ડ્રાઈવરને ઊંઘનું જોકું આવતા સર્જાયો અકસ્માત, થયા 11 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-11-04 15:56:26

દેશમાં અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો થઈ રહ્યો છે. દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક અકસ્માત મધ્યપ્રદેશના બેતુલ અમરાવતી સ્ટેટ હાઈવે પર  બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં છે. આ 11 લોકોમાં 6 પુરૂષો , 3 મહિલાઓ અને બે બાળકો સામેલ છે. આ ઘટનાની જાણ થતા પીએમ મોદીએ વળતર આપવાની જાહેરાત કરી છે. 


11 લોકોના થયા મોત 

ગુરૂવારની રાત્રે અંદાજીત 2 વાગ્યાની આસપાસ બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે નજીક બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રમિકોના મોત થયા છે. ગાડીમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ગાડીનો ડ્રાઈવર બચી ગયો છે. કાર ચાલકના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવ કરતી વખતે તેને ઉંઘ આવી ગઈ હતી. ઊંઘનું જોકું આવી જતા કાર બસ સાથે અથડાઈ ગઈ હતી. ગાડી અથડાવાને કારણે 11 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા. 



પીએમ મોદી અને શિવરાજસિંહ ચૌહાણે દુ:ખ વ્યક્ત કર્યું 

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમએ પોતાની સંવેદના વ્યક્ત કરી વળતર રકમ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને 2-2 લાખ આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સંવેદના વ્યક્ત કરી છે. ટ્વિટ કરી તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.          




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે