પાંચ વર્ષીય ગુજરાતી મૂળની બાળકીના મોત બદલ ૩૫ વર્ષીય પુરુષને ફટકારાઈ આટલા વર્ષની સજા,જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-27 17:05:01

લોકો પર  હુમલો થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. એ પછી ભારત હોય કે પછી વિદેશ હોય. લોકો પર હુમલા થવાના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે પરંતુ જે પ્રમાણે આરોપીઓને સજા કરવામાં આવે તે અલગ હોય છે. થોડા સમય પહેલા અમેરિકાના લુસિયાનામાં માર્ચ 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની મોત થઈ હતી. તેના મોત થવા બદલ 35 વર્ષના યુવકને કોર્ટે પાંચ કે દસ વર્ષની નહીં પરંતુ 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. 


યુવકને કોર્ટે ફટકારી 100 વર્ષની સજા

વિદેશમાં ભારતીયો પર થતા હુમલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોની હત્યા વિદેશની ધરતી પર થતી હોય છે. ત્યારે 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની હત્યા અમેરિકાના લુસિયાનામાં થઈ હતી. આરોપી સ્મિથ દ્વારા બંદૂકમાંથી ફાયર કરવામાં આવેલી ગોળી હોટલના રૂમમાં રમી રહેલી માયાના માથાના ભાગે વાગી.  હોસ્પિટલ બાળકીને ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારે કોર્ટે 35 વર્ષના આરોપીને 100 વર્ષની સજા ફટકારી છે. 


લોકોએ આવકાર્યો કોર્ટના નિર્ણયને! 

અમેરિકાના લુસિયાનામાં 2021માં 5 વર્ષની ગુજરાતી મૂળની બાળકીની હત્યામાં દોષિત જોસેફ લી સ્મિથને 100 વર્ષની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આરોપીને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં મીડિયા રિપોર્ટના આધારે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષની અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ તમામ શરતો કેસમાં પ્રોબેશન, પેરોલ અથવા સજામાં ઘટાડો કરવાના કોઈપણ લાભ વિના આપવી જોઈએ. જે નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેને લોકો આવકારી રહ્યા છે.  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.