બીટકોઈન કૌભાંડમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જામીન અપાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-08 21:04:21

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.  વર્ષ 2018માં બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના ACB કોર્ટના આદેશને અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.  અમદવાદ ACB કોર્ટે બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રૂપિયાના 200 બિટકોઈન પડાવવાના મામલામાં નલિન કોટડિયા અને PI અનંત પટેલ , કોન્સ્ટેબલો સહીત ૧૪ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નલિન કોટડિયાએ તેમને અપાયેલી સજા પર સ્ટેની માંગ સાથે પણ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. 

Bitcoin case: CID to take action against people who aided Gujarat Ex-MLA Nalin  Kotadiya


ACB કોર્ટે , આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઇલ થયેલા ૨૫ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.  તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો. તો હવે ગુજરાત હાઇકોર્ટે પૂર્વ MLA નલિન કોટડીયાને પણ ૫૦ હજારના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ , આ આખા કેસની તો , આ કૌભાંડની શરૂઆત 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટથી થઈ હતી. શૈલેષ ભટ્ટ પર આરોપ હતો કે તેણે સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઈન, 11,000 લાઇટકોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. આ રકમ તેણે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારોનું અપહરણ કરીને મેળવી હતી. શૈલેષ ભટ્ટે આ બિટકોઈન મેળવ્યાની જાણકારી તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડિયા અને તેમના સાથીઓ કેતન પટેલ અને કિરીટ પાલડિયાને થઈ. આ ત્રણેયે શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઈન પડાવી લેવાનો પ્લાન બનાવ્યો. આ યોજનામાં કેતન પટેલ અને નલિન કોટડિયાએ અમરેલી પોલીસના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ સાથે હાથ મિલાવ્યા. યોજના મુજબ, શૈલેષ ભટ્ટનું ગાંધીનગરથી અપહરણ કરી તેને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો. આ દરમિયાન તેની પાસેથી પહેલાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર દ્વારા અંદાજે રૂ. 5 કરોડ રોકડા પડાવ્યા હતા.

Gujarat High Court - Wikipedia


આ મામલાની ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. હવે વાત કરીએ, અમરેલીના પૂર્વ MLA નલિન કોટડીયા કોણ છે તો , વર્ષમાં 2012માં કોટડિયાએ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા અને ધારી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી જયારે , ગુજરાત પરિવર્તન પાર્ટીનું બીજેપીમાં વિલીનીકરણ થયું તે પછી , નલિન કોટડીયા પણ ભાજપમાં આવી ગયા હતા.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.