ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કફ સિરપ પીધા પછી થયા મોત, ભારતની ફાર્મા કંપની પર લાગ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-29 11:39:19

ઉઝબેકિસ્તાનમાં પણ ગાંબિયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 18 બાળકોના મોત થઈ ગયા છે. ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે ભારતની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે 18 બાળકોના મોત થયા છે. આ અગાઉ ગાંબિયા દ્વારા પણ આરોપ લગાવામાં આવ્યો હતો કે ભારતની ફાર્માસ્યુટિક્લ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 66 બાળકોના મોત થયા છે. 


ભારતની ફાર્મા કંપની પર લગાવ્યો આરોપ  

કફ સિરપ પીવાને કારણે અનેક બાળકોના મોત થઈ રહ્યા છે તેવી ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાંજીયામાં ભારતની ફાર્મા કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કરતા 66 બાળકોની મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે આવી જ એક ઘટના ઉઝ્બેકિસ્તાનમાં બની છે. ઉઝ્બેકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની ફાર્મા કંપની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કર્યા બાદ બાળકોના મોત થયા છે. 


WHOએ આપી સહયોગ કરવાની ખાતરી 

આવી ઘટના બનવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉજ્બેકિસ્તાનને ખાતરી આપી છે કે તે ઉજ્બેકિસ્તાનની મદદ કરશે. ઉપરાંત આ ઘટનાને લઈ તપાસ પણ કરાવશે તેવી ખાતરી WHOએ આપી છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.