ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોર પહોંચ્યા મુંબઇની મુલાકાતે , કોને કોને મળ્યા? ભારત અમેરિકાના સંબંધોના નવા દ્વાર ખુલશે?


  • Published By : Admin
  • Published Date : 2026-01-20 12:04:23

ભારત અને અમેરિકાના સંબંધો પર ખૂબ ચર્ચાઓ થતી હોય છે, ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ વધારવું હોય કે PM મોદીને ખાસ મિત્ર કહેવા બધાની નજર ભારત અને અમેરિકાના આ સંબંધો પર હોય છે એ બધાની વચ્ચે  ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોર મુંબઈ પહોંચ્યાં અને આ મુલાકાતને ખૂબ મહત્વની મુલાકાત માનવામાં આવે છે 


“મુંબઈનો જાદુ અનુભવવા દરેકને આવવું જોઈએ.”  

ભારતના રાજદૂત તરીકે તાજેતરમાં નિમણૂક થયેલા સર્જિયો ગોર તેમની મુંબઈની પ્રમુખ મુલાકાત માટે આવ્યા છે. તેમણે અહીં ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયામાં પહોંચી અને ત્યાંથી એક સેલ્ફી પોસ્ટ કરતા કહ્યું કે “મુંબઈનો જાદુ અનુભવવા દરેકને આવવું જોઈએ.”  




મુખ્ય મુલાકાતો અને ચર્ચા

સર્જિયો ગોરે મુંબઈની મુલાકાત દરમિયાન અનેક મહત્ત્વની મુલાકાતો કરી છે, જેમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વ્યાપક ચર્ચા, Reserve Bank of India (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રા સાથે ટેકો અને ટેકનોલોજી વિષયો પર બેઠક, મુકેશ અંબાણી અને એન. ચંદ્રશેખરન સહિત ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાતો કરી છે ગોરે જણાવ્યું છે કે આ તમામ બેઠકોએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, શિક્ષણ અને સપ્લાય ચેઇન વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા ભાગીદારીને આગળ વધારવામાં સહાય થઈ છે.  



26/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ

મુંબઈની મુલાકાત દરમિયાન એમ્બેસેડરે 26/11 આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જ્યાં તેમણે તેમના પ્રયાસોથી અમેરિકાએ આ બાબતમાં સહયોગ આપ્યો હતો અને આ ઘટનામાં મૃત્યુ પામેલાઓની યાદ કરીને કહ્યું:

“May such a tragedy never happen again…”  



સર્જિયો ગોર કોણ છે?

સર્જિયો ગોર એક અમેરિકન રાજકીય અને વ્યાવસાયિક વ્યક્તિ છે અને તેઓ દેશના 27મા યુ.એસ. એમ્બેસેડર તરીકે ભારતમાં સેવા આપી રહ્યા છે.  

તેમણે 14 જાન્યુઆરી 2026 ના રોજ ભારતમાં એમ્બેસેડર તરીકે પદ ગ્રહણ કર્યું હતું ગોરનો જન્મ 30 નવેમ્બર 1986ના રોજ તશ્કંદ (હાલ ઉઝબેકિસ્તાન)માં થયો હતો અને તેઓ જ્યોર્જ વોશિંગટન યુનિવર્સિટીમાં Political Science & International Affairsનો અભ્યાસ કર્યો છે તેમણે White Houseમાં પ્રેસિડેન્ટિયલ પર્સનલ ઓફિસર સુધીની જવાબદારીઓ નિભાવી છે અને હવે તેઓ ભારત-યુ.એસ. સંબંધને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.  


સર્જિયો ગોરની આ મુલાકાત માત્ર એક મુલાકાત નહિ પરંતુ બે દેશો વચ્ચે વધતા ભાગીદારીના પ્રતીક તરીકે જોવા મળી રહી છે. તેઓએ વૈશ્વિક વ્યાપાર, ટેકનોલોજી, સલામતી અને સાંસ્કૃતિક વિનિમય ક્ષેત્રે દિલચસ્પ સિદ્ધાંતો સાથે ઉમદા શરૂઆત કરી છે.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.