ડ્રાઈવરને ઊંઘનું જોકું આવતા સર્જાયો અકસ્માત, થયા 11 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-11-04 15:56:26

દેશમાં અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો થઈ રહ્યો છે. દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક અકસ્માત મધ્યપ્રદેશના બેતુલ અમરાવતી સ્ટેટ હાઈવે પર  બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં છે. આ 11 લોકોમાં 6 પુરૂષો , 3 મહિલાઓ અને બે બાળકો સામેલ છે. આ ઘટનાની જાણ થતા પીએમ મોદીએ વળતર આપવાની જાહેરાત કરી છે. 


11 લોકોના થયા મોત 

ગુરૂવારની રાત્રે અંદાજીત 2 વાગ્યાની આસપાસ બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે નજીક બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રમિકોના મોત થયા છે. ગાડીમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ગાડીનો ડ્રાઈવર બચી ગયો છે. કાર ચાલકના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવ કરતી વખતે તેને ઉંઘ આવી ગઈ હતી. ઊંઘનું જોકું આવી જતા કાર બસ સાથે અથડાઈ ગઈ હતી. ગાડી અથડાવાને કારણે 11 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા. 



પીએમ મોદી અને શિવરાજસિંહ ચૌહાણે દુ:ખ વ્યક્ત કર્યું 

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમએ પોતાની સંવેદના વ્યક્ત કરી વળતર રકમ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને 2-2 લાખ આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સંવેદના વ્યક્ત કરી છે. ટ્વિટ કરી તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.          




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.