YuvrajSinh Jadejaએ ટ્વિટ કરી ઊર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામની યાદી પાર્ટ -2! જાણો યાદીમાં કોના કોના નામનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-08-12 16:23:53

યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે.  થોડા સમય પહેલા ડમી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેનો ખુલાસો કર્યો હતો. ડમીકાંડ મામલે પોલીસે જાતે કાર્યવાહી હાથ ધરી હતી. અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક અપડેટ સાથે યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે નવા નામોની યાદી જાહેર કરી છે. 

યુવરાજસિંહે ઉર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામ જાહેર કર્યા! 

જેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજસિંહે જાણે ફરી કૌભાંડોને ઉજાગર કરવાનો દોર શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં ઉર્જાકાંડમાં સામેલ લોકોના નામ ઉજાગર કર્યા છે. નામોની યાદી યુવરાજસિંહે બહાર પાડી છે. કોણે કેવી રીતે આ કૌભાંડને આચર્યું કોણે કેટલું કમિશન લીધું તે અંગેની ફોટામાં યુવરાજસિંહે માહિતી આપી છે. એક સમાચાર પત્રિકાનો ફોટો યુવરાજસિંહે શેર કર્યો છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.