'ભારતીય મુસ્લિમોએ ખુદને પીડિત તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ' :ઝફર સરેશવાલા


  • Published By :
  • Published Date : 2023-06-22 15:16:44

દેશના જાણીતા મુસ્લીમ બિઝનેશ મેન અને મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ઝફર સરેશવાલાના એક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ઝફર સરેશવાલાએ સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં મુસ્લિમોને સંબોધતા કહ્યું હતું કે ભારતીય મુસ્લિમોએ હંમેશા તેમને પિડીત ગણાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભારતીય મુસ્લિમોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપવાની પણ સલાહ આપી હતી.


ફરિયાદ કરવાનું બંધ કરો


ઝફર સરેશવાલાએ જેદ્દાહમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા કહ્યું કે ભારતમાં મુસ્લીમો સાથે ભેદભાવ થાય છે, પરંતું કેટલાક તત્વો દ્વારા જ તે કરવામાં આવી રહ્યો છે. ભારતીય મુસ્લિમોએ ફરિયાદો કરવાને બદલે માત્ર શિક્ષણ પર ફોકસ કરવું જોઈએ. કોઈ પણ સમુદાય હંમેશા આંદોલનકારી ન રહી શકે. તેણે પિડીત હોવાની વિચારસરણી પણ છોડવાની જરૂર છે. તેમણે સિવિલ સેવાઓમાં પણ ભારતીય મુસ્લિમોએ ભાગીદારી વધારવી જોઈએ તેવી પણ સલાહ આપી હતી.


'હિંદુ ભાઈઓ સામે સારી ઈમેજ રજુ કરો'


સરેશવાલાએ ભારતીય મુસ્લીમોને સલાહ આપતા કહ્યું કે તેમણે તેમના હિંદુ ભાઈ-બહેનો સાથે વાત કરીને તેમની સારી ઈમેજ રજુ કરાવાના પ્રયાસો કરવા જોઈએ. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ થતો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે ઝફર સરેશવાલા અમદાવાદના ઉદ્યોગપતિ છે અને પીએમ મોદીના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.