ડ્રાઈવરને ઊંઘનું જોકું આવતા સર્જાયો અકસ્માત, થયા 11 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-11-04 15:56:26

દેશમાં અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો થઈ રહ્યો છે. દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક અકસ્માત મધ્યપ્રદેશના બેતુલ અમરાવતી સ્ટેટ હાઈવે પર  બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 11 લોકોના મોત નિપજ્યાં છે. આ 11 લોકોમાં 6 પુરૂષો , 3 મહિલાઓ અને બે બાળકો સામેલ છે. આ ઘટનાની જાણ થતા પીએમ મોદીએ વળતર આપવાની જાહેરાત કરી છે. 


11 લોકોના થયા મોત 

ગુરૂવારની રાત્રે અંદાજીત 2 વાગ્યાની આસપાસ બેતુલ-અમરાવતી સ્ટેટ હાઈવે નજીક બસ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રમિકોના મોત થયા છે. ગાડીમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ગાડીનો ડ્રાઈવર બચી ગયો છે. કાર ચાલકના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવ કરતી વખતે તેને ઉંઘ આવી ગઈ હતી. ઊંઘનું જોકું આવી જતા કાર બસ સાથે અથડાઈ ગઈ હતી. ગાડી અથડાવાને કારણે 11 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા. 



પીએમ મોદી અને શિવરાજસિંહ ચૌહાણે દુ:ખ વ્યક્ત કર્યું 

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમએ પોતાની સંવેદના વ્યક્ત કરી વળતર રકમ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને 2-2 લાખ આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સંવેદના વ્યક્ત કરી છે. ટ્વિટ કરી તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.          




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.