ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોર પહોંચ્યા મુંબઇની મુલાકાતે , કોને કોને મળ્યા? ભારત અમેરિકાના સંબંધોના નવા દ્વાર ખુલશે?


  • Published By : Admin
  • Published Date : 2026-01-20 12:04:23

ભારત અને અમેરિકાના સંબંધો પર ખૂબ ચર્ચાઓ થતી હોય છે, ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ વધારવું હોય કે PM મોદીને ખાસ મિત્ર કહેવા બધાની નજર ભારત અને અમેરિકાના આ સંબંધો પર હોય છે એ બધાની વચ્ચે  ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોર મુંબઈ પહોંચ્યાં અને આ મુલાકાતને ખૂબ મહત્વની મુલાકાત માનવામાં આવે છે 


“મુંબઈનો જાદુ અનુભવવા દરેકને આવવું જોઈએ.”  

ભારતના રાજદૂત તરીકે તાજેતરમાં નિમણૂક થયેલા સર્જિયો ગોર તેમની મુંબઈની પ્રમુખ મુલાકાત માટે આવ્યા છે. તેમણે અહીં ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયામાં પહોંચી અને ત્યાંથી એક સેલ્ફી પોસ્ટ કરતા કહ્યું કે “મુંબઈનો જાદુ અનુભવવા દરેકને આવવું જોઈએ.”  




મુખ્ય મુલાકાતો અને ચર્ચા

સર્જિયો ગોરે મુંબઈની મુલાકાત દરમિયાન અનેક મહત્ત્વની મુલાકાતો કરી છે, જેમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વ્યાપક ચર્ચા, Reserve Bank of India (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રા સાથે ટેકો અને ટેકનોલોજી વિષયો પર બેઠક, મુકેશ અંબાણી અને એન. ચંદ્રશેખરન સહિત ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાતો કરી છે ગોરે જણાવ્યું છે કે આ તમામ બેઠકોએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, શિક્ષણ અને સપ્લાય ચેઇન વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા ભાગીદારીને આગળ વધારવામાં સહાય થઈ છે.  



26/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ

મુંબઈની મુલાકાત દરમિયાન એમ્બેસેડરે 26/11 આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જ્યાં તેમણે તેમના પ્રયાસોથી અમેરિકાએ આ બાબતમાં સહયોગ આપ્યો હતો અને આ ઘટનામાં મૃત્યુ પામેલાઓની યાદ કરીને કહ્યું:

“May such a tragedy never happen again…”  



સર્જિયો ગોર કોણ છે?

સર્જિયો ગોર એક અમેરિકન રાજકીય અને વ્યાવસાયિક વ્યક્તિ છે અને તેઓ દેશના 27મા યુ.એસ. એમ્બેસેડર તરીકે ભારતમાં સેવા આપી રહ્યા છે.  

તેમણે 14 જાન્યુઆરી 2026 ના રોજ ભારતમાં એમ્બેસેડર તરીકે પદ ગ્રહણ કર્યું હતું ગોરનો જન્મ 30 નવેમ્બર 1986ના રોજ તશ્કંદ (હાલ ઉઝબેકિસ્તાન)માં થયો હતો અને તેઓ જ્યોર્જ વોશિંગટન યુનિવર્સિટીમાં Political Science & International Affairsનો અભ્યાસ કર્યો છે તેમણે White Houseમાં પ્રેસિડેન્ટિયલ પર્સનલ ઓફિસર સુધીની જવાબદારીઓ નિભાવી છે અને હવે તેઓ ભારત-યુ.એસ. સંબંધને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.  


સર્જિયો ગોરની આ મુલાકાત માત્ર એક મુલાકાત નહિ પરંતુ બે દેશો વચ્ચે વધતા ભાગીદારીના પ્રતીક તરીકે જોવા મળી રહી છે. તેઓએ વૈશ્વિક વ્યાપાર, ટેકનોલોજી, સલામતી અને સાંસ્કૃતિક વિનિમય ક્ષેત્રે દિલચસ્પ સિદ્ધાંતો સાથે ઉમદા શરૂઆત કરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.