દક્ષિણ કોરિયામાં લેન્ડિંગના 2 મિનિટ પહેલા પેસેન્જરે કરી એવી હરકત કે મુશ્કેલીમાં મુકાયા મુસાફરોના જીવ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-26 18:57:04

છેલ્લા ઘણા સમયથી વિમાનમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પ્લેનમાં મુસાફરી કરતો પેસેન્જર કોઈ વખત સિગરેટ પીતો જોવા મળે છે તો કોઈ વખત મહિલા પેસેન્જર સાથે ગેરવર્તન કરવાનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે પ્લેનમાં મુસાફરી કરતા બીજા યાત્રિકોના જીવનને જોખમમાં મૂકી દીધા હતા. એક વ્યક્તિએ પ્લેનનો ઈમરજન્સી ગેટ હવામાં ખોલી દીધો હતો. જેને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું.


ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે ખોલી દીધો ઈમરજન્સી ગેટ!

પ્લેનમાં થતી ઘટનાઓ અનેક વખત હેડલાઈન્સ બની જતી હોય છે. એવી અનેક ઘટનાઓ હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતી હોય છે. વિમાનમાં મુસાફરી કરતા લોકો ઘણી વખત બીજા લોકોના જીવ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની એક ફ્લાઈટમાં એક પેસેન્જરે 650 ફીટની ઉંચાઈ પર વિમાન ઉડી રહ્યું હતું તે દરમિયાન ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. ઈમરજન્સી ગેટ ખુલવાને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર પ્લેન સુરક્ષિત લેન્ડ થઈ ચૂક્યું છે. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 



ગેટ ખોલનાર યાત્રી પોલીસ કસ્ટડીમાં!

મળતી માહિતી અનુસાર આ ઘટના એશિયાના એરલાઈન્સની એરબસ A321-200માં બની છે. આ પ્લેનમાં 200 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પેસેન્જરે જ્યારે ગેટ ખોલ્યો ત્યારે પ્લેન અંદાજીત 650 ફીટની ઉંચાઈ પર હતું. ઈમરજન્સી એક્જિટ પાસે બેઠેલા પેસેન્જરે અચાનક જ ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. જેને કારણે ફ્લાઈટનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અચાનક ગેટ ખુલતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરો બૂમો પાડી રહ્યા હતા. પેસેન્જરે આ ઘટનાનો વીડિયો પણ બનાવી દીધો હતો. પ્લેનનું સેફ લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે. અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ પેસેન્જરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસે ગેટ ખોલનાર વ્યક્તિને પકડી દીધો છે.       



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.