ભારત જોડો યાત્રાને પૂર્ણ થયા 100 દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-16 17:08:54

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આજે તેમની આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા ભારતના અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા રાજસ્તાન પહોંચી છે. રાજસ્તાન પહોંચેલી આ યાત્રાને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જયપુરમાં અમારી આ યાત્રાને સારૂ સમર્થન મળી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. એવું કહેવું એકદમ ખોટુ હશે કે કોંગ્રેસ પાર્ટી ખત્મ થઈ ગઈ છે. કોંગ્રેસ જ ભાજપ વિરૂદ્ધ લડે છે અને આવનાર સમયમાં કોંગ્રેસ જ ભાજપને હરાવશે.   

  

કોંગ્રેસ એક વિચારધારા છે - રાહુલ ગાંધી

રાજસ્તાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીનના વિચારો પર ચાલતી પાર્ટી છે. લોકો બોલવા માગે છે તો અમે સાંભળી લઈએ છીએ. જો કોઈ અનુશાસન તૂટે છે તો અમે કાર્યવાહી કરીએ છીએ. કોંગ્રેસ એક વિચારધારા છે અને મોટી પાર્ટીમાં વિવાદો ચાલતા રહે છે. 2023માં રાજસ્તાનમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ રાહુલ ગાંંધીએ વ્યક્ત કર્યો છે. જ્યારે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કીધું કે આ પ્રશ્ન મલ્લિકાર્જૂન ખડગેને કરવો જોઈએ કારણ કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. તે આનો જવાબ આપી શકે છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.