અમેરિકન એમ્બેસેડર સર્જિયો ગોરે કેમ જય શાહનો આભાર માન્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-08 17:47:44

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે. 

પ્લેટફોર્મ એક્સ પર સર્જિયો ગોરે લખ્યું છે કે , " #T20WorldCup માં ક્રિકેટની અદ્ભુત સાંજ માટે @ICC અને @JayShah નો આભાર! હું અનુમાન કરું છું કે આગામી ઓલિમ્પિક્સ સહિત યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે." અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરએ ICCના ચેરમેન જય શાહને મળ્યા હતા. ત્યારબાદ બને વચ્ચે અમેરિકામાં ક્રિકેટના ભવિષ્યને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પ્લેટફોર્મ એક્સ પર સર્જિયો ગોર દ્વારા એક બીજી પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે , " "અમે અમારા વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ, સ્ટાર પ્રતિભા અને અદ્ભુત ચાહકો સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્રિકેટના ઝડપી વિકાસ વિશે ચર્ચા કરી" . 

સર્જિયો ગોર ત્યારબાદ , રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે પણ ચર્ચા થઇ હતી. થોડાક સમય અગાઉ , ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઇ છે. હવે રમતગમત ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સબંધો મજબૂત થઇ રહ્યા છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.