સીરિયામાં ભૂકંપને કારણે 53 લાખ લોકો થયા બેઘર!! વિનાશકારી ભૂકંપને કારણે સર્જાઈ તારાજી


  • Published By :
  • Published Date : 2023-02-11 13:29:35

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ ભૂકંપ એકદમ ખતરનાક સાબિત થયો છે. બંને દેશોમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર 24 હજારની આસપાસ લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ 78 હજારને પાર પહોંચી ગયો છે. રાહતની કામગીરી સતત ચાલી રહી છે. આ ઘટનાને કારણે લાખો લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા લગાવામાં આવી રહ્યું છે.


ચાલી રહી છે રાહત અને બચાવની કામગીરી    

થોડા દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળાઆ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે મોટી સંખ્યામાં બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી. અનેક લોકો કાઠમાળની નીચે ફસાઈ ગયા હતા. રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકોને બચાવવામાં આવી રહ્યા છે. દબાયેલા લોકોને બહાર નીકાળવાની કામગરી સતત ચાલી રહ્યું છે. આ તારાજીને કારણે હજાર લોકો બેધર થઈ ગયા છે. 


53 લાખ જેટલા લોકો થઈ ગયા છે બેઘર 

આ વિનાશકારી ભૂકંપને લઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આંકડો આપવામાં આવ્યો છે જેને લઈ ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાને કારણે 53 લાખ જેટલા લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. યૂએન હાઈ કમિશ્નર ઓફ રિફ્યુજીના સીરિયાઈ પ્રતિનિધીએ જણાવ્યું કે સીરિયામાં ઓછામાં ઓછા 53 લાખ જેટલા લોકો આ ભૂકંપને કારણે બેઘર થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા રાહતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.     




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .