Gyan sahayakનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં Yuvrajsinhએ કરી આવી ટ્વિટ, વીડિયોમાં વર્ણવી TET-TAT પાસ ઉમેદવારોની વેદના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 11:46:56

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમની માગ પહોંચાડવા માટે તેમણે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરાયું, તે ઉપરાંત અલગ અલગ સ્થળો પર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું. દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે યુવરાજસિંહે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની દિવાળી કેવી છે તે બતાવ્યું છે.

ભાવિ શિક્ષકો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે. શાળાઓના અનેક વખત એવા સમાચાર આવે છે જે જોઈને લાગે કે આ શાળા વિકાસશીલ ગણાતા ગુજરાતની છે? શિક્ષણની સ્થિતિ પ્રતિદિન લથડતી જઈ રહી છે. કોઈ શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી તો કોઈ વખત શાળાની સ્થિતિ એકદમ ગંભીર છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે. કરાર આધારિત ભરતીને લઈ અનેક વખત ઉમેદવારોએ એવી વાત પણ કહી છે કે નેતાઓને, પદાધિકારીઓને તેમજ નેતાઓને પણ કરાર પર રાખવા જોઈએ. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય ઉજવળ નથી તે બાળકોના ભવિષ્યને કેવી રીતે ઉજવળ કેવી રીતે બનાવી શકે?


યુવરાજસિંહે વીડિયો કર્યો છે શેર      

આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. અનેક વખત જ્ઞાન સહાયક મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે. ત્યારે દિવાળીનો પર્વ ભાવિ શિક્ષકો માટે કેવો છે તેનો વીડિયો શેર કર્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારોનું આ આંદોલન શું રંગ લાવે છે..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.