Gandhinagarમાં Yuvrajsinhનો હલ્લાબોલ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યું આંદોલન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-26 17:53:23

ગાંધીનગર ખાતે આજે ફરી એક વખત આંદોલન કરવામાં આવ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓના હીતમાં ચૈતર વસાવાએ અને યુવરાજસિહં જાડેજાએ અનુસૂચિત જનજાતીના વિદ્યાર્થીના હિતમાં આંદોલન કર્યું હતું. છેલ્લા 15 મહિનાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી જેને લઈ આંદોલન કરાયું હતું. ગાંધીનગર ખાતે આવેલા બીરસા મંડા ભવનને ઘેરવાનો પ્રયાસ કરાયો. આદિજાતી વિકાસ કમિશનરને આ અંગે રજૂઆત કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.

   

હજારો યુવાનો આંદોલન માટે થયા છે ભેગા 

વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ભણવામાં કોઈ અડચણ ન આવે તે માટે યોજનાઓ શૂરૂ કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે અનેક આયોજનો કરવામાં આવતા હોય છે, સ્કોલર્શિપ આપવામાં આવે છે પરંતુ છેલ્લા 15 મહિનાથી સ્કોલર્શિપ નથી આપવામાં આવી. સ્કોલર્શિપ ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓએ ભણવાનું પણ છોડી દીધું છે. આ મુદ્દે યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ ગાંધીનગરને ઘેર્યું છે. બિરસા મુંડા ભવન ખાતે આંદોલન કરવા બધા એકત્રિત થયા છે. હજારો વિદ્યાર્થીઓ તેમની સાથે ગાંધીનગર ભેગા થયા છે અને નારા લગાવી રહ્યા છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.