YuvrajSinh Jadejaએ શિક્ષક દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા, કાયમી શિક્ષકોની ભરતીની માગ કરતા TET-TATના ઉમેદવારોનો વીડિયો કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-09-05 17:09:39

ટેટ ટાટના ઉમેદવારો ગાંધીનગર ખાતે આજે આંદોલન કરવાના હતા. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી તેમની માગણી છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ગુજરાતના ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. આજે જ્યારે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ઉમેદવારો ગયા હતા ત્યારે પોલીસે તેમને ડિટેઈન કરી દીધા હતા. જે રીતે ઉમેદવારોને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા તે જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જે પ્રમાણે ભાવિ શિક્ષકો સાથે વ્યવહાર થયો છે તેને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી છે. 

ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો કરવાના હતા આંદોલન 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે ખખડતી જઈ રહી છે. અનેક શાળો એવી છે જ્યાં શિક્ષકો નથી તો અનેક શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે પરંતુ સ્કૂલ નથી. શાળા છે તો જર્જરિત હાલતમાં છે. શિક્ષકો ના હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે.  વિદ્યાર્થીઓ સરખી રીતે અભ્યાસ કરી શક્તા નથી. ત્યારે યુવરાજસિંહ જાડેજા પણ ટેટ-ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. આંદોલન કરવાની પણ તૈયારી તેમણે દર્શાવી હતી. 

યુવરાજસિંહ જાડેજાએ આ મામલે કર્યું ટ્વિટ 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માગ સાથે ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સુધી ઉમેદવારો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. હજી સુધી જ્યારે જ્યારે પણ ઉમેદવારો રજૂઆત માટે ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે પોલીસ દ્વારા આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ભાવિ ઘડતર કરનાર શિક્ષકોની આ હાલત માટે જવાબદાર 156+3ને શિક્ષક દિવસની શુભેચ્છાઓ.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી