'ભારતીય મુસ્લિમોએ ખુદને પીડિત તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ' :ઝફર સરેશવાલા


  • Published By :
  • Published Date : 2023-06-22 15:16:44

દેશના જાણીતા મુસ્લીમ બિઝનેશ મેન અને મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ઝફર સરેશવાલાના એક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ઝફર સરેશવાલાએ સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં મુસ્લિમોને સંબોધતા કહ્યું હતું કે ભારતીય મુસ્લિમોએ હંમેશા તેમને પિડીત ગણાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભારતીય મુસ્લિમોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપવાની પણ સલાહ આપી હતી.


ફરિયાદ કરવાનું બંધ કરો


ઝફર સરેશવાલાએ જેદ્દાહમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા કહ્યું કે ભારતમાં મુસ્લીમો સાથે ભેદભાવ થાય છે, પરંતું કેટલાક તત્વો દ્વારા જ તે કરવામાં આવી રહ્યો છે. ભારતીય મુસ્લિમોએ ફરિયાદો કરવાને બદલે માત્ર શિક્ષણ પર ફોકસ કરવું જોઈએ. કોઈ પણ સમુદાય હંમેશા આંદોલનકારી ન રહી શકે. તેણે પિડીત હોવાની વિચારસરણી પણ છોડવાની જરૂર છે. તેમણે સિવિલ સેવાઓમાં પણ ભારતીય મુસ્લિમોએ ભાગીદારી વધારવી જોઈએ તેવી પણ સલાહ આપી હતી.


'હિંદુ ભાઈઓ સામે સારી ઈમેજ રજુ કરો'


સરેશવાલાએ ભારતીય મુસ્લીમોને સલાહ આપતા કહ્યું કે તેમણે તેમના હિંદુ ભાઈ-બહેનો સાથે વાત કરીને તેમની સારી ઈમેજ રજુ કરાવાના પ્રયાસો કરવા જોઈએ. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ થતો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે ઝફર સરેશવાલા અમદાવાદના ઉદ્યોગપતિ છે અને પીએમ મોદીના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.