સાઉથ આફ્રિકાથી ભારત પહોંચ્યા 12 ચિત્તાઓ, કુનો નેશનલ પાર્ક બનશે ચિત્તાઓનું ઘર


  • Published By :
  • Published Date : 2023-02-18 14:24:57

આફ્રિકન ચિત્તાનું  બીજું કેન્સાઈનમેન્ટ આજે એટલે 18 ફેબ્રુઆરીએ ભારત આવી પહોચ્યું છે.દક્ષિણ આફ્રિકાથી આવેલા આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. પાંચ મહિના પહેલા આઠ ચિત્તા ભારત આવ્યા હતા ત્યારે ફરી એક વખત 12 ચિત્તાઓ ભારત આવી પહોચ્યા છે.

    

ભારત આવી પહોંચ્યા 12 ચિત્તાઓ  

દક્ષિણ આફ્રિકાથી આવેલા 12 ચિત્તાઓ મધ્યપ્રદેશ પહોંચી ગયા છે. ભારતીય વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટમાં ચિત્તાઓને લવાયા હતા. ભારતમાં ચિત્તાઓને પુનસ્થાપિત કરવા માટેના આંતર સરકારી કરારના ભાગરૂપે શુક્રવારે ભારત આવવા માટે રવાના થઈ ગયા હતા. આ ચિત્તાઓને નામીહિયાના આઠ ચિત્તાઓ સાથે રાખવામાં આવશે. ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે ટ્વિટ કરી કહ્યું હતું કે 12 ચિત્તાઓએ ભારતની યાત્રા શરૂ કરી છે. તે શનિવાર સુધીમાં પહોંચી જશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા તેમને નેશનલ પાર્કમાં છોડવામાં આવશે.

     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.