હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને WHOએ ગણાવી જીવલેણ, અનેક દેશોમાં ચાલી રહ્યું છે દવાનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 09:46:11

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠવે ભારતમાં બનારી કફ સિરપ માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ વિશે એલર્ટ કરી દીધા છે. દવાને કારણે બાળકોની કિડની પર ગંભીર અસર પડી રહી છે. WHOના કહેવા પ્રમાણે ગામ્બિયામાં 66 બાળકોના મોત આ દવાને કારણે થયા હોઈ શકે છે. આ ચાર દવાઓના નામ આ પ્રમાણે છે -  Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup और Magrip N Cold Syrup. 

 

WHOએ આપી DCGIને ચેતવણી 

મેડિકલ પ્રોડક્ટ જાહેર કરી WHOએ કહ્યું કે આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ ગંભીર છે.  66 બાળકોના મોત પાછળ આ દવાઓ જવાબદાર હોઈ શકે છે તેવું પ્રામથિક તપાસમાં સામે આવ્યું છે. જેને કારણે WHOએ DCGIને આ 4 ચાર કફ સિરપ અંગે ચેતવણી આપી છે. ભારતની કંપનીનું નામ આ પ્રકરણમાં આવતા કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત ફાર્માસ્યુટુકલ ફર્મ દ્વારા બનવામાં આવેલી દવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.       



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.