હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને WHOએ ગણાવી જીવલેણ, અનેક દેશોમાં ચાલી રહ્યું છે દવાનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 09:46:11

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠવે ભારતમાં બનારી કફ સિરપ માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ વિશે એલર્ટ કરી દીધા છે. દવાને કારણે બાળકોની કિડની પર ગંભીર અસર પડી રહી છે. WHOના કહેવા પ્રમાણે ગામ્બિયામાં 66 બાળકોના મોત આ દવાને કારણે થયા હોઈ શકે છે. આ ચાર દવાઓના નામ આ પ્રમાણે છે -  Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup और Magrip N Cold Syrup. 

 

WHOએ આપી DCGIને ચેતવણી 

મેડિકલ પ્રોડક્ટ જાહેર કરી WHOએ કહ્યું કે આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ ગંભીર છે.  66 બાળકોના મોત પાછળ આ દવાઓ જવાબદાર હોઈ શકે છે તેવું પ્રામથિક તપાસમાં સામે આવ્યું છે. જેને કારણે WHOએ DCGIને આ 4 ચાર કફ સિરપ અંગે ચેતવણી આપી છે. ભારતની કંપનીનું નામ આ પ્રકરણમાં આવતા કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત ફાર્માસ્યુટુકલ ફર્મ દ્વારા બનવામાં આવેલી દવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.