પાંચ વર્ષીય ગુજરાતી મૂળની બાળકીના મોત બદલ ૩૫ વર્ષીય પુરુષને ફટકારાઈ આટલા વર્ષની સજા,જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-27 17:05:01

લોકો પર  હુમલો થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. એ પછી ભારત હોય કે પછી વિદેશ હોય. લોકો પર હુમલા થવાના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે પરંતુ જે પ્રમાણે આરોપીઓને સજા કરવામાં આવે તે અલગ હોય છે. થોડા સમય પહેલા અમેરિકાના લુસિયાનામાં માર્ચ 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની મોત થઈ હતી. તેના મોત થવા બદલ 35 વર્ષના યુવકને કોર્ટે પાંચ કે દસ વર્ષની નહીં પરંતુ 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. 


યુવકને કોર્ટે ફટકારી 100 વર્ષની સજા

વિદેશમાં ભારતીયો પર થતા હુમલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોની હત્યા વિદેશની ધરતી પર થતી હોય છે. ત્યારે 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની હત્યા અમેરિકાના લુસિયાનામાં થઈ હતી. આરોપી સ્મિથ દ્વારા બંદૂકમાંથી ફાયર કરવામાં આવેલી ગોળી હોટલના રૂમમાં રમી રહેલી માયાના માથાના ભાગે વાગી.  હોસ્પિટલ બાળકીને ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારે કોર્ટે 35 વર્ષના આરોપીને 100 વર્ષની સજા ફટકારી છે. 


લોકોએ આવકાર્યો કોર્ટના નિર્ણયને! 

અમેરિકાના લુસિયાનામાં 2021માં 5 વર્ષની ગુજરાતી મૂળની બાળકીની હત્યામાં દોષિત જોસેફ લી સ્મિથને 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આરોપીને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ તમામ શરતો કેસમાં પ્રોબેશન, પેરોલ અથવા સજામાં ઘટાડો કરવાના કોઈપણ લાભ વિના આપવી જોઈએ. જે નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેને લોકો આવકારી રહ્યા છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .