સાઉથ આફ્રિકાથી ભારત પહોંચ્યા 12 ચિત્તાઓ, કુનો નેશનલ પાર્ક બનશે ચિત્તાઓનું ઘર


  • Published By :
  • Published Date : 2023-02-18 14:24:57

આફ્રિકન ચિત્તાનું  બીજું કેન્સાઈનમેન્ટ આજે એટલે 18 ફેબ્રુઆરીએ ભારત આવી પહોચ્યું છે.દક્ષિણ આફ્રિકાથી આવેલા આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. પાંચ મહિના પહેલા આઠ ચિત્તા ભારત આવ્યા હતા ત્યારે ફરી એક વખત 12 ચિત્તાઓ ભારત આવી પહોચ્યા છે.

    

ભારત આવી પહોંચ્યા 12 ચિત્તાઓ  

દક્ષિણ આફ્રિકાથી આવેલા 12 ચિત્તાઓ મધ્યપ્રદેશ પહોંચી ગયા છે. ભારતીય વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટમાં ચિત્તાઓને લવાયા હતા. ભારતમાં ચિત્તાઓને પુનસ્થાપિત કરવા માટેના આંતર સરકારી કરારના ભાગરૂપે શુક્રવારે ભારત આવવા માટે રવાના થઈ ગયા હતા. આ ચિત્તાઓને નામીહિયાના આઠ ચિત્તાઓ સાથે રાખવામાં આવશે. ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે ટ્વિટ કરી કહ્યું હતું કે 12 ચિત્તાઓએ ભારતની યાત્રા શરૂ કરી છે. તે શનિવાર સુધીમાં પહોંચી જશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા તેમને નેશનલ પાર્કમાં છોડવામાં આવશે.

     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.