Gandhinagarમાં Yuvrajsinhનો હલ્લાબોલ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યું આંદોલન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-26 17:53:23

ગાંધીનગર ખાતે આજે ફરી એક વખત આંદોલન કરવામાં આવ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓના હીતમાં ચૈતર વસાવાએ અને યુવરાજસિહં જાડેજાએ અનુસૂચિત જનજાતીના વિદ્યાર્થીના હિતમાં આંદોલન કર્યું હતું. છેલ્લા 15 મહિનાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી જેને લઈ આંદોલન કરાયું હતું. ગાંધીનગર ખાતે આવેલા બીરસા મંડા ભવનને ઘેરવાનો પ્રયાસ કરાયો. આદિજાતી વિકાસ કમિશનરને આ અંગે રજૂઆત કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.

   

હજારો યુવાનો આંદોલન માટે થયા છે ભેગા 

વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ભણવામાં કોઈ અડચણ ન આવે તે માટે યોજનાઓ શૂરૂ કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે અનેક આયોજનો કરવામાં આવતા હોય છે, સ્કોલર્શિપ આપવામાં આવે છે પરંતુ છેલ્લા 15 મહિનાથી સ્કોલર્શિપ નથી આપવામાં આવી. સ્કોલર્શિપ ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓએ ભણવાનું પણ છોડી દીધું છે. આ મુદ્દે યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ ગાંધીનગરને ઘેર્યું છે. બિરસા મુંડા ભવન ખાતે આંદોલન કરવા બધા એકત્રિત થયા છે. હજારો વિદ્યાર્થીઓ તેમની સાથે ગાંધીનગર ભેગા થયા છે અને નારા લગાવી રહ્યા છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી