દક્ષિણ કોરિયામાં લેન્ડિંગના 2 મિનિટ પહેલા પેસેન્જરે કરી એવી હરકત કે મુશ્કેલીમાં મુકાયા મુસાફરોના જીવ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-26 18:57:04

છેલ્લા ઘણા સમયથી વિમાનમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પ્લેનમાં મુસાફરી કરતો પેસેન્જર કોઈ વખત સિગરેટ પીતો જોવા મળે છે તો કોઈ વખત મહિલા પેસેન્જર સાથે ગેરવર્તન કરવાનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે પ્લેનમાં મુસાફરી કરતા બીજા યાત્રિકોના જીવનને જોખમમાં મૂકી દીધા હતા. એક વ્યક્તિએ પ્લેનનો ઈમરજન્સી ગેટ હવામાં ખોલી દીધો હતો. જેને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું.


ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરે ખોલી દીધો ઈમરજન્સી ગેટ!

પ્લેનમાં થતી ઘટનાઓ અનેક વખત હેડલાઈન્સ બની જતી હોય છે. એવી અનેક ઘટનાઓ હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતી હોય છે. વિમાનમાં મુસાફરી કરતા લોકો ઘણી વખત બીજા લોકોના જીવ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. ત્યારે સાઉથ કોરિયાની એક ફ્લાઈટમાં એક પેસેન્જરે 650 ફીટની ઉંચાઈ પર વિમાન ઉડી રહ્યું હતું તે દરમિયાન ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. ઈમરજન્સી ગેટ ખુલવાને કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર પ્લેન સુરક્ષિત લેન્ડ થઈ ચૂક્યું છે. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 



ગેટ ખોલનાર યાત્રી પોલીસ કસ્ટડીમાં!

મળતી માહિતી અનુસાર આ ઘટના એશિયાના એરલાઈન્સની એરબસ A321-200માં બની છે. આ પ્લેનમાં 200 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પેસેન્જરે જ્યારે ગેટ ખોલ્યો ત્યારે પ્લેન અંદાજીત 650 ફીટની ઉંચાઈ પર હતું. ઈમરજન્સી એક્જિટ પાસે બેઠેલા પેસેન્જરે અચાનક જ ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. જેને કારણે ફ્લાઈટનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અચાનક ગેટ ખુલતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરો બૂમો પાડી રહ્યા હતા. પેસેન્જરે આ ઘટનાનો વીડિયો પણ બનાવી દીધો હતો. પ્લેનનું સેફ લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે. અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ પેસેન્જરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસે ગેટ ખોલનાર વ્યક્તિને પકડી દીધો છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.