જામનગરની પ્રખ્યાત સૂકી કચોરીના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયારનું હાર્ટ એટેકથી નિધન


  • Published By :
  • Published Date : 2023-11-29 22:54:12

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. આબાલવૃધ્ધ સૌ કોઈ હાર્ટએટેકની ઝપેટમાં આવી રહ્યા છે. સૌથી મોટી દુ:ખની બાબતો એ છે કે હ્ર્દયરોગ નવલોહિયા યુવાનોને પણ ભરખી રહ્યા છે. દરરોજ હાર્ટએટેકથી મોતના સમાચારો આવતા રહે છે. આજે જામનગરના જાણીતા જૈન વિજય ફરસાણના યુવાન વેપારીનું આંચકી આવ્યા બાદ નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં તેમના મોત પાછળ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સુમિત પઢીયારના મોતથી શોકનો માહોલ 


જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24) આજે પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે જ તેમને અચાનક જ આંચકી શરૂ થઈ ગઈ અને પછી ઢળી પડ્યા હતા. જેથી પેઢીમાં હાજર સ્ટાફ દ્વારા તેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા હતા.સુમિત પઢીયારના અચાનક અવસાનથી વેપારી આલમમાં પણ શોક જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકના કારણે સુમિત પઢીયારનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.


શહેરમાં હાર્ટ એટેકથી મોત વધ્યા


જામનગરમાં પણ હાર્ટએટેકથી મોતની સંખ્યા વધી રહી છે. થોડાસમય પહેલા જ જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની તબિયત અચાનક બગડી જતા મોત નીપજ્યુ હતું. પરિવારજનોનો દાવો છે કે, દીકરો યોગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો હતો. તે જ પ્રકારે જામનગર શહેરમાં 24 વર્ષના યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મોત નિપજયું હતું.  સેના નગર વિસ્તારમાં રહેતા માત્ર 24 વર્ષના યુવાનને તાવ શરદી સંબંધી તકલીફ થયા પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જેનું એકાએક હૃદય રોગનું હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું. 24 વર્ષીય યુવાન રવિ લુણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.