મોંઘવારીની ઐસી તૈસી, જૂનમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2% અને ટુ-વ્હીલરનું વેચાણ 1.7% વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-13 15:30:27

દેશમાં મોઘવારી આસમાને પહોંચી છે અને મધ્યમ અને ગરીબ વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે. જો કે આ કરૂણ વાસ્તવિક્તા વચ્ચે એક હકીકત એ પણ છે દેશમાં મોંઘીદાટ ગાડીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશમાં પેસેન્જર વાહનોના  વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થયો છે. ગત જૂન માસમાં 3,27,487 યુનિટનું વેચાણ થયું હોવાનું ઔદ્યોગિક સંસ્થા SIAMએ જણાવ્યું હતું. જે જૂન 2022માં 3,20,985 યુનિટ્સ હતા. 


2-વ્હીલર્સ અને  થ્રી-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું


પેસેન્જર વાહનોની સાથે-સાથે SIAMના રિપોર્ટ મુજબ જૂન મહિનામાં વાર્ષિક ધોરણે 2-વ્હીલર્સના વેચાણમાં પણ લગભગ 1.7% નો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ટુ-વ્હીલરના 13,30,826 યુનિટ વેચાયા હતા. જ્યારે એક વર્ષ પહેલા જૂન મહિનામાં માત્ર 13,08,764 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. માત્ર મોટરસાઈકલોના વેચાણની જ વાત કરીએ તો જૂનમાં 6.9% નો વધારો નોંધાયો છે, મોટરસાઈકલના કુલ 9.09 લાખ યુનિટ વેચાયા હતા. જ્યારે જૂનમાં સ્કૂટરનું વેચાણ 8.1% ઘટ્યું હતું. જૂનમાં સ્કૂટરના કુલ 3.87 લાખ યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે કુલ થ્રી-વ્હીલરના જથ્થાબંધ વેચાણ જૂન 2022માં 26,701 યુનિટની સરખામણીમાં આ વર્ષે જુનમાં લગભગ બે ગણા વધી 53,019 યુનિટ રહ્યાં હતા.


નિકાસના આંકડા કેવા છે?


SIAM અનુસાર, જૂનમાં પેસેન્જર વાહનોના કુલ 57,618 યુનિટની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે 3-વ્હીલરના 24,628 યુનિટની પણ નિકાસ કરવામાં આવી હતી. 2-વ્હીલર્સની વાત કરીએ તો જૂન, 2023માં કુલ 2,73,184 યુનિટની નિકાસ કરવામાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.