લીલીયા ખાતે કોંગ્રસે મામલતદારને આપ્યું આવેદનપત્ર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-11-06 16:10:50

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

Image

ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં , અમરેલી જિલ્લામાં ખુબ મોટાપાયે નુકશાન થયું છે. તો હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત આજે , અમરેલીના લીલીયા ખાતે , ખેડૂતોની દેવામાંફીને લઇને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત , લીલીયા ખાતે પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના નેતૃત્વમાં એક સંમેલન પણ યોજાયું હતું. જેમાં , પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું છે કે , " વીઘે ૮ હજારની ભીખ ખેડૂતોને નથી જોઇતી. પરંતુ , સંપૂર્ણ પાક નુકશાનીની સામે દેવા માફી જોઈએ છીએ. આ ઉપરાંત નકલી બિયારણ અને ખાતર પર પણ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે. " તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ વડા પ્રતાપ દુધાત દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે , " લીલીયા મામલતદાર કચેરીએ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. સરકાર કોઈ બીજા ગતકડાં ના કરે માત્ર દેવા માફીની વાત કરે. ખેડૂત , ખેત મજદૂર અને ગરીબ માટે અમે ૧૫ મુદ્દાઓને લઇને માંગણી કરી છે જેમાં દેવામાફી અમારો પ્રમુખ મુદ્દો છે." 

Paresh Dhanani

વાત કરીએ , ગુજરાત સરકારની તો તેના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે , કમોસમી વરસાદના કારણે , ૪૨ લાખ હેકટર ખેતીને નુકશાન થયું છે. જેમાં ૧૬ હાજર ગામોને અસર થઇ છે. આ લાખો હેક્ટર જમીનમાં મગફળી , સોયાબીન સહીત અન્ય પાકો ધોવાયા છે. તો આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે , સરકાર ૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી , મગ , અડદ અને સોયાબીનની ખરીદી કરશે. ગુજરાતના ૩૦૦ ખરીદ કેન્દ્ર પરથી ખેડૂત દીઠ ૧૨૫ મણ મગફળી સહીતના પાકોની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.