Gyan sahayakનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં Yuvrajsinhએ કરી આવી ટ્વિટ, વીડિયોમાં વર્ણવી TET-TAT પાસ ઉમેદવારોની વેદના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 11:46:56

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમની માગ પહોંચાડવા માટે તેમણે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરાયું, તે ઉપરાંત અલગ અલગ સ્થળો પર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું. દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે યુવરાજસિંહે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની દિવાળી કેવી છે તે બતાવ્યું છે.

ભાવિ શિક્ષકો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે. શાળાઓના અનેક વખત એવા સમાચાર આવે છે જે જોઈને લાગે કે આ શાળા વિકાસશીલ ગણાતા ગુજરાતની છે? શિક્ષણની સ્થિતિ પ્રતિદિન લથડતી જઈ રહી છે. કોઈ શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી તો કોઈ વખત શાળાની સ્થિતિ એકદમ ગંભીર છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે. કરાર આધારિત ભરતીને લઈ અનેક વખત ઉમેદવારોએ એવી વાત પણ કહી છે કે નેતાઓને, પદાધિકારીઓને તેમજ નેતાઓને પણ કરાર પર રાખવા જોઈએ. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય ઉજવળ નથી તે બાળકોના ભવિષ્યને કેવી રીતે ઉજવળ કેવી રીતે બનાવી શકે?


યુવરાજસિંહે વીડિયો કર્યો છે શેર      

આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. અનેક વખત જ્ઞાન સહાયક મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે. ત્યારે દિવાળીનો પર્વ ભાવિ શિક્ષકો માટે કેવો છે તેનો વીડિયો શેર કર્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારોનું આ આંદોલન શું રંગ લાવે છે..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.