દક્ષિણ કોરિયામાં લેન્ડિંગના 2 મિનિટ પહેલા પેસેન્જરે કરી એવી હરકત કે મુશ્કેલીમાં મુકાયા મુસાફરોના જીવ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-26 18:57:04

છેલ્લા ઘણા સમયથી વિમાનમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પ્લેનમાં મુસાફરી કરતો પેસેન્જર કોઈ વખત સિગરેટ પીતો જોવા મળે છે તો કોઈ વખત મહિલા પેસેન્જર સાથે ગેરવર્તન કરવાનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે પ્લેનમાં મુસાફરી કરતા બીજા યાત્રિકોના જીવનને જોખમમાં મૂકી દીધા હતા. એક વ્યક્તિએ પ્લેનનો ઈમરજન્સી ગેટ હવામાં ખોલી દીધો હતો. જેને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું.


ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે ખોલી દીધો ઈમરજન્સી ગેટ!

પ્લેનમાં થતી ઘટનાઓ અનેક વખત હેડલાઈન્સ બની જતી હોય છે. એવી અનેક ઘટનાઓ હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતી હોય છે. વિમાનમાં મુસાફરી કરતા લોકો ઘણી વખત બીજા લોકોના જીવ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની એક ફ્લાઈટમાં એક પેસેન્જરે 650 ફીટની ઉંચાઈ પર વિમાન ઉડી રહ્યું હતું તે દરમિયાન ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. ઈમરજન્સી ગેટ ખુલવાને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર પ્લેન સુરક્ષિત લેન્ડ થઈ ચૂક્યું છે. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 



ગેટ ખોલનાર યાત્રી પોલીસ કસ્ટડીમાં!

મળતી માહિતી અનુસાર આ ઘટના એશિયાના એરલાઈન્સની એરબસ A321-200માં બની છે. આ પ્લેનમાં 200 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પેસેન્જરે જ્યારે ગેટ ખોલ્યો ત્યારે પ્લેન અંદાજીત 650 ફીટની ઉંચાઈ પર હતું. ઈમરજન્સી એક્જિટ પાસે બેઠેલા પેસેન્જરે અચાનક જ ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. જેને કારણે ફ્લાઈટનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અચાનક ગેટ ખુલતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરો બૂમો પાડી રહ્યા હતા. પેસેન્જરે આ ઘટનાનો વીડિયો પણ બનાવી દીધો હતો. પ્લેનનું સેફ લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે. અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ પેસેન્જરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસે ગેટ ખોલનાર વ્યક્તિને પકડી દીધો છે.       



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.