24 વર્ષની બંગાળી અભિનેત્રી એન્ડ્રિલા શર્માએ કહ્યું દુનિયાને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-20 18:23:15

ફિલ્મ જગતમાંથી એક બાદ દુ:ખી કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. અનેક કલાકારો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ગઈ કાલે બોલિવુડની પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થયું હતું. ત્યારે આજે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર આવ્યા છે. બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું નિધન થયું છે. 

બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું નિધન - bengali actress Aindrila Sharma  death – News18 Gujarati

કેન્સર સામેની જંગ જીતી ગયા 

24 વર્ષની વયે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એંડ્રિલા શર્માનું મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત થયું હતું. છેલ્લા ઘણા દિવસથી એન્ડિલા શર્માની હાલત ખરાબ હતી. દિવસેને દિવસે તેની પરિસ્થિતિ નાજુક થઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 15 નવેમ્બરના રોજ તેમને હાર્ટ એકેટ આવ્યો હતો જે બાદ તેમની તબિયત વધુ ખરાબ થતી જઈ રહી હતી. ઘણાં દિવસોથી તેઓ કોમામાં હતા. તબિયત વધારે ખરાબ થતા તેમને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું. અને જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. થોડા સમય પહેલા જ તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર નીકળ્યા હતા. અચાનક તેમની વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ઉઠ્યો છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .