Gandhinagarમાં Yuvrajsinhનો હલ્લાબોલ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યું આંદોલન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-26 17:53:23

ગાંધીનગર ખાતે આજે ફરી એક વખત આંદોલન કરવામાં આવ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓના હીતમાં ચૈતર વસાવાએ અને યુવરાજસિહં જાડેજાએ અનુસૂચિત જનજાતીના વિદ્યાર્થીના હિતમાં આંદોલન કર્યું હતું. છેલ્લા 15 મહિનાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી જેને લઈ આંદોલન કરાયું હતું. ગાંધીનગર ખાતે આવેલા બીરસા મંડા ભવનને ઘેરવાનો પ્રયાસ કરાયો. આદિજાતી વિકાસ કમિશનરને આ અંગે રજૂઆત કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.

   

હજારો યુવાનો આંદોલન માટે થયા છે ભેગા 

વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ભણવામાં કોઈ અડચણ ન આવે તે માટે યોજનાઓ શૂરૂ કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે અનેક આયોજનો કરવામાં આવતા હોય છે, સ્કોલર્શિપ આપવામાં આવે છે પરંતુ છેલ્લા 15 મહિનાથી સ્કોલર્શિપ નથી આપવામાં આવી. સ્કોલર્શિપ ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓએ ભણવાનું પણ છોડી દીધું છે. આ મુદ્દે યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ ગાંધીનગરને ઘેર્યું છે. બિરસા મુંડા ભવન ખાતે આંદોલન કરવા બધા એકત્રિત થયા છે. હજારો વિદ્યાર્થીઓ તેમની સાથે ગાંધીનગર ભેગા થયા છે અને નારા લગાવી રહ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.