો 

ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા હતા. વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા યુવરાજસિંહે પણ આ આંદોલનમાં ઝંપલાવ્યું છે. ઉમેદવારોની સાથે યુવરાજસિંહ આવ્યા છે. ઉમેદવારોએ અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા.  મુખ્યમંત્રી તેમની વાત સાંભળતા ન હતા જેને કારણે તેમણે પીએમને પત્ર લખ્યો. તેમની વાત સરકાર સુધી પહોંચે તે માટે ઉમેદવારોએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 



ગુજરાતના દાદા તો નથી સાંભળતા, પરંતુ... 

ત્યારે ઉમેદવારો સાથે યુવરાજસિંહ હનુમાનજીના શરણે ગયા હતા. ઉમેદવારો સાથે યુવરાજસિંહે ધૂન બોલાવી હતી.  હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે જ્ઞાન સહાયક આ રદ કરાવી આપો, કાયમી ભરતી તમે હવે લાવી આપો. ત્યારે હવે હનુમાનજી કાયમી ભરતી કરાવી આપે છે કેમ તે તો સમય બતાવશે? ટેટ ટાટના ઉમેદવારોનો આંદોલન રંગ લાવે છે કે નહીં તેની પર સૌ કોઈની નજર છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.