હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને WHOએ ગણાવી જીવલેણ, અનેક દેશોમાં ચાલી રહ્યું છે દવાનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 09:46:11

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠવે ભારતમાં બનારી કફ સિરપ માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ વિશે એલર્ટ કરી દીધા છે. દવાને કારણે બાળકોની કિડની પર ગંભીર અસર પડી રહી છે. WHOના કહેવા પ્રમાણે ગામ્બિયામાં 66 બાળકોના મોત આ દવાને કારણે થયા હોઈ શકે છે. આ ચાર દવાઓના નામ આ પ્રમાણે છે -  Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup और Magrip N Cold Syrup. 

 

WHOએ આપી DCGIને ચેતવણી 

મેડિકલ પ્રોડક્ટ જાહેર કરી WHOએ કહ્યું કે આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ ગંભીર છે.  66 બાળકોના મોત પાછળ આ દવાઓ જવાબદાર હોઈ શકે છે તેવું પ્રામથિક તપાસમાં સામે આવ્યું છે. જેને કારણે WHOએ DCGIને આ 4 ચાર કફ સિરપ અંગે ચેતવણી આપી છે. ભારતની કંપનીનું નામ આ પ્રકરણમાં આવતા કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત ફાર્માસ્યુટુકલ ફર્મ દ્વારા બનવામાં આવેલી દવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.       



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.