ભારતે ઓલિમ્પિક ગેમ્સને લઇને કરી મહત્વની પહેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-12 19:11:13

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી. 

Indian Olympic Association - Wikipedia

હવે વાત કરીએ કે, નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ ( NOEDP)ની ભૂમિકા શું હશે? 

૧. આ પ્રોગ્રામનું અમલીકરણ નેશનલ સ્પોર્ટ ફેડરેશન અને સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના સહયોગથી તેનું અમલીકરણ કરવામાં આવશે. 

૨. ભારતમાં ઓલિમ્પિક માટે પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઉભું કરવું 

૩. ખેલાડીનો સર્વાંગી વિકાસ થાય સાથે જ તેની કારકિર્દીમાં તેને મદદ કરવામાં આવશે 

૪. રમતગમતને લગતી સંસ્થાઓમાં વહીવટને મજબૂત કરવામાં આવશે સાથે જ એક નેતૃત્વ અને પ્રોફેશનાલિઝમનો સંચાર કરવામાં આવશે. 

૫. કોચ , અધિકારીઓ , વહીવટદારો માટે કેપેસીટી બિલ્ડીંગ કરવામાં આવશે. 

Olympic losers: Why is India so bad at sport? - BBC News

નેશનલ ઓલિમ્પિક એકેડમી (NOA)ને કેમ ફરી સક્રિય કરવામાં આવી છે? નેશનલ ઓલિમ્પિક એકેડમીમાં IOA દ્વારા પ્રેસિડન્ટ તરીકે પી ટી ઉષા અને ડાઈરેકટર તરીકે ગગન નારંગની નિમણુંક કરવામાં આવી છે. NOAની મદદથી ભારતમાં જે ઓલિમ્પિક શિક્ષણ છે તેનો ઓલિમ્પિક ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય બેસ્ટ પ્રેક્ટિસીસ સાથે સહયોગ વધારવામાં આવશે. આ સહયોગ એક્સચેન્જ ઓફ નોલેજ , જોઈન્ટ પ્રોગ્રામ , રિસર્ચ ઇનિશિએટિવ અને ગ્લોબલ ઓલિમ્પિક એજ્યુકેશન ફોર્મમાં ભાગ લઇને વધારવામાં આવશે. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.