લીલીયા ખાતે કોંગ્રસે મામલતદારને આપ્યું આવેદનપત્ર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-11-06 16:10:50

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

Image

ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં , અમરેલી જિલ્લામાં ખુબ મોટાપાયે નુકશાન થયું છે. તો હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત આજે , અમરેલીના લીલીયા ખાતે , ખેડૂતોની દેવામાંફીને લઇને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત , લીલીયા ખાતે પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના નેતૃત્વમાં એક સંમેલન પણ યોજાયું હતું. જેમાં , પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું છે કે , " વીઘે ૮ હજારની ભીખ ખેડૂતોને નથી જોઇતી. પરંતુ , સંપૂર્ણ પાક નુકશાનીની સામે દેવા માફી જોઈએ છીએ. આ ઉપરાંત નકલી બિયારણ અને ખાતર પર પણ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે. " તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ વડા પ્રતાપ દુધાત દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે , " લીલીયા મામલતદાર કચેરીએ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. સરકાર કોઈ બીજા ગતકડાં ના કરે માત્ર દેવા માફીની વાત કરે. ખેડૂત , ખેત મજદૂર અને ગરીબ માટે અમે ૧૫ મુદ્દાઓને લઇને માંગણી કરી છે જેમાં દેવામાફી અમારો પ્રમુખ મુદ્દો છે." 

Paresh Dhanani

વાત કરીએ , ગુજરાત સરકારની તો તેના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે , કમોસમી વરસાદના કારણે , ૪૨ લાખ હેકટર ખેતીને નુકશાન થયું છે. જેમાં ૧૬ હાજર ગામોને અસર થઇ છે. આ લાખો હેક્ટર જમીનમાં મગફળી , સોયાબીન સહીત અન્ય પાકો ધોવાયા છે. તો આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે , સરકાર ૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી , મગ , અડદ અને સોયાબીનની ખરીદી કરશે. ગુજરાતના ૩૦૦ ખરીદ કેન્દ્ર પરથી ખેડૂત દીઠ ૧૨૫ મણ મગફળી સહીતના પાકોની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે.  




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.