ઈરાનમાં US કરશે હુમલો કે પછી થશે ક્રાંતિ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-11 18:11:10

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય અગાઉ ટ્રુથસોશ્યિલ નામની સાઈટ પર લખવામાં આવ્યું હતું કે , " ઈરાન આઝાદી માટે રાહ જોઈ રહ્યું છે. જે પહેલા ક્યારેય નથી થયું. US મદદ માટે તૈયાર છે. "  તો હવે સંભવિત અમેરિકન લશ્કરી કાર્યવાહીના કારણે , ઈરાનની રાજધાની તહેરાનમાં હાલ હાઇએલર્ટ છે. 

Iran | People, Religion, Leader, Map, Conflict, Allies, Map, & Nuclear Deal  | Britannica

બીજી તરફ, ઈરાનમાં પ્રદર્શનકારીઓ દ્વાર દેખાવ ચાલુ જ છે. ટાઈમ્સ મેગેઝીન અનુસાર , અત્યારસુધીમાં ૨૧૭ પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યા છે. સાથેજ ન્યુઝ એજન્સી AP અનુસાર , ઈરાનમાં ૨૬૦૦થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે , ઈરાનમાં જે વિરોધ થઇ રહ્યા છે તેને US , ઇઝરાયેલ અને યુરોપીઅન દેશોનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ , ઇસ્લામિક શાસનનો ઝંડો ઉઠાવીને ફરનારા પાકિસ્તાન અને તુર્કી અમેરિકાના આદેશના કારણે ઈરાનને લઇને ચૂપ છે. બીજી તરફ, ઇઝરાયેલ દ્વારા હેઝબોલાહ પર કાર્યવાહીને સ્થગિત રાખવામાં આવી છે. ઈરાન પર આક્રમણની જરૂર પડે તો તે સમય માટેની તૈયારીઓ કરવામાં ઇઝરાયેલ લાગી ગયું છે.  ઈરાનમાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સાતમી જાન્યુઆરીથી ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેહરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનની સરકારે ચેતવણી આપી છે કે આંદોલનમાં સામેલ લોકો 'ઈશ્વરના દુશ્મન' છે અને તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે. 

Iran's Ayatollah Khamenei said he rejects Trump's offer to talk - ABC News

ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ અપીલ કરી છે કે લોકોએ હવે શહેરના મુખ્ય સ્થળો પર કબજો કરી લેવો જોઈએ.ઠેર ઠેર ફેલાયેલી હિંસાના કારણે ઈરાનમાં શાળા અને કોલેજો પણ બંધ છે, શિક્ષણ ઓનલાઈન જ આપવામાં આવી રહ્યું છે. ઈરાનની સરકારી ટીવી ચેનલમાં આંદોલન કરી રહેલા લોકોને આતંકવાદી કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે. સરકારી ટીવી ચેનલમાં કહેવામાં આવ્યું હતું કે હથિયાર સાથે આતંકવાદીઓએ અનેક જગ્યા પર હુમલા કર્યા અને આગચંપી કરી.  ઈરાનની અર્થવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિના કારણે આ આંદોલન શરૂ થયા હતા.  એક ડોલરની સામે ઈરાની રિયાલની કિંમત 14 લાખ સુધી પહોંચી ગઈ છે. આંદોલન કરી રહેલા લોકો 'ઈસ્લામિક રિપબ્લિક મુરદાબાદ', 'મુલ્લાઓએ જવું પડશે' જેવા નારા લગાવી રહ્યા છે.

 




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.