લીલીયા ખાતે કોંગ્રસે મામલતદારને આપ્યું આવેદનપત્ર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-11-06 16:10:50

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

Image

ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં , અમરેલી જિલ્લામાં ખુબ મોટાપાયે નુકશાન થયું છે. તો હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત આજે , અમરેલીના લીલીયા ખાતે , ખેડૂતોની દેવામાંફીને લઇને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત , લીલીયા ખાતે પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના નેતૃત્વમાં એક સંમેલન પણ યોજાયું હતું. જેમાં , પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું છે કે , " વીઘે ૮ હજારની ભીખ ખેડૂતોને નથી જોઇતી. પરંતુ , સંપૂર્ણ પાક નુકશાનીની સામે દેવા માફી જોઈએ છીએ. આ ઉપરાંત નકલી બિયારણ અને ખાતર પર પણ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે. " તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ વડા પ્રતાપ દુધાત દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે , " લીલીયા મામલતદાર કચેરીએ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. સરકાર કોઈ બીજા ગતકડાં ના કરે માત્ર દેવા માફીની વાત કરે. ખેડૂત , ખેત મજદૂર અને ગરીબ માટે અમે ૧૫ મુદ્દાઓને લઇને માંગણી કરી છે જેમાં દેવામાફી અમારો પ્રમુખ મુદ્દો છે." 

Paresh Dhanani

વાત કરીએ , ગુજરાત સરકારની તો તેના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે , કમોસમી વરસાદના કારણે , ૪૨ લાખ હેકટર ખેતીને નુકશાન થયું છે. જેમાં ૧૬ હાજર ગામોને અસર થઇ છે. આ લાખો હેક્ટર જમીનમાં મગફળી , સોયાબીન સહીત અન્ય પાકો ધોવાયા છે. તો આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે , સરકાર ૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી , મગ , અડદ અને સોયાબીનની ખરીદી કરશે. ગુજરાતના ૩૦૦ ખરીદ કેન્દ્ર પરથી ખેડૂત દીઠ ૧૨૫ મણ મગફળી સહીતના પાકોની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે.  




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.