બીટકોઈન કૌભાંડમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જામીન અપાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-08 21:04:21

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.  વર્ષ 2018માં બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના ACB કોર્ટના આદેશને અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.  અમદવાદ ACB કોર્ટે બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રૂપિયાના 200 બિટકોઈન પડાવવાના મામલામાં નલિન કોટડિયા અને PI અનંત પટેલ , કોન્સ્ટેબલો સહીત ૧૪ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નલિન કોટડિયાએ તેમને અપાયેલી સજા પર સ્ટેની માંગ સાથે પણ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. 

Bitcoin case: CID to take action against people who aided Gujarat Ex-MLA Nalin  Kotadiya


ACB કોર્ટે , આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઇલ થયેલા ૨૫ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.  તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો. તો હવે ગુજરાત હાઇકોર્ટે પૂર્વ MLA નલિન કોટડીયાને પણ ૫૦ હજારના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ , આ આખા કેસની તો , આ કૌભાંડની શરૂઆત 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટથી થઈ હતી. શૈલેષ ભટ્ટ પર આરોપ હતો કે તેણે સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઈન, 11,000 લાઇટકોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. આ રકમ તેણે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારોનું અપહરણ કરીને મેળવી હતી. શૈલેષ ભટ્ટે આ બિટકોઈન મેળવ્યાની જાણકારી તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડિયા અને તેમના સાથીઓ કેતન પટેલ અને કિરીટ પાલડિયાને થઈ. આ ત્રણેયે શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઈન પડાવી લેવાનો પ્લાન બનાવ્યો. આ યોજનામાં કેતન પટેલ અને નલિન કોટડિયાએ અમરેલી પોલીસના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ સાથે હાથ મિલાવ્યા. યોજના મુજબ, શૈલેષ ભટ્ટનું ગાંધીનગરથી અપહરણ કરી તેને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો. આ દરમિયાન તેની પાસેથી પહેલાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર દ્વારા અંદાજે રૂ. 5 કરોડ રોકડા પડાવ્યા હતા.

Gujarat High Court - Wikipedia


આ મામલાની ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. હવે વાત કરીએ, અમરેલીના પૂર્વ MLA નલિન કોટડીયા કોણ છે તો , વર્ષમાં 2012માં કોટડિયાએ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા અને ધારી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી જયારે , ગુજરાત પરિવર્તન પાર્ટીનું બીજેપીમાં વિલીનીકરણ થયું તે પછી , નલિન કોટડીયા પણ ભાજપમાં આવી ગયા હતા.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.