ઈરાનમાં US કરશે હુમલો કે પછી થશે ક્રાંતિ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-11 18:11:10

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય અગાઉ ટ્રુથસોશ્યિલ નામની સાઈટ પર લખવામાં આવ્યું હતું કે , " ઈરાન આઝાદી માટે રાહ જોઈ રહ્યું છે. જે પહેલા ક્યારેય નથી થયું. US મદદ માટે તૈયાર છે. "  તો હવે સંભવિત અમેરિકન લશ્કરી કાર્યવાહીના કારણે , ઈરાનની રાજધાની તહેરાનમાં હાલ હાઇએલર્ટ છે. 

Iran | People, Religion, Leader, Map, Conflict, Allies, Map, & Nuclear Deal  | Britannica

બીજી તરફ, ઈરાનમાં પ્રદર્શનકારીઓ દ્વાર દેખાવ ચાલુ જ છે. ટાઈમ્સ મેગેઝીન અનુસાર , અત્યારસુધીમાં ૨૧૭ પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યા છે. સાથેજ ન્યુઝ એજન્સી AP અનુસાર , ઈરાનમાં ૨૬૦૦થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે , ઈરાનમાં જે વિરોધ થઇ રહ્યા છે તેને US , ઇઝરાયેલ અને યુરોપીઅન દેશોનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ , ઇસ્લામિક શાસનનો ઝંડો ઉઠાવીને ફરનારા પાકિસ્તાન અને તુર્કી અમેરિકાના આદેશના કારણે ઈરાનને લઇને ચૂપ છે. બીજી તરફ, ઇઝરાયેલ દ્વારા હેઝબોલાહ પર કાર્યવાહીને સ્થગિત રાખવામાં આવી છે. ઈરાન પર આક્રમણની જરૂર પડે તો તે સમય માટેની તૈયારીઓ કરવામાં ઇઝરાયેલ લાગી ગયું છે.  ઈરાનમાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સાતમી જાન્યુઆરીથી ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેહરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનની સરકારે ચેતવણી આપી છે કે આંદોલનમાં સામેલ લોકો 'ઈશ્વરના દુશ્મન' છે અને તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે. 

Iran's Ayatollah Khamenei said he rejects Trump's offer to talk - ABC News

ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ અપીલ કરી છે કે લોકોએ હવે શહેરના મુખ્ય સ્થળો પર કબજો કરી લેવો જોઈએ.ઠેર ઠેર ફેલાયેલી હિંસાના કારણે ઈરાનમાં શાળા અને કોલેજો પણ બંધ છે, શિક્ષણ ઓનલાઈન જ આપવામાં આવી રહ્યું છે. ઈરાનની સરકારી ટીવી ચેનલમાં આંદોલન કરી રહેલા લોકોને આતંકવાદી કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે. સરકારી ટીવી ચેનલમાં કહેવામાં આવ્યું હતું કે હથિયાર સાથે આતંકવાદીઓએ અનેક જગ્યા પર હુમલા કર્યા અને આગચંપી કરી.  ઈરાનની અર્થવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિના કારણે આ આંદોલન શરૂ થયા હતા.  એક ડોલરની સામે ઈરાની રિયાલની કિંમત 14 લાખ સુધી પહોંચી ગઈ છે. આંદોલન કરી રહેલા લોકો 'ઈસ્લામિક રિપબ્લિક મુરદાબાદ', 'મુલ્લાઓએ જવું પડશે' જેવા નારા લગાવી રહ્યા છે.

 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"