YuvrajSinh Jadejaએ ટ્વિટ કરી ઊર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામની યાદી પાર્ટ -2! જાણો યાદીમાં કોના કોના નામનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-08-12 16:23:53

યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે.  થોડા સમય પહેલા ડમી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેનો ખુલાસો કર્યો હતો. ડમીકાંડ મામલે પોલીસે જાતે કાર્યવાહી હાથ ધરી હતી. અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક અપડેટ સાથે યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે નવા નામોની યાદી જાહેર કરી છે. 

યુવરાજસિંહે ઉર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામ જાહેર કર્યા! 

જેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજસિંહે જાણે ફરી કૌભાંડોને ઉજાગર કરવાનો દોર શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં ઉર્જાકાંડમાં સામેલ લોકોના નામ ઉજાગર કર્યા છે. નામોની યાદી યુવરાજસિંહે બહાર પાડી છે. કોણે કેવી રીતે આ કૌભાંડને આચર્યું કોણે કેટલું કમિશન લીધું તે અંગેની ફોટામાં યુવરાજસિંહે માહિતી આપી છે. એક સમાચાર પત્રિકાનો ફોટો યુવરાજસિંહે શેર કર્યો છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.