મોંઘવારીની ઐસી તૈસી, જૂનમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2% અને ટુ-વ્હીલરનું વેચાણ 1.7% વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-13 15:30:27

દેશમાં મોઘવારી આસમાને પહોંચી છે અને મધ્યમ અને ગરીબ વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે. જો કે આ કરૂણ વાસ્તવિક્તા વચ્ચે એક હકીકત એ પણ છે દેશમાં મોંઘીદાટ ગાડીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશમાં પેસેન્જર વાહનોના  વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થયો છે. ગત જૂન માસમાં 3,27,487 યુનિટનું વેચાણ થયું હોવાનું ઔદ્યોગિક સંસ્થા SIAMએ જણાવ્યું હતું. જે જૂન 2022માં 3,20,985 યુનિટ્સ હતા. 


2-વ્હીલર્સ અને  થ્રી-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું


પેસેન્જર વાહનોની સાથે-સાથે SIAMના રિપોર્ટ મુજબ જૂન મહિનામાં વાર્ષિક ધોરણે 2-વ્હીલર્સના વેચાણમાં પણ લગભગ 1.7% નો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ટુ-વ્હીલરના 13,30,826 યુનિટ વેચાયા હતા. જ્યારે એક વર્ષ પહેલા જૂન મહિનામાં માત્ર 13,08,764 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. માત્ર મોટરસાઈકલોના વેચાણની જ વાત કરીએ તો જૂનમાં 6.9% નો વધારો નોંધાયો છે, મોટરસાઈકલના કુલ 9.09 લાખ યુનિટ વેચાયા હતા. જ્યારે જૂનમાં સ્કૂટરનું વેચાણ 8.1% ઘટ્યું હતું. જૂનમાં સ્કૂટરના કુલ 3.87 લાખ યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે કુલ થ્રી-વ્હીલરના જથ્થાબંધ વેચાણ જૂન 2022માં 26,701 યુનિટની સરખામણીમાં આ વર્ષે જુનમાં લગભગ બે ગણા વધી 53,019 યુનિટ રહ્યાં હતા.


નિકાસના આંકડા કેવા છે?


SIAM અનુસાર, જૂનમાં પેસેન્જર વાહનોના કુલ 57,618 યુનિટની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે 3-વ્હીલરના 24,628 યુનિટની પણ નિકાસ કરવામાં આવી હતી. 2-વ્હીલર્સની વાત કરીએ તો જૂન, 2023માં કુલ 2,73,184 યુનિટની નિકાસ કરવામાં આવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.