દેશના 78% વૃધ્ધો પાસે નથી પેન્શન, NITI આયોગે કરી અનિવાર્ય બચત યોજનાની ભલામણ


  • Published By :
  • Published Date : 2024-02-20 14:30:58

નીતિ આયોગે કેન્દ્ર સરકારને વૃધ્ધોને નિવૃતિ પેન્શન આપવાની ભલામણ કરી છે. હાલ દેશમાં 78 ટકા સીનિયર સિટિજન્સની પાસે પેન્શનનો સહારો પણ નથી. 60 વર્ષથી ઉપરના માત્ર 18 ટકા લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ છે. માત્ર 13 ટકા વૃધ્ધો પાસે આરોગ્ય સંબંધિત ખર્ચા કાઢી શકાય તેટલા નાણા છે. આજ કારણે નીતિ આયોગે કહ્યું છે કે રિટાયરમેન્ટ બાદ વૃધ્ધોની આર્થિક સ્થિતી ખરાબ થવાનો તોળાઈ રહ્યો છે. 


NITIની રિપોર્ટ જાહેર


દેશના NITI આયોગે એક રિપોર્ટ જાહેર કરી છે. 'સિનિયર કેયર રિફોર્મન્સ ઈન ઈન્ડિયા- રીઈમેજિનિંગ ધ સિનિયર કેયર પેરાડાઈમ' નામની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૃધ્ધો માટે એક નેશનલ પોર્ટલ બનાવવા જોઈએ. જેથી તે પોતાની જીવન જરૂરીયાતો પૂરી કરી શકે. તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ 12.8 ટકા લોકો 60 વર્ષથી વધુ વયના છે. વર્ષ 2031 એવા લગભગ 13.2 ટકા અને 2050 સુધી આ આંકડો લગભગ 19 ટકા થઈ જશે.  વર્ષ 2021થી 2031 વચ્ચે ડિપેન્ડેન્સી રેશિયો 15.7 ટકાથી વધીને 20.1 ટકા થવાનું અનુમાન વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે વર્કિંગ પોપ્યુલેશનની આર્થિક જવાબદારીઓ વધશે. 


શું કહ્યું નીતિ આયોગે?


નીતિ આયોગના જણાવ્યા પ્રમાણે ભારતમાં સોશિયલ સિક્યોરિટી ફ્રેમવર્કની મર્યાગા સમિત છે. મહત્તમ વૃધ્ધો તેમની બચતની રકમ પર નિર્ભર છે, પરંતુ વ્યાજ દરોમાં વધ-ઘટથી તેમની આવક પર અસર થાય છે. અને તેમની જરૂરિયાતો પુરી કરવી મુશ્કેલ બની જાય છે. સરકારે આ માટે રિવર્સ મોર્ગેજના નિયમોમાં પણ જરૂરી ફેરફાર કરવો જોઈએ, જેથી વૃધ્ધો માટે લિક્વિડીટી વધી શકે. રિવર્સ મોર્ગેજ દ્વારા વૃધ્ધો તેમની પ્રોપર્ટીમાં રહેવાની સાથે જ તેના પર લોન લઈ શકે છે, તથા એક નક્કી કરેલી માસિક રકમ મેળવી શકે છે.   


અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને મળે પેન્શનનો હક


NITI આયોગે કહ્યું છે કે અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને પણ પેન્શન સપોર્ટ મળવો જોઈએ, મોંઘવારીને જોતા પેન્શનની રકમમાં ફેરફારની પણ જરૂરીયાત છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વૃધ્ધોને પણ સામેલ કરવા જોઈએ, અને તેનું કવરેજ અનેક નોન-મેડિકલ ચીજો સુધી વધારતા ઘરમાં જ ઉભી થનારી હેલ્થથી સંબંધિત જરૂરિયાતોને પણ પુરી કરવી જોઈએ. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.