14 પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દાખલ, ઈડી અને સીબીઆઈના દુરૂપયોગના આરોપમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-03-24 14:11:01

14 રાજનૈતિક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ, ઈડીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની સુનાવણી 5 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. યાચિકામાં વિપક્ષોનું કહેવું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. અનેક નેતાઓ પર સીબીઆઈ તેમજ અનેક તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં ડીએમકે, ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણુમુલ કોંગ્રેસ સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે.

  

14 પાર્ટીઓએ ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દ્વાર 

તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે તે વાતને લઈ 14 પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. વિપક્ષી દળના નેતાઓનું કહેવું છે કે બીજેપીમાં સામેલ થયા પછી નેતા વિરૂદ્ધ થતી કાર્યવાહી હંમેશા ખતમ કરી દેવામાં આવે છે અથવા તો તપાસ આગળ નથી વધતી. અરજન્ટ લિસ્ટિંગ માટે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરી હતી. સિંઘવીએ કહ્યું કે 95 કેસ વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ છે. ધરપકડ પહેલા અને ધરપકડ પછી દિશા-નિર્દેશોની માગ કરી રહ્યા છે.   


અનેક વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી 

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર,ઝારખંડ. છત્તીસગઢ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વિપક્ષી સરકારોના ટોચના નેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અથવા તો પૂછપરછ કરવામાં આવી છે અથવા તો કાર્યવાહી કરવામાં આવી છે. મનીષ સિસોદિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય શિવસેના નેતા સંજય રાઉત વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સિવાય અનિલ દેશમુખ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પહેલા હેમંત બિસ્વા સરમાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા ઉપરાંત પૂછપરછ કરવામાં આવી હતી. તે સિવાય હાલ જ રાબડી દેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આવા તો અનેક કિસ્સાઓ છે.    

  

પીએમ મોદીને લખ્યો હતો પત્ર 

થોડા સમય પહેલા નવ જેટલા નેતાઓએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જે નેતાઓએ ચિઠ્ઠી લખી હતી તેમાં ચંદ્રશેખર રાવો, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવાન માને પણ લખી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આગામી 5 એપ્રિલના રોજ આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.