YuvrajSinh Jadejaએ શિક્ષક દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા, કાયમી શિક્ષકોની ભરતીની માગ કરતા TET-TATના ઉમેદવારોનો વીડિયો કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-09-05 17:09:39

ટેટ ટાટના ઉમેદવારો ગાંધીનગર ખાતે આજે આંદોલન કરવાના હતા. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી તેમની માગણી છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ગુજરાતના ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. આજે જ્યારે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ઉમેદવારો ગયા હતા ત્યારે પોલીસે તેમને ડિટેઈન કરી દીધા હતા. જે રીતે ઉમેદવારોને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા તે જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જે પ્રમાણે ભાવિ શિક્ષકો સાથે વ્યવહાર થયો છે તેને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી છે. 

ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો કરવાના હતા આંદોલન 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે ખખડતી જઈ રહી છે. અનેક શાળો એવી છે જ્યાં શિક્ષકો નથી તો અનેક શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે પરંતુ સ્કૂલ નથી. શાળા છે તો જર્જરિત હાલતમાં છે. શિક્ષકો ના હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે.  વિદ્યાર્થીઓ સરખી રીતે અભ્યાસ કરી શક્તા નથી. ત્યારે યુવરાજસિંહ જાડેજા પણ ટેટ-ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. આંદોલન કરવાની પણ તૈયારી તેમણે દર્શાવી હતી. 

યુવરાજસિંહ જાડેજાએ આ મામલે કર્યું ટ્વિટ 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માગ સાથે ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સુધી ઉમેદવારો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. હજી સુધી જ્યારે જ્યારે પણ ઉમેદવારો રજૂઆત માટે ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે પોલીસ દ્વારા આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ભાવિ ઘડતર કરનાર શિક્ષકોની આ હાલત માટે જવાબદાર 156+3ને શિક્ષક દિવસની શુભેચ્છાઓ.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.