છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે પૂર્ણ થયા 350 વર્ષ! પીએમ મોદીએ વીડિયો શેર કરી પાઠવી શુભકામના, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-06-02 14:31:45

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે 350 વર્ષ પૂર્ણ થયા છે. અનેક રાજ્યોમાં આને લઈ ઉજવણી થઈ રહી છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં આને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે.

  

વીડિયો દ્વારા પીએમ મોદીએ પાઠવી શુભકામના!           

350 વર્ષ પહેલા આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ છત્રપતિ શિવાજી મહારાજને લઈ લોકોમાં આદર અને સન્માન દેખાય છે. મહારાષ્ટ્રમાં તો શિવાજી મહારાજ માટે અલગ જ સન્માન જોવા મળે છે. ત્યારે આજના દિવસને લઈ મહારાષ્ટ્રમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. ઉત્સવ મનાવાઈ રહ્યો છે. આ દિવસ નિમીત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશો આપ્યો છે. વીડિયો દ્વારા તેમણે આ દિવસની શુભકામના પાઠવી છે.  

ગુલામીની માનસિકતાનો અંત આવ્યો! 

વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે. શિવાજી મહારાજ ગુલામીની માનસિકતાનો અંત લાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકએ સમયનો અદ્ધુત અને વિશેષ પ્રકરણ છે. રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં પ્રણામ કરૂં છું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.