લખીમપુરમાં દલિત બહેનો પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 6ની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 10:52:43

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતા 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

UP News: Dead bodies of Dalit sisters found hanging from tree in Lakhimpur  Kheri, mother told – three youths had taken them away

પોલીસ તપાસ તેજ કરાઇ 

યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓ પર બે આરોપીઓ સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેમણે તેમના ચાર સાથીઓ સાથે મળીને તેમની સાથે બળાત્કાર કર્યો અને તેમની હત્યા કરી.


લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમને જણાવ્યું કે તમામ આરોપીઓ અને પીડિતો લાલપુર ગામના છે. ચાર આરોપીઓએ છોકરીઓ પર બળાત્કાર કરીને હત્યા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ તેમની મદદ કરી હતી.

Breaking: Sanjeev Suman Appointed As New SP, Replacing Lakhimpur's SP Vijay  Dhull. | Breaking: Lakhimpur के SP Vijay Dhull को हटाकर, Sanjeev Suman बनाए  गए नए SP। HINDI NEWS

લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમન ફાઇલ તસ્વીર 

આરોપીઓની ઓળખ ચેતરામ ગૌતમ, જુનેદ, સુહેલ, કરીમુદ્દીન, આરીફ અને હફીઝ-ઉર-રહેમાન તરીકે કરવામાં આવી છે. જુનૈદની પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેને ગોળી વાગી હતી.


એસપીએ એમ પણ કહ્યું કે ત્રણ ડૉક્ટરોની પેનલ પીડિતોનું પોસ્ટમોર્ટમ કરશે અને તે જ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા જોવા મળ્યા 

પીડિત પરિવારના દાવાથી વિપરીત કે છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, એસપી સંજીવ સુમને કહ્યું હતું કે છોકરીઓ તેમની સ્વતંત્ર ઇચ્છાથી આરોપીઓ સાથે ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોહેલ અને જુનૈદે તપાસમાં ખુલાસો કર્યો હતો કે તેઓએ યુવતીઓ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.