જામનગરની પ્રખ્યાત સૂકી કચોરીના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયારનું હાર્ટ એટેકથી નિધન


  • Published By :
  • Published Date : 2023-11-29 22:54:12

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. આબાલવૃધ્ધ સૌ કોઈ હાર્ટએટેકની ઝપેટમાં આવી રહ્યા છે. સૌથી મોટી દુ:ખની બાબતો એ છે કે હ્ર્દયરોગ નવલોહિયા યુવાનોને પણ ભરખી રહ્યા છે. દરરોજ હાર્ટએટેકથી મોતના સમાચારો આવતા રહે છે. આજે જામનગરના જાણીતા જૈન વિજય ફરસાણના યુવાન વેપારીનું આંચકી આવ્યા બાદ નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં તેમના મોત પાછળ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સુમિત પઢીયારના મોતથી શોકનો માહોલ 


જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24) આજે પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે જ તેમને અચાનક જ આંચકી શરૂ થઈ ગઈ અને પછી ઢળી પડ્યા હતા. જેથી પેઢીમાં હાજર સ્ટાફ દ્વારા તેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા હતા.સુમિત પઢીયારના અચાનક અવસાનથી વેપારી આલમમાં પણ શોક જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકના કારણે સુમિત પઢીયારનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.


શહેરમાં હાર્ટ એટેકથી મોત વધ્યા


જામનગરમાં પણ હાર્ટએટેકથી મોતની સંખ્યા વધી રહી છે. થોડાસમય પહેલા જ જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની તબિયત અચાનક બગડી જતા મોત નીપજ્યુ હતું. પરિવારજનોનો દાવો છે કે, દીકરો યોગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો હતો. તે જ પ્રકારે જામનગર શહેરમાં 24 વર્ષના યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મોત નિપજયું હતું.  સેના નગર વિસ્તારમાં રહેતા માત્ર 24 વર્ષના યુવાનને તાવ શરદી સંબંધી તકલીફ થયા પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જેનું એકાએક હૃદય રોગનું હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું. 24 વર્ષીય યુવાન રવિ લુણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.