ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કફ સિરપ પીધા પછી થયા મોત, ભારતની ફાર્મા કંપની પર લાગ્યો આરોપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-29 11:39:19

ઉઝબેકિસ્તાનમાં પણ ગાંબિયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 18 બાળકોના મોત થઈ ગયા છે. ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે ભારતની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે 18 બાળકોના મોત થયા છે. આ અગાઉ ગાંબિયા દ્વારા પણ આરોપ લગાવામાં આવ્યો હતો કે ભારતની ફાર્માસ્યુટિક્લ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 66 બાળકોના મોત થયા છે. 


ભારતની ફાર્મા કંપની પર લગાવ્યો આરોપ  

કફ સિરપ પીવાને કારણે અનેક બાળકોના મોત થઈ રહ્યા છે તેવી ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાંજીયામાં ભારતની ફાર્મા કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કરતા 66 બાળકોની મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે આવી જ એક ઘટના ઉઝ્બેકિસ્તાનમાં બની છે. ઉઝ્બેકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની ફાર્મા કંપની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કર્યા બાદ બાળકોના મોત થયા છે. 


WHOએ આપી સહયોગ કરવાની ખાતરી 

આવી ઘટના બનવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉજ્બેકિસ્તાનને ખાતરી આપી છે કે તે ઉજ્બેકિસ્તાનની મદદ કરશે. ઉપરાંત આ ઘટનાને લઈ તપાસ પણ કરાવશે તેવી ખાતરી WHOએ આપી છે.     




એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.