છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે પૂર્ણ થયા 350 વર્ષ! પીએમ મોદીએ વીડિયો શેર કરી પાઠવી શુભકામના, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-06-02 14:31:45

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે 350 વર્ષ પૂર્ણ થયા છે. અનેક રાજ્યોમાં આને લઈ ઉજવણી થઈ રહી છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં આને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે.

  

વીડિયો દ્વારા પીએમ મોદીએ પાઠવી શુભકામના!           

350 વર્ષ પહેલા આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ છત્રપતિ શિવાજી મહારાજને લઈ લોકોમાં આદર અને સન્માન દેખાય છે. મહારાષ્ટ્રમાં તો શિવાજી મહારાજ માટે અલગ જ સન્માન જોવા મળે છે. ત્યારે આજના દિવસને લઈ મહારાષ્ટ્રમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. ઉત્સવ મનાવાઈ રહ્યો છે. આ દિવસ નિમીત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશો આપ્યો છે. વીડિયો દ્વારા તેમણે આ દિવસની શુભકામના પાઠવી છે.  

ગુલામીની માનસિકતાનો અંત આવ્યો! 

વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે. શિવાજી મહારાજ ગુલામીની માનસિકતાનો અંત લાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકએ સમયનો અદ્ધુત અને વિશેષ પ્રકરણ છે. રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં પ્રણામ કરૂં છું. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.