24 વર્ષની બંગાળી અભિનેત્રી એન્ડ્રિલા શર્માએ કહ્યું દુનિયાને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-20 18:23:15

ફિલ્મ જગતમાંથી એક બાદ દુ:ખી કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. અનેક કલાકારો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ગઈ કાલે બોલિવુડની પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થયું હતું. ત્યારે આજે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર આવ્યા છે. બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું નિધન થયું છે. 

બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું નિધન - bengali actress Aindrila Sharma  death – News18 Gujarati

કેન્સર સામેની જંગ જીતી ગયા 

24 વર્ષની વયે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એંડ્રિલા શર્માનું મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત થયું હતું. છેલ્લા ઘણા દિવસથી એન્ડિલા શર્માની હાલત ખરાબ હતી. દિવસેને દિવસે તેની પરિસ્થિતિ નાજુક થઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 15 નવેમ્બરના રોજ તેમને હાર્ટ એકેટ આવ્યો હતો જે બાદ તેમની તબિયત વધુ ખરાબ થતી જઈ રહી હતી. ઘણાં દિવસોથી તેઓ કોમામાં હતા. તબિયત વધારે ખરાબ થતા તેમને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું. અને જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. થોડા સમય પહેલા જ તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર નીકળ્યા હતા. અચાનક તેમની વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ઉઠ્યો છે.  




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.