ભારત જોડો યાત્રાને પૂર્ણ થયા 100 દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-16 17:08:54

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આજે તેમની આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા ભારતના અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા રાજસ્તાન પહોંચી છે. રાજસ્તાન પહોંચેલી આ યાત્રાને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જયપુરમાં અમારી આ યાત્રાને સારૂ સમર્થન મળી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. એવું કહેવું એકદમ ખોટુ હશે કે કોંગ્રેસ પાર્ટી ખત્મ થઈ ગઈ છે. કોંગ્રેસ જ ભાજપ વિરૂદ્ધ લડે છે અને આવનાર સમયમાં કોંગ્રેસ જ ભાજપને હરાવશે.   

  

કોંગ્રેસ એક વિચારધારા છે - રાહુલ ગાંધી

રાજસ્તાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીનના વિચારો પર ચાલતી પાર્ટી છે. લોકો બોલવા માગે છે તો અમે સાંભળી લઈએ છીએ. જો કોઈ અનુશાસન તૂટે છે તો અમે કાર્યવાહી કરીએ છીએ. કોંગ્રેસ એક વિચારધારા છે અને મોટી પાર્ટીમાં વિવાદો ચાલતા રહે છે. 2023માં રાજસ્તાનમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ રાહુલ ગાંંધીએ વ્યક્ત કર્યો છે. જ્યારે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કીધું કે આ પ્રશ્ન મલ્લિકાર્જૂન ખડગેને કરવો જોઈએ કારણ કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. તે આનો જવાબ આપી શકે છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.