24 વર્ષની બંગાળી અભિનેત્રી એન્ડ્રિલા શર્માએ કહ્યું દુનિયાને અલવિદા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-20 18:23:15

ફિલ્મ જગતમાંથી એક બાદ દુ:ખી કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. અનેક કલાકારો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ગઈ કાલે બોલિવુડની પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થયું હતું. ત્યારે આજે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર આવ્યા છે. બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું નિધન થયું છે. 

બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું નિધન - bengali actress Aindrila Sharma  death – News18 Gujarati

કેન્સર સામેની જંગ જીતી ગયા 

24 વર્ષની વયે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એંડ્રિલા શર્માનું મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત થયું હતું. છેલ્લા ઘણા દિવસથી એન્ડિલા શર્માની હાલત ખરાબ હતી. દિવસેને દિવસે તેની પરિસ્થિતિ નાજુક થઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 15 નવેમ્બરના રોજ તેમને હાર્ટ એકેટ આવ્યો હતો જે બાદ તેમની તબિયત વધુ ખરાબ થતી જઈ રહી હતી. ઘણાં દિવસોથી તેઓ કોમામાં હતા. તબિયત વધારે ખરાબ થતા તેમને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું. અને જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. થોડા સમય પહેલા જ તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર નીકળ્યા હતા. અચાનક તેમની વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ઉઠ્યો છે.  




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.