દેશના 78% વૃધ્ધો પાસે નથી પેન્શન, NITI આયોગે કરી અનિવાર્ય બચત યોજનાની ભલામણ


  • Published By :
  • Published Date : 2024-02-20 14:30:58

નીતિ આયોગે કેન્દ્ર સરકારને વૃધ્ધોને નિવૃતિ પેન્શન આપવાની ભલામણ કરી છે. હાલ દેશમાં 78 ટકા સીનિયર સિટિજન્સની પાસે પેન્શનનો સહારો પણ નથી. 60 વર્ષથી ઉપરના માત્ર 18 ટકા લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ છે. માત્ર 13 ટકા વૃધ્ધો પાસે આરોગ્ય સંબંધિત ખર્ચા કાઢી શકાય તેટલા નાણા છે. આજ કારણે નીતિ આયોગે કહ્યું છે કે રિટાયરમેન્ટ બાદ વૃધ્ધોની આર્થિક સ્થિતી ખરાબ થવાનો તોળાઈ રહ્યો છે. 


NITIની રિપોર્ટ જાહેર


દેશના NITI આયોગે એક રિપોર્ટ જાહેર કરી છે. 'સિનિયર કેયર રિફોર્મન્સ ઈન ઈન્ડિયા- રીઈમેજિનિંગ ધ સિનિયર કેયર પેરાડાઈમ' નામની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૃધ્ધો માટે એક નેશનલ પોર્ટલ બનાવવા જોઈએ. જેથી તે પોતાની જીવન જરૂરીયાતો પૂરી કરી શકે. તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ 12.8 ટકા લોકો 60 વર્ષથી વધુ વયના છે. વર્ષ 2031 એવા લગભગ 13.2 ટકા અને 2050 સુધી આ આંકડો લગભગ 19 ટકા થઈ જશે.  વર્ષ 2021થી 2031 વચ્ચે ડિપેન્ડેન્સી રેશિયો 15.7 ટકાથી વધીને 20.1 ટકા થવાનું અનુમાન વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે વર્કિંગ પોપ્યુલેશનની આર્થિક જવાબદારીઓ વધશે. 


શું કહ્યું નીતિ આયોગે?


નીતિ આયોગના જણાવ્યા પ્રમાણે ભારતમાં સોશિયલ સિક્યોરિટી ફ્રેમવર્કની મર્યાગા સમિત છે. મહત્તમ વૃધ્ધો તેમની બચતની રકમ પર નિર્ભર છે, પરંતુ વ્યાજ દરોમાં વધ-ઘટથી તેમની આવક પર અસર થાય છે. અને તેમની જરૂરિયાતો પુરી કરવી મુશ્કેલ બની જાય છે. સરકારે આ માટે રિવર્સ મોર્ગેજના નિયમોમાં પણ જરૂરી ફેરફાર કરવો જોઈએ, જેથી વૃધ્ધો માટે લિક્વિડીટી વધી શકે. રિવર્સ મોર્ગેજ દ્વારા વૃધ્ધો તેમની પ્રોપર્ટીમાં રહેવાની સાથે જ તેના પર લોન લઈ શકે છે, તથા એક નક્કી કરેલી માસિક રકમ મેળવી શકે છે.   


અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને મળે પેન્શનનો હક


NITI આયોગે કહ્યું છે કે અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને પણ પેન્શન સપોર્ટ મળવો જોઈએ, મોંઘવારીને જોતા પેન્શનની રકમમાં ફેરફારની પણ જરૂરીયાત છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વૃધ્ધોને પણ સામેલ કરવા જોઈએ, અને તેનું કવરેજ અનેક નોન-મેડિકલ ચીજો સુધી વધારતા ઘરમાં જ ઉભી થનારી હેલ્થથી સંબંધિત જરૂરિયાતોને પણ પુરી કરવી જોઈએ. 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.