દેશના 78% વૃધ્ધો પાસે નથી પેન્શન, NITI આયોગે કરી અનિવાર્ય બચત યોજનાની ભલામણ


  • Published By :
  • Published Date : 2024-02-20 14:30:58

નીતિ આયોગે કેન્દ્ર સરકારને વૃધ્ધોને નિવૃતિ પેન્શન આપવાની ભલામણ કરી છે. હાલ દેશમાં 78 ટકા સીનિયર સિટિજન્સની પાસે પેન્શનનો સહારો પણ નથી. 60 વર્ષથી ઉપરના માત્ર 18 ટકા લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ છે. માત્ર 13 ટકા વૃધ્ધો પાસે આરોગ્ય સંબંધિત ખર્ચા કાઢી શકાય તેટલા નાણા છે. આજ કારણે નીતિ આયોગે કહ્યું છે કે રિટાયરમેન્ટ બાદ વૃધ્ધોની આર્થિક સ્થિતી ખરાબ થવાનો તોળાઈ રહ્યો છે. 


NITIની રિપોર્ટ જાહેર


દેશના NITI આયોગે એક રિપોર્ટ જાહેર કરી છે. 'સિનિયર કેયર રિફોર્મન્સ ઈન ઈન્ડિયા- રીઈમેજિનિંગ ધ સિનિયર કેયર પેરાડાઈમ' નામની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૃધ્ધો માટે એક નેશનલ પોર્ટલ બનાવવા જોઈએ. જેથી તે પોતાની જીવન જરૂરીયાતો પૂરી કરી શકે. તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ 12.8 ટકા લોકો 60 વર્ષથી વધુ વયના છે. વર્ષ 2031 એવા લગભગ 13.2 ટકા અને 2050 સુધી આ આંકડો લગભગ 19 ટકા થઈ જશે.  વર્ષ 2021થી 2031 વચ્ચે ડિપેન્ડેન્સી રેશિયો 15.7 ટકાથી વધીને 20.1 ટકા થવાનું અનુમાન વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે વર્કિંગ પોપ્યુલેશનની આર્થિક જવાબદારીઓ વધશે. 


શું કહ્યું નીતિ આયોગે?


નીતિ આયોગના જણાવ્યા પ્રમાણે ભારતમાં સોશિયલ સિક્યોરિટી ફ્રેમવર્કની મર્યાગા સમિત છે. મહત્તમ વૃધ્ધો તેમની બચતની રકમ પર નિર્ભર છે, પરંતુ વ્યાજ દરોમાં વધ-ઘટથી તેમની આવક પર અસર થાય છે. અને તેમની જરૂરિયાતો પુરી કરવી મુશ્કેલ બની જાય છે. સરકારે આ માટે રિવર્સ મોર્ગેજના નિયમોમાં પણ જરૂરી ફેરફાર કરવો જોઈએ, જેથી વૃધ્ધો માટે લિક્વિડીટી વધી શકે. રિવર્સ મોર્ગેજ દ્વારા વૃધ્ધો તેમની પ્રોપર્ટીમાં રહેવાની સાથે જ તેના પર લોન લઈ શકે છે, તથા એક નક્કી કરેલી માસિક રકમ મેળવી શકે છે.   


અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને મળે પેન્શનનો હક


NITI આયોગે કહ્યું છે કે અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને પણ પેન્શન સપોર્ટ મળવો જોઈએ, મોંઘવારીને જોતા પેન્શનની રકમમાં ફેરફારની પણ જરૂરીયાત છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વૃધ્ધોને પણ સામેલ કરવા જોઈએ, અને તેનું કવરેજ અનેક નોન-મેડિકલ ચીજો સુધી વધારતા ઘરમાં જ ઉભી થનારી હેલ્થથી સંબંધિત જરૂરિયાતોને પણ પુરી કરવી જોઈએ. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .