Gandhinagarમાં Yuvrajsinhનો હલ્લાબોલ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યું આંદોલન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-26 17:53:23

ગાંધીનગર ખાતે આજે ફરી એક વખત આંદોલન કરવામાં આવ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓના હીતમાં ચૈતર વસાવાએ અને યુવરાજસિહં જાડેજાએ અનુસૂચિત જનજાતીના વિદ્યાર્થીના હિતમાં આંદોલન કર્યું હતું. છેલ્લા 15 મહિનાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી જેને લઈ આંદોલન કરાયું હતું. ગાંધીનગર ખાતે આવેલા બીરસા મંડા ભવનને ઘેરવાનો પ્રયાસ કરાયો. આદિજાતી વિકાસ કમિશનરને આ અંગે રજૂઆત કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.

   

હજારો યુવાનો આંદોલન માટે થયા છે ભેગા 

વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ભણવામાં કોઈ અડચણ ન આવે તે માટે યોજનાઓ શૂરૂ કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે અનેક આયોજનો કરવામાં આવતા હોય છે, સ્કોલર્શિપ આપવામાં આવે છે પરંતુ છેલ્લા 15 મહિનાથી સ્કોલર્શિપ નથી આપવામાં આવી. સ્કોલર્શિપ ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓએ ભણવાનું પણ છોડી દીધું છે. આ મુદ્દે યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ ગાંધીનગરને ઘેર્યું છે. બિરસા મુંડા ભવન ખાતે આંદોલન કરવા બધા એકત્રિત થયા છે. હજારો વિદ્યાર્થીઓ તેમની સાથે ગાંધીનગર ભેગા થયા છે અને નારા લગાવી રહ્યા છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.