પાંચ વર્ષીય ગુજરાતી મૂળની બાળકીના મોત બદલ ૩૫ વર્ષીય પુરુષને ફટકારાઈ આટલા વર્ષની સજા,જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-27 17:05:01

લોકો પર  હુમલો થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. એ પછી ભારત હોય કે પછી વિદેશ હોય. લોકો પર હુમલા થવાના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે પરંતુ જે પ્રમાણે આરોપીઓને સજા કરવામાં આવે તે અલગ હોય છે. થોડા સમય પહેલા અમેરિકાના લુસિયાનામાં માર્ચ 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની મોત થઈ હતી. તેના મોત થવા બદલ 35 વર્ષના યુવકને કોર્ટે પાંચ કે દસ વર્ષની નહીં પરંતુ 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. 


યુવકને કોર્ટે ફટકારી 100 વર્ષની સજા

વિદેશમાં ભારતીયો પર થતા હુમલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોની હત્યા વિદેશની ધરતી પર થતી હોય છે. ત્યારે 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની હત્યા અમેરિકાના લુસિયાનામાં થઈ હતી. આરોપી સ્મિથ દ્વારા બંદૂકમાંથી ફાયર કરવામાં આવેલી ગોળી હોટલના રૂમમાં રમી રહેલી માયાના માથાના ભાગે વાગી.  હોસ્પિટલ બાળકીને ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારે કોર્ટે 35 વર્ષના આરોપીને 100 વર્ષની સજા ફટકારી છે. 


લોકોએ આવકાર્યો કોર્ટના નિર્ણયને! 

અમેરિકાના લુસિયાનામાં 2021માં 5 વર્ષની ગુજરાતી મૂળની બાળકીની હત્યામાં દોષિત જોસેફ લી સ્મિથને 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આરોપીને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ તમામ શરતો કેસમાં પ્રોબેશન, પેરોલ અથવા સજામાં ઘટાડો કરવાના કોઈપણ લાભ વિના આપવી જોઈએ. જે નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેને લોકો આવકારી રહ્યા છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.