સીરિયામાં ભૂકંપને કારણે 53 લાખ લોકો થયા બેઘર!! વિનાશકારી ભૂકંપને કારણે સર્જાઈ તારાજી


  • Published By :
  • Published Date : 2023-02-11 13:29:35

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ ભૂકંપ એકદમ ખતરનાક સાબિત થયો છે. બંને દેશોમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર 24 હજારની આસપાસ લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ 78 હજારને પાર પહોંચી ગયો છે. રાહતની કામગીરી સતત ચાલી રહી છે. આ ઘટનાને કારણે લાખો લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા લગાવામાં આવી રહ્યું છે.


ચાલી રહી છે રાહત અને બચાવની કામગીરી    

થોડા દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળાઆ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે મોટી સંખ્યામાં બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી. અનેક લોકો કાઠમાળની નીચે ફસાઈ ગયા હતા. રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકોને બચાવવામાં આવી રહ્યા છે. દબાયેલા લોકોને બહાર નીકાળવાની કામગરી સતત ચાલી રહ્યું છે. આ તારાજીને કારણે હજાર લોકો બેધર થઈ ગયા છે. 


53 લાખ જેટલા લોકો થઈ ગયા છે બેઘર 

આ વિનાશકારી ભૂકંપને લઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આંકડો આપવામાં આવ્યો છે જેને લઈ ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાને કારણે 53 લાખ જેટલા લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. યૂએન હાઈ કમિશ્નર ઓફ રિફ્યુજીના સીરિયાઈ પ્રતિનિધીએ જણાવ્યું કે સીરિયામાં ઓછામાં ઓછા 53 લાખ જેટલા લોકો આ ભૂકંપને કારણે બેઘર થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા રાહતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.     




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.