અમેરિકન એમ્બેસેડર સર્જિયો ગોરે કેમ જય શાહનો આભાર માન્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-08 17:47:44

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે. 

પ્લેટફોર્મ એક્સ પર સર્જિયો ગોરે લખ્યું છે કે , " #T20WorldCup માં ક્રિકેટની અદ્ભુત સાંજ માટે @ICC અને @JayShah નો આભાર! હું અનુમાન કરું છું કે આગામી ઓલિમ્પિક્સ સહિત યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે." અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરએ ICCના ચેરમેન જય શાહને મળ્યા હતા. ત્યારબાદ બને વચ્ચે અમેરિકામાં ક્રિકેટના ભવિષ્યને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પ્લેટફોર્મ એક્સ પર સર્જિયો ગોર દ્વારા એક બીજી પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે , " "અમે અમારા વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ, સ્ટાર પ્રતિભા અને અદ્ભુત ચાહકો સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્રિકેટના ઝડપી વિકાસ વિશે ચર્ચા કરી" . 

સર્જિયો ગોર ત્યારબાદ , રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે પણ ચર્ચા થઇ હતી. થોડાક સમય અગાઉ , ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઇ છે. હવે રમતગમત ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સબંધો મજબૂત થઇ રહ્યા છે. 




એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.