આજથી બદલાવાઈ શકાશે 2000ની નોટ! જાણો આરબીઆઈ ગવર્નરે આ નિર્ણય બાદ શું આપી હતી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-05-23 09:16:49

થોડા દિવસો પહેલા આરબીઆઈએ 2 હજારની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકોમાં 2000 રુપિયાની નોટ બદલવાની શરૂઆત આજથી થશે. 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં પૈસા બદલાવી શકાશે. નોટો બદલાવા અંગે આરબીઆઈએ માર્ગદર્શિકા જાહેર કરી છે. 20 હજાર સુધીની 2000ની નોટો એક સાથે બદલાવાઈ શકે છે. મહત્વનું છે કે 2000 રુપિયાની નોટો બદલવા માટે કોઈ ફોર્મ બેંકોમાં ભરવાની જરૂર નથી. 2000 રુપિયાની નોટો બદલવા માટે કોઈ ફોર્મ બેંકોમાં ભરવાની જરૂર નથી. આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે પરંતુ બે હજારની નોટ અમદાવાદ, બેંગ્લુરૂ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાત્તા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરૂવનંતપુરમાં બદલી શકાશે.  


શક્તિકાંત દાસે આ અંગે આપી પ્રતિક્રિયા!

આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ આરબીઆઈ ગવર્નરે પ્રતિક્રિયા આપી હતી. નોટ બદલાવા માટે લોકો પડાપડી ન કરે. ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રુપિયાની નોટને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે નિયમો અનુસાર ગમે તેટલી નોટો બદલી શકાય છે. તે જ સમયે, કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું છે કે બજારમાં અન્ય મૂલ્યોની નોટોની કોઈ અછત નથી. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપવામાં આવશે. કાઉન્ટર સામાન્ય રીતે કરવામાં આવશે, જેમ કે અગાઉ પ્રદાન કરવામાં આવ્યું હતું.


ક્લીન નોટ પોલિસી હેઠળ નિર્ણય

દાસે કહ્યું કે નોટો બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવશે,  2000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. RBI ગવર્નરે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો બદલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 23 મેથી, અન્ય મૂલ્યોની 2,000 રૂપિયાની નોટ બદલવાની મર્યાદા કોઈપણ બેંકમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની રહેશે. દાસે કહ્યું, અમે નોટો બદલવામાં આવતી મુશ્કેલીઓ પર સતત નજર રાખી રહ્યા છીએ.


RBI ગવર્નરની અપીલ 

RBI ગવર્નરે લોકોને અપીલ કરી છે કે તેઓ નોટો બદલવાની ખોટી અવ્યવસ્થા ન સર્જે. કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી. લોકો 30 સપ્ટેમ્બર સુધી રૂ. 2,000ની નોટોથી ખરીદી પણ કરી શકશે. RBI ગવર્નરે કહ્યું કે 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. RBI ગવર્નરે વધુમાં જણાવ્યું કે લોકોને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, ઉતાવળ કરવાની જરૂર નથી, તેથી તમે આરામથી બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, ચિંતા કરવાની જરૂર નથી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.