લીલીયા ખાતે કોંગ્રસે મામલતદારને આપ્યું આવેદનપત્ર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-11-06 16:10:50

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

Image

ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં , અમરેલી જિલ્લામાં ખુબ મોટાપાયે નુકશાન થયું છે. તો હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત આજે , અમરેલીના લીલીયા ખાતે , ખેડૂતોની દેવામાંફીને લઇને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત , લીલીયા ખાતે પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના નેતૃત્વમાં એક સંમેલન પણ યોજાયું હતું. જેમાં , પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું છે કે , " વીઘે ૮ હજારની ભીખ ખેડૂતોને નથી જોઇતી. પરંતુ , સંપૂર્ણ પાક નુકશાનીની સામે દેવા માફી જોઈએ છીએ. આ ઉપરાંત નકલી બિયારણ અને ખાતર પર પણ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે. " તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ વડા પ્રતાપ દુધાત દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે , " લીલીયા મામલતદાર કચેરીએ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. સરકાર કોઈ બીજા ગતકડાં ના કરે માત્ર દેવા માફીની વાત કરે. ખેડૂત , ખેત મજદૂર અને ગરીબ માટે અમે ૧૫ મુદ્દાઓને લઇને માંગણી કરી છે જેમાં દેવામાફી અમારો પ્રમુખ મુદ્દો છે." 

Paresh Dhanani

વાત કરીએ , ગુજરાત સરકારની તો તેના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે , કમોસમી વરસાદના કારણે , ૪૨ લાખ હેકટર ખેતીને નુકશાન થયું છે. જેમાં ૧૬ હાજર ગામોને અસર થઇ છે. આ લાખો હેક્ટર જમીનમાં મગફળી , સોયાબીન સહીત અન્ય પાકો ધોવાયા છે. તો આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે , સરકાર ૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી , મગ , અડદ અને સોયાબીનની ખરીદી કરશે. ગુજરાતના ૩૦૦ ખરીદ કેન્દ્ર પરથી ખેડૂત દીઠ ૧૨૫ મણ મગફળી સહીતના પાકોની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.