24 વર્ષની બંગાળી અભિનેત્રી એન્ડ્રિલા શર્માએ કહ્યું દુનિયાને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-20 18:23:15

ફિલ્મ જગતમાંથી એક બાદ દુ:ખી કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. અનેક કલાકારો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ગઈ કાલે બોલિવુડની પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થયું હતું. ત્યારે આજે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર આવ્યા છે. બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું નિધન થયું છે. 

બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું નિધન - bengali actress Aindrila Sharma  death – News18 Gujarati

કેન્સર સામેની જંગ જીતી ગયા 

24 વર્ષની વયે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એંડ્રિલા શર્માનું મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત થયું હતું. છેલ્લા ઘણા દિવસથી એન્ડિલા શર્માની હાલત ખરાબ હતી. દિવસેને દિવસે તેની પરિસ્થિતિ નાજુક થઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 15 નવેમ્બરના રોજ તેમને હાર્ટ એકેટ આવ્યો હતો જે બાદ તેમની તબિયત વધુ ખરાબ થતી જઈ રહી હતી. ઘણાં દિવસોથી તેઓ કોમામાં હતા. તબિયત વધારે ખરાબ થતા તેમને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું. અને જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. થોડા સમય પહેલા જ તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર નીકળ્યા હતા. અચાનક તેમની વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ઉઠ્યો છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી