ભારત જોડો યાત્રાને પૂર્ણ થયા 100 દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-16 17:08:54

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આજે તેમની આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા ભારતના અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા રાજસ્તાન પહોંચી છે. રાજસ્તાન પહોંચેલી આ યાત્રાને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જયપુરમાં અમારી આ યાત્રાને સારૂ સમર્થન મળી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. એવું કહેવું એકદમ ખોટુ હશે કે કોંગ્રેસ પાર્ટી ખત્મ થઈ ગઈ છે. કોંગ્રેસ જ ભાજપ વિરૂદ્ધ લડે છે અને આવનાર સમયમાં કોંગ્રેસ જ ભાજપને હરાવશે.   

  

કોંગ્રેસ એક વિચારધારા છે - રાહુલ ગાંધી

રાજસ્તાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીનના વિચારો પર ચાલતી પાર્ટી છે. લોકો બોલવા માગે છે તો અમે સાંભળી લઈએ છીએ. જો કોઈ અનુશાસન તૂટે છે તો અમે કાર્યવાહી કરીએ છીએ. કોંગ્રેસ એક વિચારધારા છે અને મોટી પાર્ટીમાં વિવાદો ચાલતા રહે છે. 2023માં રાજસ્તાનમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ રાહુલ ગાંંધીએ વ્યક્ત કર્યો છે. જ્યારે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કીધું કે આ પ્રશ્ન મલ્લિકાર્જૂન ખડગેને કરવો જોઈએ કારણ કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. તે આનો જવાબ આપી શકે છે.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.