મોંઘવારીની ઐસી તૈસી, જૂનમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2% અને ટુ-વ્હીલરનું વેચાણ 1.7% વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-13 15:30:27

દેશમાં મોઘવારી આસમાને પહોંચી છે અને મધ્યમ અને ગરીબ વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે. જો કે આ કરૂણ વાસ્તવિક્તા વચ્ચે એક હકીકત એ પણ છે દેશમાં મોંઘીદાટ ગાડીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશમાં પેસેન્જર વાહનોના  વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થયો છે. ગત જૂન માસમાં 3,27,487 યુનિટનું વેચાણ થયું હોવાનું ઔદ્યોગિક સંસ્થા SIAMએ જણાવ્યું હતું. જે જૂન 2022માં 3,20,985 યુનિટ્સ હતા. 


2-વ્હીલર્સ અને  થ્રી-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું


પેસેન્જર વાહનોની સાથે-સાથે SIAMના રિપોર્ટ મુજબ જૂન મહિનામાં વાર્ષિક ધોરણે 2-વ્હીલર્સના વેચાણમાં પણ લગભગ 1.7% નો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ટુ-વ્હીલરના 13,30,826 યુનિટ વેચાયા હતા. જ્યારે એક વર્ષ પહેલા જૂન મહિનામાં માત્ર 13,08,764 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. માત્ર મોટરસાઈકલોના વેચાણની જ વાત કરીએ તો જૂનમાં 6.9% નો વધારો નોંધાયો છે, મોટરસાઈકલના કુલ 9.09 લાખ યુનિટ વેચાયા હતા. જ્યારે જૂનમાં સ્કૂટરનું વેચાણ 8.1% ઘટ્યું હતું. જૂનમાં સ્કૂટરના કુલ 3.87 લાખ યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે કુલ થ્રી-વ્હીલરના જથ્થાબંધ વેચાણ જૂન 2022માં 26,701 યુનિટની સરખામણીમાં આ વર્ષે જુનમાં લગભગ બે ગણા વધી 53,019 યુનિટ રહ્યાં હતા.


નિકાસના આંકડા કેવા છે?


SIAM અનુસાર, જૂનમાં પેસેન્જર વાહનોના કુલ 57,618 યુનિટની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે 3-વ્હીલરના 24,628 યુનિટની પણ નિકાસ કરવામાં આવી હતી. 2-વ્હીલર્સની વાત કરીએ તો જૂન, 2023માં કુલ 2,73,184 યુનિટની નિકાસ કરવામાં આવી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .