14 પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દાખલ, ઈડી અને સીબીઆઈના દુરૂપયોગના આરોપમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-03-24 14:11:01

14 રાજનૈતિક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ, ઈડીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની સુનાવણી 5 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. યાચિકામાં વિપક્ષોનું કહેવું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. અનેક નેતાઓ પર સીબીઆઈ તેમજ અનેક તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં ડીએમકે, ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણુમુલ કોંગ્રેસ સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે.

  

14 પાર્ટીઓએ ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દ્વાર 

તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે તે વાતને લઈ 14 પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. વિપક્ષી દળના નેતાઓનું કહેવું છે કે બીજેપીમાં સામેલ થયા પછી નેતા વિરૂદ્ધ થતી કાર્યવાહી હંમેશા ખતમ કરી દેવામાં આવે છે અથવા તો તપાસ આગળ નથી વધતી. અરજન્ટ લિસ્ટિંગ માટે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરી હતી. સિંઘવીએ કહ્યું કે 95 કેસ વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ છે. ધરપકડ પહેલા અને ધરપકડ પછી દિશા-નિર્દેશોની માગ કરી રહ્યા છે.   


અનેક વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી 

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર,ઝારખંડ. છત્તીસગઢ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વિપક્ષી સરકારોના ટોચના નેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અથવા તો પૂછપરછ કરવામાં આવી છે અથવા તો કાર્યવાહી કરવામાં આવી છે. મનીષ સિસોદિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય શિવસેના નેતા સંજય રાઉત વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સિવાય અનિલ દેશમુખ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પહેલા હેમંત બિસ્વા સરમાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા ઉપરાંત પૂછપરછ કરવામાં આવી હતી. તે સિવાય હાલ જ રાબડી દેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આવા તો અનેક કિસ્સાઓ છે.    

  

પીએમ મોદીને લખ્યો હતો પત્ર 

થોડા સમય પહેલા નવ જેટલા નેતાઓએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જે નેતાઓએ ચિઠ્ઠી લખી હતી તેમાં ચંદ્રશેખર રાવો, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવાન માને પણ લખી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આગામી 5 એપ્રિલના રોજ આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.