Gyan sahayakનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં Yuvrajsinhએ કરી આવી ટ્વિટ, વીડિયોમાં વર્ણવી TET-TAT પાસ ઉમેદવારોની વેદના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 11:46:56

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમની માગ પહોંચાડવા માટે તેમણે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરાયું, તે ઉપરાંત અલગ અલગ સ્થળો પર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું. દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે યુવરાજસિંહે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની દિવાળી કેવી છે તે બતાવ્યું છે.

ભાવિ શિક્ષકો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે. શાળાઓના અનેક વખત એવા સમાચાર આવે છે જે જોઈને લાગે કે આ શાળા વિકાસશીલ ગણાતા ગુજરાતની છે? શિક્ષણની સ્થિતિ પ્રતિદિન લથડતી જઈ રહી છે. કોઈ શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી તો કોઈ વખત શાળાની સ્થિતિ એકદમ ગંભીર છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે. કરાર આધારિત ભરતીને લઈ અનેક વખત ઉમેદવારોએ એવી વાત પણ કહી છે કે નેતાઓને, પદાધિકારીઓને તેમજ નેતાઓને પણ કરાર પર રાખવા જોઈએ. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય ઉજવળ નથી તે બાળકોના ભવિષ્યને કેવી રીતે ઉજવળ કેવી રીતે બનાવી શકે?


યુવરાજસિંહે વીડિયો કર્યો છે શેર      

આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. અનેક વખત જ્ઞાન સહાયક મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે. ત્યારે દિવાળીનો પર્વ ભાવિ શિક્ષકો માટે કેવો છે તેનો વીડિયો શેર કર્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારોનું આ આંદોલન શું રંગ લાવે છે..  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી