14 પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દાખલ, ઈડી અને સીબીઆઈના દુરૂપયોગના આરોપમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-03-24 14:11:01

14 રાજનૈતિક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ, ઈડીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની સુનાવણી 5 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. યાચિકામાં વિપક્ષોનું કહેવું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. અનેક નેતાઓ પર સીબીઆઈ તેમજ અનેક તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં ડીએમકે, ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણુમુલ કોંગ્રેસ સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે.

  

14 પાર્ટીઓએ ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દ્વાર 

તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે તે વાતને લઈ 14 પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. વિપક્ષી દળના નેતાઓનું કહેવું છે કે બીજેપીમાં સામેલ થયા પછી નેતા વિરૂદ્ધ થતી કાર્યવાહી હંમેશા ખતમ કરી દેવામાં આવે છે અથવા તો તપાસ આગળ નથી વધતી. અરજન્ટ લિસ્ટિંગ માટે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરી હતી. સિંઘવીએ કહ્યું કે 95 કેસ વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ છે. ધરપકડ પહેલા અને ધરપકડ પછી દિશા-નિર્દેશોની માગ કરી રહ્યા છે.   


અનેક વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી 

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર,ઝારખંડ. છત્તીસગઢ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વિપક્ષી સરકારોના ટોચના નેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અથવા તો પૂછપરછ કરવામાં આવી છે અથવા તો કાર્યવાહી કરવામાં આવી છે. મનીષ સિસોદિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય શિવસેના નેતા સંજય રાઉત વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સિવાય અનિલ દેશમુખ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પહેલા હેમંત બિસ્વા સરમાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા ઉપરાંત પૂછપરછ કરવામાં આવી હતી. તે સિવાય હાલ જ રાબડી દેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આવા તો અનેક કિસ્સાઓ છે.    

  

પીએમ મોદીને લખ્યો હતો પત્ર 

થોડા સમય પહેલા નવ જેટલા નેતાઓએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જે નેતાઓએ ચિઠ્ઠી લખી હતી તેમાં ચંદ્રશેખર રાવો, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવાન માને પણ લખી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આગામી 5 એપ્રિલના રોજ આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.