'ભારતીય મુસ્લિમોએ ખુદને પીડિત તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ' :ઝફર સરેશવાલા


  • Published By :
  • Published Date : 2023-06-22 15:16:44

દેશના જાણીતા મુસ્લીમ બિઝનેશ મેન અને મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ઝફર સરેશવાલાના એક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ઝફર સરેશવાલાએ સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં મુસ્લિમોને સંબોધતા કહ્યું હતું કે ભારતીય મુસ્લિમોએ હંમેશા તેમને પિડીત ગણાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભારતીય મુસ્લિમોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપવાની પણ સલાહ આપી હતી.


ફરિયાદ કરવાનું બંધ કરો


ઝફર સરેશવાલાએ જેદ્દાહમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા કહ્યું કે ભારતમાં મુસ્લીમો સાથે ભેદભાવ થાય છે, પરંતું કેટલાક તત્વો દ્વારા જ તે કરવામાં આવી રહ્યો છે. ભારતીય મુસ્લિમોએ ફરિયાદો કરવાને બદલે માત્ર શિક્ષણ પર ફોકસ કરવું જોઈએ. કોઈ પણ સમુદાય હંમેશા આંદોલનકારી ન રહી શકે. તેણે પિડીત હોવાની વિચારસરણી પણ છોડવાની જરૂર છે. તેમણે સિવિલ સેવાઓમાં પણ ભારતીય મુસ્લિમોએ ભાગીદારી વધારવી જોઈએ તેવી પણ સલાહ આપી હતી.


'હિંદુ ભાઈઓ સામે સારી ઈમેજ રજુ કરો'


સરેશવાલાએ ભારતીય મુસ્લીમોને સલાહ આપતા કહ્યું કે તેમણે તેમના હિંદુ ભાઈ-બહેનો સાથે વાત કરીને તેમની સારી ઈમેજ રજુ કરાવાના પ્રયાસો કરવા જોઈએ. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ થતો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે ઝફર સરેશવાલા અમદાવાદના ઉદ્યોગપતિ છે અને પીએમ મોદીના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.