છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે પૂર્ણ થયા 350 વર્ષ! પીએમ મોદીએ વીડિયો શેર કરી પાઠવી શુભકામના, કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-02 14:31:45

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે 350 વર્ષ પૂર્ણ થયા છે. અનેક રાજ્યોમાં આને લઈ ઉજવણી થઈ રહી છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં આને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે.

  

વીડિયો દ્વારા પીએમ મોદીએ પાઠવી શુભકામના!           

350 વર્ષ પહેલા આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ છત્રપતિ શિવાજી મહારાજને લઈ લોકોમાં આદર અને સન્માન દેખાય છે. મહારાષ્ટ્રમાં તો શિવાજી મહારાજ માટે અલગ જ સન્માન જોવા મળે છે. ત્યારે આજના દિવસને લઈ મહારાષ્ટ્રમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. ઉત્સવ મનાવાઈ રહ્યો છે. આ દિવસ નિમીત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશો આપ્યો છે. વીડિયો દ્વારા તેમણે આ દિવસની શુભકામના પાઠવી છે.  

ગુલામીની માનસિકતાનો અંત આવ્યો! 

વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે. શિવાજી મહારાજ ગુલામીની માનસિકતાનો અંત લાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકએ સમયનો અદ્ધુત અને વિશેષ પ્રકરણ છે. રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં પ્રણામ કરૂં છું. 



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.